ભારતનો વિજયરથ આગળ ધપ્યો: UAE સામે 9 વિકેટે વિજય
મેલબર્ન, 28 ફેબ્રુઆરી: સંયુક્ત અબર અમીરાત(યૂએઇ)એ ભારતની વિરુદ્ધ ક્રિકેટ વિશ્વ કપમાં મેચમાં આજે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો. ભારતે ઇજાગ્રસ્ત મોહમંદ શમીના સ્થાને ભુવનેશ્વર કુમારને ટીમમાં સ્થાન આપ્યું છે. યૂએઇએ પોતાની ટીમમાં કોઇ ફેરફાર કર્યો નથી. વિશ્વ ચેમ્પિયન ભારતને યૂએઇની વિરુદ્ધ જીતના પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યું છે, જેણે પોતાની પહેલી બે મેચોમાં પાકિસ્તાન અને દક્ષિણ આફ્રિકાની વિરુદ્ધ ક્રમશ: 76 અને 130 રનની મોટી જીત નોંધાવી છે.

અત્રે નોંધનીય છે કે ભારતીય બોલરોએ આ મેચમાં કમાલ કરી બતાવી છે. સૌથી વધારે વિકેટ આર અશ્વિને લીધી. તેણે ચાર વિકેટો પોતાના નામે કરી, ત્યાર બાદ રવિન્દ્ર જાડેજા અને ઉમેશ યાદવે 2-2 વિકેટો પોતાના નામે કરી અને મોહીત શર્મા તથા ભુવનેશ્વરે 1-1 વિકેટ લીધી છે. હાલમાં ભારતીય ટીમ 103 રનના લક્ષ્યને આંબવા માટે મેદાને ઉતરી પડ્યું છે.
ભારતની બેટિંગ:
ભારત યૂએઇ સામે જીતવા માટે 103 રનનો લક્ષ્યાંક પાર કરવા મેદાને ઉતરી. મોહમંદ નવીદ છઠ્ઠી ઓવર નાખી રહ્યો હતો જેના ત્રીજા બોલે શિખર ધવન માત્ર 14 રન બનાવીને આઉટ થઇ ગયો. બાદમાં રોહીત શર્માએ 57 અને વિરાટ કોહલીએ 33 રનોની અણનમ પારી ખેલીને ભારતને 18.5 ઓવરમાં જ વિજય અપાવી દીધો. હાલમાં ભારત ગ્રુપ બીમાં સૌથી ટોચ પર છે.
ટીમ આ પ્રકારે છે:
ભારત: અજિંક્ય રહાણે, રોહિત શર્મા, શિખર ધવન, સુરેશ રૈના, વિરાટ કોહલી, અક્ષર પટેલ, રવિંદ્ર જાડેજા, સ્ટુઅર્ટ બિન્ની, અંબાતી રાયડૂ, એમ એસ ધોની, ભુવનેશ્વર કુમાર, ધવલ કુલકર્ણી, ઇશાંત શર્મા, મોહમંદ શમી, રવિચંદ્ર અશ્વિન, ઉમેશ યાદવ.
યૂએઇ: ક્રિશ્નચંદ્રન કરાટે, રોહન મુસ્તફા, શૈમન અનવર, ખુર્રમ ખાન, મંજુલા ગુરુગે, અમઝદ અલી, આન્દ્રિ બરેગેર, સલેન હૈદર, સ્વપ્નિલ પાટિલ, અમજદ જાવેદ, ફહાદ અલ અલહાષમી, કામરાન શઝાદ, મોહમંદ નાવેદ, મોહમંદ તૌકીર, નાસિર અઝિઝ.
-
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
World Water Day 2026: ઉનાળાના પ્રારંભે ગુજરાતના જળાશયોમાં કેટલું પાણી? જાણો 207 ડેમની લેટેસ્ટ સ્થિતિ -
Dhurandhar 2 BO Collection Day 3: ત્રીજા દિવસે રણવીર સિંહની 'ધુરંધર 2'એ મચાવી ધમાલ, કમાણીએ તોડ્યા રેકોર્ડ -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ








Click it and Unblock the Notifications
