For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અઝરૂદ્દીન પર બેન લગાવવાનો નિર્ણય ખોટો: આંધ્ર પ્રદેશ હાઇકોર્ટ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

mohammad-azharuddin
હૈદ્રાબાદ, 8 નવેમ્બર: આંધ્ર પ્રદેશ હાઇકોર્ટે ગુરૂવારે એક મહત્વપૂર્ણ ચૂકાદાથી ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ક્રિકેટર અને કોંગ્રેસ સાંસદ મોહંમદ અઝરૂદ્દીનને મોટી રાહત મળી છે. આંધ્ર પ્રદેશ હાઇકોર્ટે પોતાના ચૂકાદામાં મોહંમદ અઝરૂદીન પર આજીવન ક્રિકેટ રમવા પર પ્રતિબંધ લગાવવાના નિર્ણયને ખોટો ગણાવ્યો છે.

કોર્ટે પોતાના આદેશમાં બીસીસીઆઇ (ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ)ને કહ્યું હતું કે મોહંમદ અઝરૂદીન પર આજીવન ક્રિકેટ રમવાના મુદ્દે મનાઇ ફરમાવી હતી જે બિલ્કુલ ખોટી છે. આ નિર્ણય એક તરફ મોહંમદ અઝરૂદીન માટે રાહત ભર્યા સમાચાર છે તો બીજી તરફ બીસીઆઇને માટે ઝટકો છે. મેચ ફિક્સિંગમાં મોહંમદ અઝરૂદીન કથિત રીતે સામેલ હોવાના આરોપોને ધ્યાનમાં રાખતાં બીસીઆઇએ થોડા વર્ષો પહેલાં મોહંમદ અઝરૂદીન પર આજીવન ક્રિકેટ રમવાની મનાઇ ફરમાવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે અઝરૂદ્દીન મેચ ફિક્સિંગને આરોપોને હંમેશા નકારતાં આવ્યાં છે અને થોડા દિવસો પહેલાં તેમને ઘરેલૂ ક્રિકેટ મેચ રમાવા અંગેની બીસીસીઆઇએ પરવાનગી આપી હતી.

English summary
In a major relief to former Indian skipper Mohammad Azharuddin, the Andhra Pradesh High Court on Thursday termed the life ban imposed on him illegal.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X