વર્લ્ડ કપના હિરો અર્શદિપ સિંહનું પંજાબમાં શાનદાર રીતે સ્વાગત કરાયુ

T20 વર્લ્ડ કપ જીતીને ભારત પરત ફરેલી ભારતીય ક્રિકેટ ટીમનું શાનદાર સ્વાગત કરવામાં આવી રહ્યું છે. વર્લ્ડ કપના હિરો રહેલા અર્શદિપ સિંહનું પંજાબ પહોંચતા જ શાનદાર સ્વાગત કરવામાં આવ્યુ હતું.

પંજાબ કિંગ્સે શનિવારે ચંદીગઢ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર વર્લ્ડ કપ જીત્યા બાદ પોતાના ઝડપી બોલર અર્શદીપ સિંહની વાપસીની ઉજવણી કરી હતી.

Arshdeep Singh

અર્શદીપ 2019 થી IPL ટીમનો ભાગ છે અને તે ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય ખેલાડીઓમાંનો એક છે. તે તાજેતરમાં સમાપ્ત થયેલ 2024 T20 વર્લ્ડ કપ જીતનારી ટીમનો ભાગ હતો.

પોતાના પરિવારની હાજરીમાં પહોંચેલા અર્શદીપનું એરપોર્ટ પર ઢોલ-નગારા સાથે અને ભાંગડાની ટુકડીઓ દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું.

અર્શદીપનું સ્વાગત કરવા એરપોર્ટ પર સેંકડો ચાહકો એકઠા થયા હતા. અહીં પંજાબ કિંગ્સના અધિકારીઓએ તેને હાર પહેરાવી મીઠાઈઓ વહેંચીને સ્વાગત કર્યુ.

બોલ સાથે તેની ઉત્તમ કુશળતા દર્શાવતા અર્શદિપ સિંહે વર્લ્ડ કપ T20 ટૂર્નામેન્ટમાં 17 વિકેટ લીધી. વર્લ્ડ કપમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર તરીકે તે અફઘાનિસ્તાનના ફઝલહક ફારૂકી સાથે સંયુક્ત રીતે પ્રથમ ક્રમે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X