Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Who is Ashutosh Sharma - રાતોરાત બન્યો સ્ટાર, જાણો ઇન્દોરથી આઇપીએલ સુધીની સફર

Who is Ashutosh Sharma - IPL 2024માં પંજાબ કિંગ્સે ગુજરાત ટાઇટન્સ સામે શાનદાર પ્રદર્શન કરીને જીત છીનવી હતી. આ પંજાબની આ સિઝનમાં પોતાની બીજી જીત હતી. ગુજરાત દ્વારા મળેલા 200 રનના ટારગેટને ચેઝ કરતા પંજાબે એક મેચ પહેલા જ ત્રણ વિકેટે મેચ જીતી લીધી હતી.

પંજાબ તરફથી, શશાંક સિંહ અને આશુતોષ શર્મા બેટથી શાનદાર પ્રદર્શન કર્યું હતું, અને તેઓ પંજાબને શાનદાર જીત અપાવી હતી.

આશુતોષે 8મા નંબરે 6 વિકેટ ગુમાવ્યા બાદ 31 રન બનાવ્યા હતા. તેની આ ઇનિંગ બાદ તેને દરેક જગ્યાએ તાળીઓ મળી રહી છે.

IPL 2024: કોણ છે આશુતોષ શર્મા? - આશુતોષ શર્માનો જન્મ મધ્ય પ્રદેશના નાના શહેર રતલામમાં થયો હતો, અને ઈન્દોરમાં અભ્યાસ કર્યો હતો. આશુતોષ વર્ષ 2023માં સૈયદ મુશ્તાક અલી ટ્રોફી દ્વારા ચર્ચામાં આવ્યો હતો. અરુણાચલ પ્રદેશ સામેની ગ્રુપ સ્ટેજની મેચમાં આશુતોષે 11 બોલમાં અડધી સદી ફટકારી હતી, જે ટી20માં ભારતીય બેટ્સમેન દ્વારા સૌથી ઝડપી ફિફ્ટી હતી.

Who is Ashutosh Sharma

આ દરમિયાન આશુતોષે યુવરાજ સિંહનો 16 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો હતો. યુવીએ T20 વર્લ્ડ કપ 2007માં 12 બોલમાં ફિફ્ટી ફટકારી હતી.

આ ખૂબ જ લોકપ્રિય રમત હતી, જેમાં તેણે સ્ટુઅર્ટ બ્રોડની એક ઓવરમાં 6 છગ્ગા ફટકાર્યા હતા. યુવરાજે જ્યારે આ સિદ્ધિ હાંસલ કરી ત્યારે આશુતોષ 9 વર્ષના હતા. ભારત તરફથી રમી ચુકેલા વિકેટકીપર બેટ્સમેન નમન ઓઝાએ આશુતોષની સફળતામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમની કેપ્ટનશિપ હેઠળ જ આશુતોષે મધ્યપ્રદેશ તરફથી ટી20માં ડેબ્યૂ કર્યું હતું.

આશુતોષે ગુજરાત સામે પંજાબની જીત બાદ જણાવ્યું હતું કે, 2019માં મેં મધ્યપ્રદેશ માટે ટી-20માં મારી છેલ્લી મેચમાં 84 રન બનાવ્યા હતા અને તે જ વર્ષે એક પ્રોફેશનલ કોચ આવ્યો અને તે મને પસંદ ન આવ્યો. સિલેક્શન ટ્રાયલ્સમાં પણ મેં 40-45 બોલમાં લગભગ 90 રન બનાવ્યા હતા, પરંતુ સાંજે જ્યારે સૈયદ મુશ્તાક અલી માટે ટીમની જાહેરાત કરવામાં આવી ત્યારે મારી પસંદગી કરવામાં આવી ન હતી.

તેથી તે સમયે હું ખરેખર ડિપ્રેશનમાં ગયો હતો. કારણ કે, મેં તે વર્ષે ખૂબ સારું પ્રદર્શન કર્યું હતું. અમે અંડર-23 પણ રમ્યા અને મેં ચાર મેચમાં 200 રન બનાવ્યા હતા.

PBKS vs GT: પંજાબ કિંગ્સે મોટી જીત નોંધાવી - ગુજરાત ટાઇટન્સ સામેની મેચમાં પંજાબ કિંગ્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા ગુજરાત ટાઇટન્સે સ્કોર બોર્ડ પર 199 રન બનાવ્યા હતા.

જ્યારે આશુતોષ પંજાબ માટે ઈમ્પેક્ટ પ્લેયર તરીકે બેટિંગ કરવા આવ્યો, ત્યારે તેની ટીમને 27 બોલમાં જીતવા માટે 50 રનની જરૂર હતી. આ પછી 18મી ઓવરમાં આશુતોષે અઝમતુલ્લાહની ઓવરમાં 3 સિક્સર ફટકારી હતી. અહીંથી મેચ પંજાબ તરફ ગઈ અને શશાંક અને આશુતોષની આગેવાની હેઠળ પંજાબને ગુજરાત સામે 3 વિકેટે જીત અપાવી હતી.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X