ટૂંક સમયમાં આઇપીએલમાંથી નિવૃતિ લઇ શકે છે રાહુલ દ્રવિડ!

આઇપીએલના આગામી આવૃત્તિમાં રમવાને લઇને પૂછવામા આવેલા પ્રશ્ન પર તેમણે કહ્યું કે, હું 41 વર્ષનો છું, 12 મહિનાનો સમય એક લાંબી અવધી છે. રાજસ્થાન રોયલ્સ 17 સપ્ટેમ્બરથી ભારતમાં થનારી ચેમ્પિયન્સ લીગ ટી-20 માટે ક્વોલિફાય કરી ચુકી છે, તેથી દ્રવિડે કહ્યું છે કે સંભવતઃ આ એક ટૂર્નામેન્ટ પછી તે આઇપીએલ નહીં રમે.
ઇડન ગાર્ડન્સમાં શુક્રવારે બીજી ક્વોલીફાયરમાં મુંબઇ ઇન્ડિયન્સ સામે તેમની ટીમને મળેલી હાર બાદ તેમણે મીડિયાકર્મીઓને કહ્યું કે, સૌભાગ્યવશ અમે ચેમ્પિયન્સ લીગ માટે ક્વોલીફાય કરી લીધુ છે. તેથી હું કેટલાક મહિના વધુ રમીશ.
આઇપીએલની 89 મેચોમાં 2,174 રન બનાવી ચૂકેલા દ્રવિડે આ પહેલા એક કાર્યક્રમ દરમિયાન કહ્યું હતું કે તે પોતાની ટીમ સાથે પોતાના ભવિષ્ય અંગે ચર્ચા કરવા માગે છે. રાહુલ ક્રિકેટના અન્ય તમામ ભાગોમાંથી પહેલા નિવૃત્તિ લઇ ચૂક્યા છે.
More From
-
T20 World Cup : વર્લ્ડ કપ જીત્યા બાદ ઈશાન કિશને ગર્લફ્રેન્ડ સાથે ઉજવણી કરી, જુઓ ફોટો -
T20 world cup : સુર્યકુમાર યાદવ નિવૃતિ લેશે? જાણો ખુદ શું કહ્યું? -
IND vs NZ: કોહલી સાથે ખાસ ક્લબમાં સંજુ સેમસન સામેલ, ટીમ ઈન્ડિયાએ બનાવ્યો ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડ -
ઈરાન-અમેરિકા યુદ્ધમાં ભારત કયા પક્ષમાં? સંસદમાં શું કહ્યું સરકારે? -
પરસેવો પાડવા તૈયાર થઈ જાવ, હવામાન વિભાગની હિટવેવની આગાહી -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ -
અમદાવાદમાં આકાર લેશે ભવ્ય 'સ્પોર્ટ્સ એન્ક્લેવ', ઓલિમ્પિક સ્તરની સુવિધાઓ માટે સરકારે ખોલી તિજોરી




Click it and Unblock the Notifications
