For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પહેલા સચિનને ભારત રત્ન પર મિલ્ખા સિંહે ઉઠાવ્યા સવાલ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 11 જાન્યુઆરી : પોતાના સમયના સ્ટાર એથલીટ મિલ્ખા સિંહે આજે જણાવ્યું કે હૉકીના જાદૂગર ધ્યાનચંદ દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્ન મેળવનાર પહેલા ખેલાડી હોવા જોઇતા હતા. મિલ્ખા સિંહે પત્રકારોને જણાવ્યું કે 'ધ્યાનચંદને પહેલા ભારત રત્ન મળવું જોઇતું હતું. તેઓ તેના સૌથી મોટા હકદાર હતા.'

'ફ્લાઇંગ શીખ'નું માનવું છે કે ક્રિકેટ સ્ટાર સચિન તેંડુલકરને ભારત રત્ન મળવાથી અન્ય ભારતીય ખેલાડીઓ માટે આ પુરસ્કાર મેળવવાનો માર્ગ મોકળો થઇ ગયો છે. તેમણે જણાવ્યું, 'એ સત્ય છે કે સચિનને આ પુરસ્કાર આપવામાં આવ્યો પરંતુ સૌથી પહેલા તે ધ્યાનચંદને મળવું જોઇતું હતું.'

dhyan chand
ઓલિમ્પિક રમત 1960માં પુરુષોની 400 મીટર દોડમાં ચોથા સ્થાન પર રહેવાના કારણે યાદ કરાતા 80 વર્ષીય મિલ્ખા સિંહે બેડમિંટન ખેલાડી સાઇના નેહવાલની પદ્મ ભૂષણની માંગને લઇને ઉઠેલા વિવાદ પર 'તેના સંઘે કહેવું જોઇતું હતું કે તેઓ હકદાર છે અને ત્યારે તેને પુરસ્કાર મળવો જોઇએ. જો આપ ખુદ પુરસ્કાર માટે કહો તો તે ખોટું છે.'

અત્રે નોંધનીય છે કે તત્કાલિન કોંગ્રેસ સરકારે સચિન તેંડુલકરને ભારતરત્ન પુરસ્તાર આપવાનો રાતોરાત નિર્ણય કર્યો હતો. કોઇપણ સ્પોર્ટ્સ પર્સનને આ પહેલા ભારતરત્નથી સન્માનિત કરવામાં આવ્યો નથી. સચિન પહેલા એવા ખેલાડી છે જેમને આ પુરસ્કારથી નવાજવામાં આવ્યા છે. જોકે હોકીના જાદુગર કહેવાતા ધ્યાનચંદને મરણોપરાંત ભારત રત્નથી નવાજવાની માંગ પહેલેથી થતી રહી છે.

English summary
Dhyan Chand should have got Bharat Ratna first: Milkha Singh.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X