મોહાલી ટેસ્ટઃ પહેલા દિવસે ઇન્દ્રદેવની જોરાદાર બેટિંગ

આ પહેલાં બુધવારે રાતથી જ ચંદીગઢ અને તેની આસપાસના પંજાબના ભાગોમાં વરસાદ પડી રહ્યો હતો. વરસાદના કારણે બન્ને ટીમના સુકાનીઓ ટોસ ઉછાળવા માટે મેદાન પર આવી શક્યા નહોતા. સવારે 10 વાગ્યે થોડાક સમય માટે વરસાદ રોકાયો અને ત્યારબાદ મેદાનકર્મીઓ સ્ટેડિયમમાંથી પાણી કાઢવાના કામમાં જોતરાઇ ગયા. એવો અનુમાન લગાવવામાં આવી રહ્યો હતો કે પહેલા સત્રનો ખેલ 12 વાગ્યે શરૂ થઇ શકે છે, પરંતુ ફરી એકવાર વરસાદ પડતા આશાઓ પર પાણી ફરી વળ્યું હતું.
મેચના બીજા અમ્પાયર રિચર્ડ કૈટેલબોરોએ જણાવ્યું હતું કે 12 વાગ્યા સુધી મેદાનને ચકાસવામાં આવશે, જેથી ત્યારબાદ સત્રનો ખેલ કોઇપણ જાતના વિક્ષેપ વગર ચાલું રહેશે. રિચર્ડના આ ખુલાસા બાદ ફરી એકવાર વરસાદ પડ્યો. ત્યાર બાદ મેચ શરૂ થવા પર શંકાના વાદળો ઘેરાવા લાગ્યા હતા. આ મેચનો ટોસ પણ ઉછળી શક્યો નથી. પહેલો દિવસ વેડફાઇ જવાના કારણે આગામી ચાર દિવસે મેચ નવ વાગ્યે શરુ થશે અને અંતિમ સત્રમાં અડધા કલાકનો વધારો કરવામાં આવી શકે છે.












Click it and Unblock the Notifications
