Suryakumar Yadav : કેપ્ટન બન્યા બાદ સુર્યકુમાર યાદવનું પહેલુ નિવેદન, જાણો શું કહ્યું?
રોહિત શર્માએ T20 ક્રિકેટ છોડ્યા બાદ સુર્યકુમાર યાદવની લોટરી લાગી છે. શ્રીલંકા પ્રવાસ માટે કેપ્ટન બનાવાયા બાદ સુર્યકુમાર યાદવનું પહેલુ નિવેદન સામે આવ્યુ છે.
સૂર્યકુમાર યાદવને T20 વર્લ્ડ કપ 2024માં વિજય બાદ રોહિત શર્માના સ્થાને ભારતના નવા T20 કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે. તે 27 જુલાઈથી શ્રીલંકા સામે શરૂ થનારી આગામી T20 શ્રેણીમાં ટીમનું નેતૃત્વ કરશે.

કેપ્ટનની ભૂમિકા માટે હાર્દિક પંડ્યાની જગ્યાએ સૂર્યકુમારને પસંદ કરવાનો BCCIનો નિર્ણય ઘણા લોકો માટે આશ્ચર્યજનક રહ્યો છે.
આ સીરિઝ 27 જુલાઈએ પલ્લેકલેમાં શરૂ થશે અને 30 જુલાઈએ પૂરી થશે. ખાસ વાત એ છે કે હાર્દિક પંડ્યાના સ્થાને સૂર્યકુમારને પસંદગી આપવામાં આવી છે તો હાર્દિક પંડ્યાને વાઇસ કેપ્ટન પણ બનાવવામાં આવ્યો નથી.
જો કે આ નેતૃત્વની ભૂમિકા સૂર્યકુમાર માટે બિલકુલ નવી નથી. તેણે અગાઉ નવેમ્બર 2023માં ઓસ્ટ્રેલિયા સામેની પાંચ મેચની T20 શ્રેણીમાં ભારતનું નેતૃત્વ કર્યું હતું, જેમાં તેણે 4-1થી શ્રેણી જીતી હતી. તેણે ડિસેમ્બરમાં દક્ષિણ આફ્રિકા સામેની ત્રણ મેચની શ્રેણી 1-1થી ડ્રો કરી હતી.
સુકાની બનાવવામાં આવ્યા બાદ સૂર્યકુમારે એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા આભાર વ્યક્ત કર્યો. તેણે લખ્યું કે, તમારા બધાના પ્રેમ, સમર્થન અને શુભકામનાઓ માટે ખૂબ ખૂબ આભાર. છેલ્લા કેટલાક અઠવાડિયા સપનાથી ઓછા નથી અને હું ખરેખર આભારી છું. તેણે સ્વીકાર્યું કે આ નવી ભૂમિકા તેની સાથે નોંધપાત્ર જવાબદારી અને ઉત્સાહ લાવનારી છે.
BCCI એ શ્રીલંકા શ્રેણી માટે ભારતની T20 ટીમની જાહેરાત કરી છે, જેમાં સૂર્યકુમાર યાદવને કેપ્ટન તરીકે અને શુભમન ગિલને પ્રવાસની T20 અને ODI શ્રેણી બંને માટે વાઇસ-કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે. ટીમમાં યશસ્વી જયસ્વાલ, રિંકુ સિંહ અને રિયાન પરાગ જેવા ખેલાડીઓ સામેલ છે.
કોચ તરીકે ગૌતમ ગંભીરનો આ પહેલો પ્રવાસ હશે. તેણે રોહિત શર્મા અને કોહલીને વન-ડે શ્રેણીમાં રમવા માટે વિનંતી કરી અને બંને ખેલાડીઓ સંમત થયા છે. રોહિત શર્મા વનડે શ્રેણીમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ કરશે.












Click it and Unblock the Notifications
