World Cup 2023 indian team squad: વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની જાહેરાત, 15 ખેલાડીને મળી જગ્યા
World Cup 2023 indian team squad: આ વર્ષે યોજાનારા વર્લ્ડ કપ માટે ભારતીય ક્રિકેટ ટીમનું જાહેરાત થઇ ગઇ છે. ભારતીય ક્રિકેટ બોર્ડ BCCIએ ટીમની જાહેર કરવામાં આવી છે. મુખ્ય સિલેક્ટર અજિત અગરકરની આગેવાનીમાં સિલેક્શન ટીમે વર્લ્ડ કપ માટે ટીમની જાહેરાત કરી છે.
ઈશાન કિશને સાતત્યપૂર્ણ પ્રદર્શન કરીને વર્લ્ડ કપની ટીમમાં પોતાની જગ્યા બનાવી લીધી છે. રોહિત શર્મા અને અજીત અગરકરે પ્રેસ કોન્ફરન્સ કરીને ટીમની જાહેરાત કરી છે.

રાહુલ-અય્યર ભજવશે મહત્વની ભૂમિકા - પહેલેથી જ અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે, કેએલ રાહુલ અને શ્રેયસ અય્યરને વર્લ્ડ કપ ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. આ બંને ખેલાડીઓ ભારતીય મિડલ ઓર્ડરમાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે.
ઉલ્લેખનીય છે કે, આ બંને ખેલાડીઓ લાંબા સમય બાદ એશિયા કપની વનડે ટીમમાં પરત ફર્યા છે. આવા સમયે આ બંને બેટ્સમેન ભારત માટે ચોથા અને પાંચમાં નંબર પર વર્લ્ડ કપ રમતા પણ જોવા મળી શકે છે.
રોહિત પાસે છે મોટી તક - રોહિત શર્મા પાસે તેની કેપ્ટનશિપમાં ભારતને વર્લ્ડ કપ જીતાડવાની મોટી તક છે. આ પહેલા વર્ષ 2011માં ભારતીય ટીમે મહેન્દ્ર સિંહ ધોનીની કપ્તાનીમાં ODI વર્લ્ડ કપ પર કબ્જો કર્યો હતો.
ટીમ ઈન્ડિયા તેમની 15 સભ્યોની આઈસીસી વર્લ્ડ કપ 2023 ટીમની જાહેરાત મંગળવારે (5 સપ્ટેમ્બર) કરવામાં આવી હતી.રોહિત શર્મા 12 વર્ષ બાદ ફરી એકવાર આ સિદ્ધિનું પુનરાવર્તન કરવા માંગે છે. રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા દિગ્ગજો માટે આ છેલ્લો ODI વર્લ્ડ કપ હોઈ શકે છે.
સેમસનને ન મળ્યો મોકો - સંજુ સેમસનને લઈને ઘણી ચર્ચાઓ ચાલી રહી હતી, પરંતુ સંજુ સેમસનને વર્લ્ડ કપની ટીમમાં તક આપવામાં આવી નથી. આ સિવાય યુઝવેન્દ્ર ચહલ અને આર અશ્વિન જેવા ખેલાડીઓને પણ વર્લ્ડ કપમાં તક મળી નથી. સેમસનને ટીમમાં સામેલ ન કરવા બદલ ચાહકો સોશિયલ મીડિયા પર સતત પોતાનો ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે.
વર્લ્ડ કપ માટેની ભારતીય ક્રિકેટ ટીમ - રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ, ઈશાન કિશન, કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા (વાઈસ કેપ્ટન), સૂર્યકુમાર યાદવ, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, શાર્દુલ ઠાકુર, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, કુલદીપ યાદવ.
-
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત?








Click it and Unblock the Notifications
