For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આજે ભારતીય ટીમની પસંદગી, સચિન પર નજર રહેશે

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

sachin-tendulkar
મુંબઇ, 27 નવેમ્બર: ઇગ્લેંડ સામે ચાલી રહેલી ચાર મેચોની ટેસ્ટ શ્રૃંખલામાં હવે બે મેચ બાકી રહી છે અને બે ટ્વેન્ટી-20 મુકાબલા માટે આજે ભારતીય ટીમની પસંદગી કરવામાં આવશે. ટીમની પસંદગીમાં બધાની નજર સચીન તેંડુલકર પર ટકી રહેશે. કારણે ગત મેચોમાં સચિન તેંડુલકરે રન બનાવ્યા નથી અને ટીમમાં તેમનો સમાવેશ કરવાના મુદ્દે કેટલાક પ્રશ્નો ઉભા થયાં છે. એવા સમયે રસપ્રદ વાત એ છે કે પસંદગીકારો સચિન તેંડુલકર પર વિશ્વાસ મુકે છે કે નહી. ત્રીજી ટેસ્ટ મેચ પાંચ ડિસેમ્બરના રોજ કલકત્તાના ઇડન ગાર્ડન સ્ટેડિયમમાં રમાશે. જ્યારે ચોથી ટેસ્ટ મેચ નાગપુરના વિદર્ભ ક્રિકેટ સંધના મેદાન પર યોજાવવાની છે.

બીસીસીઆઇ સચિવ અને પસંદગી સમિતિના સંજય જગદાલે જણાવ્યું હતું કે પસંદગી સમિતિની મુંબઇમાં બેઠક યોજાશે જેમાં આગામી બે ટેસ્ટ મેચો માટે ટીમની પસંદગી કરવામાં આવશે. કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની અને કોચ ડંકન ફ્લેચર પણ પસંદગી સમિતિમાં ભાગ લેશે. પરંતુ તેમને મત આપવાનો અધિકાર નથી. જો મહેન્દ્ર સિંહ ધોનીનું ચાલે તો તે આગામી બે મેચ માટે ટીમમાં વધુ ફેરફાર થઇ શકે છે.

મહેન્દ્ર સિંહ ધોનીએ બીજી ટેસ્ટ મેચમાં દસ વિકેટે જોરદાર હાર મેળવ્યા બાદ કહ્યું હતું કે ટીમમાં મોટાપાયે ફેરફાર થવાની સંભાવના છે. અમારી સારા વિકલ્પ છે પરંતુ એક અથવા બે મેચ બાદ ખેલાડીઓને બદલી કે રોટેટ કરી ન શકાય. તમારે તેમને જરૂરી તક આપવી જોઇએ.

અમદાવાદમાં રમવામાં આવેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતે નવ વિકેટે જીત મેળવી હતી. બીજી ટેસ્ટ મેચમાં ઇગ્લેંડે ભારતને 10 વિકેટે હરાવ્યું હતું. ટેસ્ટ શ્રૃંખલા બાદ ટ્વેંટી-20 મેચ રમાવવાની છે. આ મેચોનું આયોજન પુણાના સુબ્રતો રોય સ્ટેડિયમમાં અને મુંબઇમાં થવાનું છે. મેચ ક્રમશ 20 અને 22 ડિસેમ્બરે રમાશે.

English summary
The Indian team for the third Test at Kolkata (Dec. 5-9) and fourth at Nagpur (Dec. 13-17) will be selected here on Tuesday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X