ટૂંક સમયમાં આઇપીએલમાંથી નિવૃતિ લઇ શકે છે રાહુલ દ્રવિડ!

Rahul-Dravid
રાજસ્થાન રોયલ્સના સુકાની રાહુલ દ્રવિડે સંકેત આપ્યા છે કે તે ચેમ્પિયન્સ લીગ ટી20 બાદ ઇન્ડિયન પ્રીમિયર લીગ(આઇપીએલ)માંથી નિવૃત્તિ લઇ શકે છે.

આઇપીએલના આગામી આવૃત્તિમાં રમવાને લઇને પૂછવામા આવેલા પ્રશ્ન પર તેમણે કહ્યું કે, હું 41 વર્ષનો છું, 12 મહિનાનો સમય એક લાંબી અવધી છે. રાજસ્થાન રોયલ્સ 17 સપ્ટેમ્બરથી ભારતમાં થનારી ચેમ્પિયન્સ લીગ ટી-20 માટે ક્વોલિફાય કરી ચુકી છે, તેથી દ્રવિડે કહ્યું છે કે સંભવતઃ આ એક ટૂર્નામેન્ટ પછી તે આઇપીએલ નહીં રમે.

ઇડન ગાર્ડન્સમાં શુક્રવારે બીજી ક્વોલીફાયરમાં મુંબઇ ઇન્ડિયન્સ સામે તેમની ટીમને મળેલી હાર બાદ તેમણે મીડિયાકર્મીઓને કહ્યું કે, સૌભાગ્યવશ અમે ચેમ્પિયન્સ લીગ માટે ક્વોલીફાય કરી લીધુ છે. તેથી હું કેટલાક મહિના વધુ રમીશ.

આઇપીએલની 89 મેચોમાં 2,174 રન બનાવી ચૂકેલા દ્રવિડે આ પહેલા એક કાર્યક્રમ દરમિયાન કહ્યું હતું કે તે પોતાની ટીમ સાથે પોતાના ભવિષ્ય અંગે ચર્ચા કરવા માગે છે. રાહુલ ક્રિકેટના અન્ય તમામ ભાગોમાંથી પહેલા નિવૃત્તિ લઇ ચૂક્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X