ભારત અફઘાનિસ્તાન સામે પણ હારશે-શોએબ અખ્તર
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાયેલી કરો અથવા મરો મેચમાં કિવી ટીમે વિરાટ સેનાને આઠ વિકેટે હરાવી હતી.
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાયેલી કરો અથવા મરો મેચમાં કિવી ટીમે વિરાટ સેનાને આઠ વિકેટે હરાવી હતી. દુબઈના મેદાન પર રમાયેલી આ મેચમાં ભારતીય બેટિંગ ફરી એકવાર ફ્લોપ સાબિત થઈ હતી અને નિર્ધારિત 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 110 રન જ બનાવી શકી હતી. જવાબમાં ન્યૂઝીલેન્ડની ટીમે 33 બોલમાં માત્ર 2 વિકેટના નુકસાને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. ભારતીય ટીમની હાર બાદ વિરાટ સેનાના પ્રદર્શનને લઈને સતત નારાજગી જોવા મળી રહી છે અને રમત જગતના ઘણા દિગ્ગજ ખેલાડીઓ પોતાનો અભિપ્રાય આપતા જોવા મળી રહ્યા છે.

હવે આ યાદીમાં પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરનું નામ પણ સામેલ થઈ ગયું છે, જેણે ભારતીય ટીમની આકરી ટીકા કરી છે. પાકિસ્તાનના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે ઓપનિંગ જોડી બદલવાની અને રોહિત શર્માને ત્રીજા નંબર પર મોકલવાની ભારતીય ટીમની રણનીતિ પર સવાલ ઉઠાવ્યા છે. રાવલપિંડી એક્સપ્રેસ તરીકે પ્રખ્યાત આ બોલરનું માનવું છે કે વિરાટ કોહલીએ હાર્દિક પંડ્યા પાસેથી થોડી વહેલી બોલિંગ કરાવવી જોઈતી હતી.
પોતાની યુટ્યુબ ચેનલ પર વાત કરતા અખ્તરે કહ્યું કે, મને ખબર નથી કે ભારતીય ટીમ કઈ માનસિકતા સાથે રમી રહી હતી. શા માટે ઈશાન કિશન ઓપનિંગ અને રોહિત શર્મા ત્રીજા નંબર પર બેટિંગ કરવા આવ્યા હતા. હાર્દિક પંડ્યાને બોલિંગ કરાવવામાં આટલો સમય કેમ લાગ્યો, મને ખબર નથી કે ભારતીય ટીમ ક્યાં ગેમપ્લાન સાથે રમી. જાણે સાવ ભૂલાયેલી ભારતીય ટીમ મેદાન પર રમી રહી હતી. વર્લ્ડ કપ વિશે વધુ વાત કરતા શોએબ અખ્તરે કહ્યું કે ભારતીય ટીમ વચ્ચેની ઓવરોમાં સંપૂર્ણપણે હારી ગયેલી દેખાતી હતી.
ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં ભારત મેચ બચાવવામાં નિષ્ફળ રહ્યું. અખ્તરે વધુમાં કહ્યું કે ટૂર્નામેન્ટ પહેલા ભારતીય મીડિયાએ જે પ્રકારનું વાતાવરણ બનાવ્યું તે પછી મને પહેલેથી જ ખબર હતી કે ભારતીય ટીમને ખૂબ જ મુશ્કેલ પડવાની છે.
તેમને કહ્યું કે, ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી એવું નથી લાગ્યું કે ભારતીય ટીમ રમી રહી છે. ભારતે માત્ર સરેરાશ પ્રદર્શન કર્યું છે. ભારતીય મીડિયાએ જે રીતે વાતાવરણ અને દબાણ ઊભું કર્યું તે પછી મને પહેલેથી જ ખબર હતી કે તે સંઘર્ષ કરવાનો થશે. ભારતીય ટીમે ફરી સાબિત કર્યું કે તેની પાસે નબળું બોલિંગ આક્રમણ છે.
અખ્તરે વધુમાં કહ્યું કે ભારતીય ટીમે જે રીતે પ્રદર્શન કર્યું છે તે જોઈને લાગે છે કે અફઘાનિસ્તાન ટીમ સામે પણ મેચ ન હારી જાય. જો ભારતે પોતાનું સન્માન બચાવવું હોય તો અફઘાનિસ્તાન સામેની મેચ જીતવી પડશે. ભારતીય ટીમ માટે અત્યારે ઘણી બધી બાબતો ખરાબ થઈ રહી છે.
અખ્તરે કહ્યું કે, અફઘાનિસ્તાન સામેની મેચ ભારતીય ટીમ માટે ખરાબ નસીબ લાવી શકે છે, જો ભારતે તેની પ્રતિષ્ઠા બચાવવી હોય તો અફઘાનિસ્તાન સામે કોઈ પણ રીતે જીતવું પડશે. હવે હું જે સમજું છું તે એ છે કે જો અફઘાનિસ્તાનની ટીમ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લેશે તો ભારતીય ટીમ મોટી મુશ્કેલીમાં મુકાશે. અબુ ધાબીમાં યોજાનારી આ મેચમાં બોલ અટકી જાય છે અને જો ભારત 150 થી 170 સુધીનો સ્કોર બનાવી શકે છે તો પણ અફઘાનિસ્તાન તેને છોડશે નહીં. આ સમયે ભારત માટે સ્થિતિ ખૂબ જ ખરાબ દેખાઈ રહી છે.
-
Gold Rate Today: યુદ્ધ વચ્ચે સોનામાં મોટો ઘટાડો, 7000 રુપિયા સસ્તું, કેમ ઘટી રહ્યા છે ભાવ? જાણો લેટેસ્ટ કિંમત -
શાહરૂખ-સલમાનને પછાડી બોક્સ ઓફિસ પર 'ધુરંધર' બન્યો રણવીર સિંહ, ટોપ 5માં સામેલ છે આ ફિલ્મો -
Gujarat Weather: રાજ્યમાં કરા સાથે કમોસમી વરસાદની આગાહી, 80થી વધુ તાલુકામાં નોંધાયો વરસાદ -
છેલ્લા 24 કલાકમાં 121 તાલુકામાં કમોસમી વરસાદ, જાણો સૌથી વધુ ક્યાં? -
અમદાવાદના ભદ્ર ફેરીયા બજાર મુદ્દે સુપ્રીમ કોર્ટનો મહત્વનો આદેશ, જાણો શું કહ્યું કોર્ટે? -
ગુજરાતમાં હજુ માવઠાની રાહત નહીં, 22 માર્ચ પછી વધુ એક સિસ્ટમનો ખતરો -
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના આસિસ્ટન્ટ કમિશનર 1 લાખની લાંચ લેતા ઝડપાયા -
અમદાવાદના મયુર ડાયકેમ સાથે જોડાયેલા સ્થળો પર ઈન્કમટેક્સના દરોડા -
Weather News: યુપી-બિહાર સહિત 8 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Rupee vs Dollar: ઈરાન-ઈઝરાયલ યુદ્ધની ભારત પર સીધી અસર! ડોલર સામે રૂપિયો ગગડ્યો, શું છે આજનો રેટ? -
ગુજરાતમાં આગામી 7 દિવસ કમોસમી વરસાદની આફત, ત્યારબાદ એપ્રિલમાં હીટવેવની આગાહી -
CSK IPL Schedule 2026: ચેન્નાઈ સુપર કિંગ્સનું શેડ્યૂલ, ફરી દેખાશે માહીનો જલવો, સેમસન પણ મચાવશે તબાહી?











Click it and Unblock the Notifications
