કાશ્મીરમાં બનાવાયો એફિલ ટાવર કરતા પણ ઉંચો રેલવે બ્રિજ, ભૂકંપની નહી થાય અસર
જમ્મુને કાશ્મીર ઘાટી સાથે જોડતો વિશ્વનો સૌથી ઉંચો રેલ બ્રિજ પૂર્ણ થઈ ગયો છે. જમ્મુ-કાશ્મીરમાં બનેલો આ પુલ ઘાટી માટે વિકાસના નવા દરવાજા ખોલવા જઈ રહ્યો છે. જમ્મુ-કાશ્મીરની અંજી નદી પર બની રહેલા ભારતના પ્રથમ કેબલ રેલ્વે બ્રિજનું કામ પણ પૂર્ણતાના આરે છે. ઉત્તર રેલવેના જણાવ્યા અનુસાર આ બ્રિજનું કામ મે મહિના સુધીમાં પૂર્ણ થઈ જશે. આ રેલ બ્રિજ ઉધમપુર-શ્રીનગર-બારામુલ્લા-રેલ લિંક પ્રોજેક્ટનો એક ભાગ છે. રવિવારે આ બ્રિજ પર ટ્રોલી કાર ચલાવીને ટ્રાયલ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ પણ હાજર હતા.

કાશ્મીરમાં સ્વિટ્ઝર્લેન્ડનો અનુભવ
જમ્મુ વિભાગના રિયાસી જિલ્લામાં ચેનાબ નદી પર બનેલો ચેનાબ બ્રિજ નદીના પટથી 1,315 મીટરની ઉંચાઈ ધરાવે છે. તે એક કમાન પુલ છે અને તે એફિલ ટાવર કરતા 35 મીટર ઊંચો છે. ચેનાબ બ્રિજ બક્કલથી કૌડી વચ્ચે બનાવવામાં આવ્યો છે. તેની કિંમત 1400 કરોડ રૂપિયા છે. આ પુલની કમાન પોતે જ એન્જિનિયરિંગનો ઉત્તમ નમૂનો છે. આ બ્રિજ દુનિયાના સૌથી ઊંચા રેલ્વે બ્રિજમાંથી એક છે. પહાડોમાંથી પસાર થતી રેલ્વે લાઈન ભારતના લોકોને સ્વિટ્ઝર્લેન્ડ જેવો અનુભવ આપશે.

ઘાટીનુ અંતર ઓછુ થયુ
2003માં પ્રોજેક્ટ મંજૂર થયા બાદ બે દાયકાની રાહ જોયા બાદ જમ્મુ-કાશ્મીરના લોકોને આ પુલ મળશે. રવિવારે કોડી પહોંચેલા કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે જમ્મુના રહેવાસીઓ કાશ્મીર જઈ શકશે અને સાંજે ચા પીવા માટે ઘરે પાછા આવી શકશે. સાથે જ કાશ્મીરથી જમ્મુ આવેલા કોઈપણ વેપારી ઘરે પાછા જઈને કાહવાની મજા માણી શકે છે. જમ્મુ-કાશ્મીર વચ્ચે વંદે મેટ્રો પણ દોડાવવામાં આવશે.

આ બ્રિજ ભારતના તેજસ્વી એન્જિનિયરિંગનો નમૂનો છે
તેનો પાયો નાખવા માટે એન્જિનિયરો દ્વારા ઘણી તકનીકોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પ્રથમ ટનલ બનાવવા માટે નવી ઓસ્ટ્રિયન ટનલીંગ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ વિસ્તારમાં ગ્રેનાઈટ ખડકોને કારણે પાયાના ખોદકામનું કામ ખૂબ જ પડકારજનક હતું. જેની હિમાલયન ટનલીંગ પદ્ધતિનો ઉપયોગ પ્રોજેક્ટ પૂર્ણ કરવા માટે કરવામાં આવ્યો હતો. ચેનાબ બ્રિજ વિશ્વના સૌથી ઊંચા રેલ્વે બ્રિજમાંથી એક છે. પહાડોમાંથી પસાર થતી રેલ્વે લાઇન માત્ર ભારતનું પ્રાકૃતિક સૌંદર્ય જ નથી બતાવતી પણ ભારતની કાર્યક્ષમ એન્જીનીયરીંગ પણ દર્શાવે છે.

