IPL 2021 : RCB ને 4 વિકેટે હરાવી કોલકાતા બીજા ક્વોલિફાયરમાં પહોંચ્યું!
ઈન્ડિયન પ્રીમિયર લીગની 14 મી સીઝનની એલિમિનેટર મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે શારજાહના મેદાન પર રમાઈ હતી, જ્યાં પોતાની પ્રથમ ટ્રોફીની શોધમાં લાગેલી આરસીબીની ટીમ ફરી એક વખત નિરાશ થઈ છે.
નવી દિલ્હી : ઈન્ડિયન પ્રીમિયર લીગની 14 મી સીઝનની એલિમિનેટર મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે શારજાહના મેદાન પર રમાઈ હતી, જ્યાં પોતાની પ્રથમ ટ્રોફીની શોધમાં લાગેલી આરસીબીની ટીમ ફરી એક વખત નિરાશ થઈ છે. શારજાહ મેદાન પર રમાયેલી આ એલિમિનેટર મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો અને નિર્ધારિત 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને માત્ર 138 રન બનાવ્યા હતા. જવાબમાં કેકેઆરની ટીમે 6 વિકેટ ગુમાવીને આ સ્કોર સરળતાથી હાંસલ કરી લીધો હતો.

આ જીત સાથે કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમ IPL 2021 ના બીજા પ્લેઓફમાં ક્વોલિફાય થઈ ગઈ છે અને હવે તે જ મેદાન પર દિલ્હી કેપિટલ્સ સામે પ્લેઓફ મેચ રમશે. KKR માટે આ મેચમાં સુનીલ નારાયણ જીતનો હીરો રહ્યો, તેને પ્રથમ બોલિંગમાં 4 વિકેટ લીધી અને બેટિંગમાં 3 સિક્સર ફટકારીને 26 રનની ઇનિંગ પણ રમી હતી.
ટોસ જીત્યા બાદ બેટિંગ પસંદ કરતા આરસીબી ટીમે સારી શરૂઆત કરી અને પાવરપ્લેમાં 53 રન બનાવ્યા, પરંતુ પાવરપ્લે બાદ સુનીલ નારાયણે કોલકત્તા ટીમની વાપસી કરાવી અને કેએસ ભરત (9), વિરાટ કોહલી (39), ગ્લેન મેક્સવેલ (15) અને એબી ડી વિલિયર્સ (11) ની વિકેટ લઈને આરસીબીની કમર તોડી નાખી. સુનીલ નારાયણે તેની 4 ઓવરના સ્પેલમાં માત્ર 21 રન આપીને 4 વિકેટ લીધી હતી, જેના કારણે આરસીબી ટીમ નિર્ધારિત 20 ઓવરમાં માત્ર 138 રન બનાવી શકી હતી.
જવાબમાં શુભમન ગિલ (29) અને વકતેશ અય્યર (26) એ KKR માટે 41 રનની ભાગીદારી નોંધાવી હતી. હર્ષલ પટેલે બંને ઓપનરોને પેવેલિયન પરત મોકલ્યા, યુઝવેન્દ્ર ચહલે પોતાની ટીમને પરત લાવવા રાહુલ ત્રિપાઠી (6) અને નીતિશ રાણા (23) ની વિકેટ લીધી. જો કે, આ દરમિયાન સુનીલ નારાયણે ડેનિયલ ક્રિશ્ચિયનની એક ઓવરમાં 3 સિક્સર ફટકારીને મેચની દિશા બદલી નાખી અને એક ઓવરમાં 21 રન લઈને આરસીબીને સંપૂર્ણપણે પછાડી દીધું.
કેકેઆરની ટીમને જીતવા માટે 18 બોલમાં 18 રનની જરૂર હતી ત્યારે કેપ્ટન કોહલીએ સિરાજને બોલિંગ માટે બોલાવ્યો, જેણે પોતાની ટીમને પરત લાવવા માટે એક જ ઓવરમાં બે વિકેટ લીધી. ત્યારબાદ તેને જીતવા માટે 12 બોલમાં 12 ની જરૂર હતી. જ્યોર્જ ગાર્ટેને 19 મી ઓવરમાં 5 રન આપ્યા. ડેનિયલ ક્રિશ્ચિયન છેલ્લી ઓવરમાં બોલિંગ માટે આવ્યો, આ ઓવરમાં શાકિબ અલ હસને પ્રથમ બોલમાં ચોગ્ગો ફટકાર્યો બાકીના 4 બોલમાં 3 રન લઈને 4 વિકેટથી જીત મેળવી.
-
IPL 2026: ઓરેન્જ કેપ માટે આ 5 વિસ્ફોટક બેટ્સમેનો વચ્ચે જામશે જંગ -
Silver price today: ચાંદી 4,219 રૂપિયા મોંઘી થઈ, રોકાણકારો માટે મોટા સમાચાર -
યુનિફોર્મ સિવિલ કોડને લઈને ગુજરાત સરકાર એક્શનમાં, સમિતિએ ભલામણો સોંપી -
પાકિસ્તાનની નાકાપ હરકત, અફઘાનિસ્તાનમાં હોસ્પિટલ પર બોમ્બમારો, 400 લોકોના મોત -
LPG Cylinder: કોમર્શિયલ ગેસ સિલિન્ડર પર સરકારનો ચોંકાવનારો નિર્ણય, આજથી બદલાયા નિયમ! -
યુદ્ધની સ્થિતિ વચ્ચે IIM-Aનો મોટો નિર્ણય: દુબઈના MBA વિદ્યાર્થીઓ અમદાવાદ કેમ્પસમાં ભણશે -
Weather Today: યુપી-એમપી સહિત 6 રાજ્યોમાં વરસાદની આશંકા, રાજસ્થાનમાં હીટવેવનું એલર્ટ જાહેર -
IPL 2026 : સનરાઈઝર્સની કમાન ઈશાન કિશના હાથમાં, સ્ટેન્ડઈન કેપ્ટન નિયુક્ત -
ગુજરાતમાં જલ્દી બદલાઈ જશે લગ્ન અને લીવ ઈનના નિયમો, અહેવાલ સોંપાયો -
જામનગર પંથકમાં કમોસમી વરસાદ, કાલથી આ જિલ્લાઓમાં આગાહી -
રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવશે, જાણો પુરો કાર્યક્રમ -
Gujarat Weather: રાજ્યમાં આજથી ત્રણ દિવસ કમોસમી વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં માવઠાની શક્યતા








Click it and Unblock the Notifications
