ઇંઝમામ ફરી બનશે કપ્તાન, આવતા મહિને શારજાહમાં ટકરાશે ભારત-પાક.

પાકિસ્તાની વેટરન્સ ક્રિકેટ એસોશિએશનના ચેરમેન ફવદ ઇજાજે જણાવ્યું કે બંને મેચ 40-40 ઓવરની રહેશે. મેચનું આયોજન શારજાહમાં થશે. ભારત અને પાકિસ્તાનના વર્તમાન રાજનૈતિક સંબંધોને ધ્યાનમાં રાખી આ શ્રેણીનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
ઇજાજનું કહેવું છે કે ઇંઝમામના કારણે પાકિસ્તાન ટીમની સ્થિતિ ઘણી મજબૂત છે. ટીમમાં પૂર્વ પાકિસ્તાન ક્રિકેટ ટીમ કપ્તાન મોઇન ખાન અને રાશિદ અલાવા અન્ય પૂર્વ આંતરરાષ્ટ્રીય ખેલાડીઓનો સમાવેશ થાય છે.
ઇજાજનું કહેવું છે કે તેમને ભારત પાસેથી આ શ્રેણીનું આયોજન કરવા માટે પણ સારો એવો સાથ સહકાર મળી રહ્યો છે. તેમણે ભારતીય ટીમમાં પણ પૂર્વ સારા ખેલાડીઓનો સમાવેશ કરવાની સંભાવના છે. ભારતીય વેટરન્સ ટીમની જાહેરાત હજી નથી થઇ.












Click it and Unblock the Notifications