120 વર્ષ આ બ્રિજને કઇ નહી થાય
આ ચોક્કસ પુલની અન્ય સૌથી મહત્વપૂર્ણ તકનીકી વિશેષતા એ માળખાકીય સ્ટીલ છે જેમાંથી પુલ બનાવવામાં આવ્યો છે. તે માઈનસ 10°C થી 40°C સુધીના તાપમાનનો સામનો કરી શકે છે. એટલે કે જમ્મુ-કાશ્મીરના હવામાનની આ બ્રિજ પર કોઈ અસર નહીં થાય અને બ્રિજ કોઈપણ મુશ્કેલી વિના ચાલતો રહેશે. વિશ્વનો સૌથી ઊંચો કમાન પુલ એ અજાયબી એન્જિનિયરિંગનો અદ્ભુત નમૂનો છે. 120 વર્ષ સુધી તેનું કંઈ બગડવાનું નથી.

ભૂકંપની નહી થાય અસર
ચિનાબ બ્રિજ 8ની તીવ્રતાના ભૂકંપને પણ સહન કરવાની ક્ષમતા ધરાવે છે. આ પુલ 260 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા પવનને સરળતાથી સહન કરી શકે છે. વિશ્વના સૌથી ઊંચા રેલ્વે બ્રિજનું કમાન 2021માં જ પૂર્ણ થયું હતું. આ કમાનનું કુલ વજન 10619 મેટ્રિક ટન છે. જે ફૂટબોલ મેદાનના અડધા બરાબર છે. આ કમાનને કેબલ ક્રેનની મદદથી સેંકડો ફૂટની ઊંચાઈએથી ફીટ કરવામાં આવી હતી.

3.30 કલાકમાં પહોંચી શકાશે જમ્મુ અને શ્રીનગર
ઉધમપુર-શ્રીનગર-બારામુલ્લા-રેલ લિંક પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ આ પુલ પરથી વંદે ભારત અને વંદે મેટ્રો ટ્રેનો પણ દોડશે. જમ્મુથી શ્રીનગર અને શ્રીનગરથી જમ્મુના મુસાફરો 12 કલાકની અંદર આવી-જઈ શકશે. અત્યારે લોકોને એક બાજુથી બીજી તરફ જવા માટે 8 કલાક જેટલો સમય લાગે છે. જમ્મુ અને શ્રીનગર વચ્ચેનો મુસાફરીનો સમય ઘટીને 3.30 કલાક થઈ જશે. બ્રિજ પર હજુ બે વધુ પરીક્ષણો હાથ ધરવાના બાકી છે, જેમાં બ્રિજ પર ચાલતી મોટર ટ્રોલી અને બોલેરો અનુકૂલિત રેલ કામગીરીનો સમાવેશ થાય છે. રેલવે બ્રિજ કામગીરી માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. પાટા નાખવાની કામગીરી ચાલી રહી છે.

સેંસરથી કરાશે બ્રિજની દેખરેખ
ટ્રેન ચેનાબ બ્રિજ પર 100 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડી શકશે. જો કે પવનની ઝડપ 90 કિમી પ્રતિ કલાકથી વધી જાય તો ટ્રેનોને રોકવી પડશે. કહેવામાં આવી રહ્યું છે કે આ બ્રિજ એટલો મજબૂત બનાવવામાં આવ્યો છે કે તે 40 કિલો સુધીના વિસ્ફોટકોનો સામનો કરી શકે છે. આ પુલની જાળવણી માટે અનેક પ્રકારના આધુનિક સેન્સરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ પુલ કાશ્મીર ખીણને તમામ હવામાન પરિસ્થિતિઓમાં દેશના બાકીના ભાગો સાથે જોડશે.












Click it and Unblock the Notifications
