Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

T20 વર્લ્ડ કપને લઈને ભારતીય ટીમની જાહેરાત ક્યારે? જાણો ICC એ કેમ આપ્યુ અલ્ટીમેટમ?

આઈપીએલ બાદ T20 વર્લ્ડકપ યોજાવા જઈ રહ્યો છે. આ વર્લ્ડ કપને લઈને હજુ ભારતીય ટીમ જાહેરાત કરાઈ નથી. આ સ્થિતીમાં આઈસીસીએ અલ્ટીમેટમ આપ્યુ છે.

ICC દ્વારા ટીમોની જાહેરાત કરવાની છેલ્લી તારીખ જાહેર કરવામાં આવી છે. તમામ ટીમોની જાહેરાત કરવાનો છેલ્લો દિવસ 1 મે બુધવાર રાખવામાં આવ્યો છે. ટીમમાં કુલ 15 ખેલાડીઓનો જ સમાવેશ થઈ શકશે.

T20 World Cup

આ ઉપરાંત ટીમોમાં ફેરફાર કરવા માટે એક વિન્ડો પણ આપવામાં આવી છે. 25 મે સુધી ટીમોમાં ફેરફાર કરવાની પરવાનગી આપવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન કોઈપણ ફેરફારને ICC ટેકનિકલ કમિટીની મંજૂરી લેવી પડશે. રસપ્રદ વાત એ છે કે IPLની ફાઈનલ મેચ 26મી મેના રોજ રમાશે.

વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાની પ્રથમ મેચ આયર્લેન્ડ સામે છે. ટીમ ઈન્ડિયા 5 જૂનથી પોતાના અભિયાનની શરૂઆત કરશે. આ પછી કટ્ટર હરીફ પાકિસ્તાન સામે મેચ રમાશે. આ મેચ 9 જૂને રમાવાની છે. મહત્વની વાત એ છે કે ભારતીય ટીમ તેની તમામ ગ્રુપ મેચ યુએસએમાં રમશે.

BCCI પહેલા જ સ્પષ્ટ કરી ચુક્યું છે કે રોહિત શર્મા ટીમ ઈન્ડિયાનો કેપ્ટન રહેશે. હવે બાકીના ખેલાડીઓ કોણ હશે તેના પર નજર રહેશે. ઈશાન કિશન અને શ્રેયસ અય્યરને બીસીસીઆઈના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી બહાર કરી દેવામાં આવ્યા છે. આ સ્થિતિમાં તેને ભલે ટીમમાં સ્થાન ન મળે પરંતુ આઈપીએલમાં તેનું પ્રદર્શન સારું રહેશે તો તેના પર વિચાર કરી શકાય છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X