World Cup 2023, IND vs NZ: ભારત-ન્યુઝીલેન્ડ મેચ, પહેલા વાંચો 10 મોટી અપડેટ
World Cup 2023, IND vs NZ: આઇસીસી વિશ્વ કપની 21મી મેચ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાશે. આ મેચ 22 ઓક્ટોબરના રોજ હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ, ધર્મશાલામાં રમાશે.
ઓસ્ટ્રેલિયા, અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને બાંગ્લાદેશને હરાવ્યા બાદ ભારતીય ટીમ ન્યુઝીલેન્ડને હરાવવાનું લક્ષ્ય રાખશે. ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી બંને ટીમો એક પણ મેચ હારી નથી.

સૂર્યકુમાર યાદવ પ્રેક્ટિસ દરમિયાન ઈજાગ્રસ્ત થયો - સૂર્યકુમાર યાદવ પ્રેક્ટિસ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. બેટિંગ કરતી વખતે બોલ સૂર્યાના જમણા કાંડા પર વાગ્યો, જે બાદ તે ખૂબ જ પીડામાં જોવા મળ્યો. દર્દ એટલું બધું હતું કે સૂર્યકુમારે મેદાન છોડવું પડ્યું હતું.
ધર્મશાળાનું હવામાન - ભારતીય ચાહકો માટે આ એક સારા સમાચાર છે કે, અત્યારે ધર્મશાલામાં સ્વચ્છ આકાશ છે. ભારત-ન્યૂઝીલેન્ડ મેચ જોવા આવેલા એક દર્શકે જણાવ્યું હતું કે, આ સમયે હવામાન સંપૂર્ણપણે સ્વચ્છ છે. આ સમયે અહીં ખૂબ જ તડકો છે. ગઈકાલે સાંજથી વાતાવરણ એકદમ ઠંડુ હતું. અત્યારે અહીંનું વાતાવરણ વરસાદી દેખાતું નથી. છેલ્લા બે-ત્રણ દિવસથી સાંજના સમયે ઝરમર ઝરમર વરસાદ પડી રહ્યો હોવાથી સાંજે વરસાદ પડવાની ધારણા છે.
ભારત ન્યુઝીલેન્ડ પાસેથી બદલો લઈ શકશે - ગત વર્લ્ડ કપની સેમીફાઈનલમાં મળેલી હાર બાદ ટીમ ઈન્ડિયાની નજર ન્યુઝીલેન્ડથી બદલો લેવા પર છે. ત્યારે વિરાટ કોહલીની કેપ્ટન્સીમાં ભારતને હારનો સામનો કરવો પડ્યો હતો. જે પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની છેલ્લી મેચ સાબિત થઈ હતી.
દક્ષિણ આફ્રિકાએ ઈંગ્લેન્ડને કારમી હાર આપી - શનિવારે રમાયેલી 20મી મેચમાં દક્ષિણ આફ્રિકાએ ઈંગ્લેન્ડને કારમી હાર આપી હતી. આફ્રિકાએ ઈંગ્લેન્ડને 229 રનથી હરાવ્યું હતું. વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડની આ સૌથી મોટી હાર છે. હેનરી ક્લાસને સદીની ઇનિંગ રમી હતી.
વનડેમાં ભારત અને ન્યુઝીલેન્ડનો રેકોર્ડ - ભારત અને ન્યુઝીલેન્ડ ODI ક્રિકેટમાં 116 વખત સામસામે આવી ચુક્યા છે. આ સમયગાળા દરમિયાન ભારતે 58 મેચ જીતી છે અને ન્યૂઝીલેન્ડે 50 મેચ જીતી છે. સાત મેચ અનિર્ણિત રહી છે, જ્યારે એક મેચ ટાઈ રહી છે. ભારતે ઘરઆંગણે ન્યુઝીલેન્ડ સામે 29 મેચ જીતી છે.
વાઇસ કેપ્ટન બની શકે છે કેએલ રાહુલ - ન્યુઝીલેન્ડ સામેની મેચ દરમિયાન કેએલ રાહુલ વાઈસ કેપ્ટનની ભૂમિકા નિભાવશે. રોહિત શર્મા અને હાર્દિક પંડ્યાની ગેરહાજરીમાં રાહુલે ઓસ્ટ્રેલિયા સામેની દ્વિપક્ષીય શ્રેણીમાં ટીમનું સુકાન સંભાળ્યું હતું.
ભારત જીત માટે ઉત્સુક છે - ન્યૂઝીલેન્ડનો વર્લ્ડ કપમાં ભારત સામે સારો રેકોર્ડ છે. બંને 10 વખત સામસામે આવી ચૂક્યા છે. ન્યુઝીલેન્ડ 5 વખત જીત્યું છે. ભારત ત્રણ વખત જીત્યું છે. 1 મેચ અનિર્ણિત રહી છે. ભારત છેલ્લે 2003માં ન્યુઝીલેન્ડ સામે જીત્યું હતું. ઝહિર ખાને જોરદાર પરફોર્મન્સ આપ્યું હતું.
ધર્મશાલા સ્ટેડિયમમાં ભારતનું ભાગ્ય ફિફ્ટી ફિફ્ટી - ટીમ ઈન્ડિયાએ ધર્મશાલામાં અત્યાર સુધી પાંચ વનડે મેચ રમી છે. ભારતે બે મેચ જીતી છે, બે હારી છે અને એક મેચ વરસાદને કારણે રદ્દ થઈ છે. ધર્મશાલા સ્ટેડિયમમાં જીતના સંદર્ભમાં ભારતનું નસીબ ફિફ્ટી-ફિફ્ટી રહ્યું છે.
વર્લ્ડ કપમાં લયમાં છે બેટ્સમેન અને બોલરો - ભારતીય ટીમ વર્લ્ડ કપમાં અત્યાર સુધી અજેય રહી છે. બેટ્સમેન અને બોલર બંને લયમાં છે, પરંતુ ન્યુઝીલેન્ડના ઘણા ખેલાડીઓ પણ આઈપીએલ રમે છે અને તેઓ પણ ભારતીય ખેલાડીઓની નબળાઈઓ વિશે જાણે છે, તેઓ મુશ્કેલી ઊભી કરી શકે છે.
હાર્દિકની જગ્યાએ કોણ રમશે? - હાર્દિકની જગ્યાએ પ્લેઈંગ-11માં કોઈને સામેલ કરવું એ એક મોટો પડકાર છે. ટીમ ઈન્ડિયાએ અનુભવી ઓલરાઉન્ડર હાર્દિકને સ્થાન આપવા અંગે કાળજીપૂર્વક વિચારવું પડશે.












Click it and Unblock the Notifications
