For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સચિન વગર ભારતીય ક્રિકેટ દરિદ્રઃ પાક મીડિયા

|
Google Oneindia Gujarati News

બેંગ્લોર, 14 ઓક્ટોબરઃ માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે નિવૃત્તિના સમાચાર માત્ર ભારતમાં જ ચર્ચામાં નથી પરંતુ આંતરરાષ્ટ્રિય મીડિયામાં પણ તેની અસર જોવા મળી છે. પાડોસી દેશ પાકિસ્તાનમાં પણ સચિન તેંડુલકરની નિવૃત્તિના સમાચારને ગંભીરતાપુર્વક વાંચવામાં આવી રહ્યાં છે. ઉર્દુ સમાચારપત્રોમાં તો નહીં પરંતુ અંગ્રેજી સમાચારપત્રોમાં સચિનને લઇને ઘણું બધુ લખવામાં આવી રહ્યુ છે.

કેટલાક સમચારપત્રોએ તો ત્યાં સુધી કહીં દીધુ કે સચિન વગર ભારતીય ક્રિકેટ દરિદ્ર થઇ જશે, કારણ કે સચિન તેંડુલકર માત્ર ક્રિકેટના ખેલાડી જ નહોતા પરંતુ એક બ્રાન્ડનું નામ છે. તેના જવાથી ક્રિકેટના એક યુગનો અંત થશે જે છેલ્લા 24 વર્ષથી ચાલી રહ્યો હતો.

sachin-cake-40
તો બીજી તરફ સમાચારપત્રોએ તેમને સુકાની તરીકે એક નિષ્ફળ વ્યક્તિ ગણાવ્યા છે, પરંતુ ક્રિકેટના તમામ ફોર્મેટમાં અવલ રહેનાર સચિન માટે તે મહત્વની વાત નથી. તેથી તેમાં કોઇ શંકા નથી કે, સચિન એક ગ્રેટ ખેલાડી છે. જેમની પ્રતિભા પર ક્યારેય શંકા કરી શકાય નહીં. નોંધનીય છે કે, આગામી મહિને વેસ્ટ ઇન્ડિઝ સામે થનારી બે મેચોની શ્રેણીની બીજી અને અંતિમ મેચ સચિનની કારકિર્દીની 200મી મેચ હશે. આ મેચ સાથે જ સચિન નિવૃત્તિ લેશે.

બીસીસીઆઇએ શુક્રવારે સ્પષ્ટ કરી દીધું છે કે ક્રિકેટ જગતમાંથી સચિનની વિદાય મુંબઇમાં થશે કારણ કે, તે પોતના મેદાન પર 200મી ટેસ્ટ રમીને નિવૃત્તિ લેશે. કોલકતા અને મુંબઇને આ ટેસ્ટ મેચની મેજબાની મળે તેવી સંભાવના હતી પરંતુ સચિને પોતાની 200મી અને અંતિમ ટેસ્ટ મુંબઇમાં રમવાનો અનુરોધ બીસીસીઆઇ સમક્ષ કર્યો હતો, જેનો સ્વિકાર કરી લેવામાં આવ્યો છે.

English summary
game cricket will be poorer without sachin tendulkar pak media
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X