For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કલકત્તામાં હાર માટે બેટ્સમેનો જવાબદાર છે: ધોની

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

dhoni-sachin
કલકત્તા, 9 ડિસેમ્બર: ઇગ્લેંડ સામે સતત બીજી ટેસ્ટ મેચમાં હાર મેળવ્યા બાદ નિરાશ અને શરમ અનુભવતાં મહેન્દ્ર સિંહ ધોનીએ આ હાર માટે બેટ્સમેનોને જવાબદાર ગણાવતાં કહ્યું હતું કે તે સારી શરૂઆતને મોટો સ્કોરમાં બદલવામાં ભારતીય બેટ્સમેનો નિષ્ફળ રહ્યાં છે. ઇગ્લેંડે આજે ત્રીજી ટેસ્ટ મેચમાં ભારતને સાત વિકેટે હરાવી ચાર મેચોની શ્રેણીમાં 2-1 થી બઢત મેળવી લીધી છે.

ભારતીય ટીમે ગત બે ટેસ્ટ મેચોમાં ખરાબ રીતે નિષ્ફળ રહી હતી અને જો કે હાલમાં તેની નજર 13 ડિસેમ્બરે નાગપુરમાં યોજાંરી ચોથી અને અંતિમ ટેસ્ટમાં જીત મેળવી આ શૃંખલામાં બરાબરી મેળવી લેવા આતુર છે. મહેન્દ્ર સિંહ ધોનીએ મેચ બાદ પુરસ્કાર વિતરણ દરમિયાન કહ્યું હતું કે અમારા બેટ્સમેનો વધારે રન બનાવવા પડશે. અમે સતત 300 રનથી વધારેનો સ્કોર ઉભો કર્યો છે. આ વિકેટ પર અમે 450 કે તેથી વધુ રન બનાવવા માંગતા હતા. જે બેટ્સમેનોએ સારી શરૂઆત કરી તેવો તેનો મોટા સ્કોરમાં ફેરવવામાં નિષ્ફળ રહ્યાં છે.

ભારતીય ટીમ બીજા દાવમાં ફક્ત 247 રન બનાવી શકી હતી જેથી ઇગ્લેંડને 41 રનનો ટાર્ગેટ મળ્યો. આ અંગે મહેન્દ્ર સિંહ ધોનીએ કહ્યું હતું કે બીજા દાવમાં અમારા બેસ્ટમેનો ધ્વસ્ત થઇ ગયા હતા. ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ કહ્યું હતું કે તેમની ટીમ નાગપુરમાં ચોથી ટેસ્ટમાં મજબૂત વાપસી કરશે. અમારે નાગપુરમાં સારું પ્રદર્શન કરવું પડશે. બધાએ જવાબદારી ઉપાડવાની જરૂર છે. તેમની બોલીંગ અને ફિલ્ડિંગ સારી હતી. તે સારી બેટીંગ કરશે પણ અમારે જવાબ આપવો પડશે.

English summary
Mahendra Singh Dhoni today held his batsmen responsible for the debacle, saying that they failed to convert starts into substantial innings.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X