ટૂંક સમયમાં આઇપીએલમાંથી નિવૃતિ લઇ શકે છે રાહુલ દ્રવિડ!

આઇપીએલના આગામી આવૃત્તિમાં રમવાને લઇને પૂછવામા આવેલા પ્રશ્ન પર તેમણે કહ્યું કે, હું 41 વર્ષનો છું, 12 મહિનાનો સમય એક લાંબી અવધી છે. રાજસ્થાન રોયલ્સ 17 સપ્ટેમ્બરથી ભારતમાં થનારી ચેમ્પિયન્સ લીગ ટી-20 માટે ક્વોલિફાય કરી ચુકી છે, તેથી દ્રવિડે કહ્યું છે કે સંભવતઃ આ એક ટૂર્નામેન્ટ પછી તે આઇપીએલ નહીં રમે.
ઇડન ગાર્ડન્સમાં શુક્રવારે બીજી ક્વોલીફાયરમાં મુંબઇ ઇન્ડિયન્સ સામે તેમની ટીમને મળેલી હાર બાદ તેમણે મીડિયાકર્મીઓને કહ્યું કે, સૌભાગ્યવશ અમે ચેમ્પિયન્સ લીગ માટે ક્વોલીફાય કરી લીધુ છે. તેથી હું કેટલાક મહિના વધુ રમીશ.
આઇપીએલની 89 મેચોમાં 2,174 રન બનાવી ચૂકેલા દ્રવિડે આ પહેલા એક કાર્યક્રમ દરમિયાન કહ્યું હતું કે તે પોતાની ટીમ સાથે પોતાના ભવિષ્ય અંગે ચર્ચા કરવા માગે છે. રાહુલ ક્રિકેટના અન્ય તમામ ભાગોમાંથી પહેલા નિવૃત્તિ લઇ ચૂક્યા છે.












Click it and Unblock the Notifications
