WPL 2023: ફાઇનલ જીત્યા બાદ ભાવુક થઇ હરમનપ્રીત કૌર, આપી આવી પ્રતિક્રીયા
વિમેન્સ પ્રીમિયર લીગની પ્રથમ સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સે વિજય નોંધાવીને ટ્રોફી પર કબજો કર્યો હતો. રોહિત શર્માએ પુરૂષ વિભાગમાં ખિતાબ જીત્યો હતો અને હરમનપ્રીત કૌર મહિલા વિભાગમાં ખિતાબ જીતનારી સુકાની બની છે. દિલ્હી કેપિટલ્સ સામે જીત નોંધાવ્યા બાદ હરમનપ્રીત કૌર ખૂબ જ ખુશ હતી. તેણે કહ્યું કે તેને ખબર પડી કે જીતનો અર્થ શું છે. આ સિવાય કૌરે કહ્યું કે તે ફાઈનલ જીતવા માટે ઘણા વર્ષોથી રાહ જોઈ રહી હતી.

મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટને કહ્યું કે આ એક શાનદાર અનુભવ હતો અને બધા વર્ષોથી આ ક્ષણની રાહ જોઈ રહ્યા હતા. ડ્રેસિંગ ફોર્મમાં આ ટુર્નામેન્ટનો ઘણો આનંદ લીધો અને ફાઈનલ જીતવી એ બધા માટે એક સ્વપ્ન હતું. એવું લાગે છે કે તે સ્વપ્ન હવે સાકાર થયું છે. દરેક જણ પૂછતા હતા કે વિમેન્સ પ્રીમિયર લીગ ક્યારે થશે. તે દિવસ આવી ગયો અને અમે ખુશ છીએ, ખુદ પર ગર્વ પણ છે.
𝐌𝐈ssion Accomplished 💙🥹#OneFamily #MumbaiIndians #AaliRe #WPL2023 #DCvMI #WPLFinal #ForTheWpic.twitter.com/rqzX0GXzSM
— Mumbai Indians (@mipaltan) March 26, 2023
ફાઈનલમાં બેટિંગને લઈને હરમનપ્રીત કૌરે કહ્યું કે લાંબી બેટિંગ લાઈનઅપ હોવાને કારણે અમારે મેદાન પર પોતાની જાતને વ્યક્ત કરવી પડી હતી. બધાએ જે રીતે પ્રદર્શન કર્યું તેનાથી હું ખુશ છું. સફળતા માટે હકારાત્મક રહેવું જરૂરી છે. અમે કેટલાક ફુલ ટોસ બોલ રમવા માટે ભાગ્યશાળી હતા.
Both captains of Indian team
— Harsh Goenka (@hvgoenka) March 26, 2023
Both winners in IPL and #WPL
Both captains of Mumbai Indians
Both great batters
Any other similarities I am missing? 😜 pic.twitter.com/FCvKWnabCI
મુંબઈ ઈન્ડિયન્સની જીત બાદ હર્ષ ગોયેન્કાએ ટ્વિટર પર એક ટ્વીટમાં લખ્યું કે હરમનપ્રીત કૌર અને રોહિત શર્મા બંને ટીમ ઈન્ડિયાના કેપ્ટન છે. બંને વચ્ચે સમાનતા દર્શાવવા માટે ગોએન્કાએ કેટલીક વાતો કહી. તેણે લખ્યું કે બંનેએ IPL અને WPLમાં ટાઇટલ જીત્યા છે. બંને મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન છે અને મહાન બેટ્સમેન પણ છે.
ઉલ્લેખનીય છે કે, મુંબઈ ઈન્ડિયન્સ સામેની ફાઈનલ મેચમાં પ્રથમ બેટિંગ કરતા દિલ્હી કેપિટલ્સે 9 વિકેટે 131 રન બનાવ્યા હતા. વળતી ઇનિંગ્સમાં રમતા મુંબઈ ઇન્ડિયન્સે ત્રણ બોલ બાકી રહેતા લક્ષ્ય હાંસલ કરી લીધો અને મેચ 7 વિકેટે જીતી લીધી. મુંબઈ ઈન્ડિયન્સ તરફથી નતાલી સિવરે અણનમ અડધી સદી ફટકારી હતી.
-
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો





Click it and Unblock the Notifications
