કોહલી અને શાસ્ત્રીની કેમીસ્ટ્રીથી માહી બન્યા ટેસ્ટમાં હિસ્ટ્રી
નવી દિલ્હી, 31 ડિસેમ્બર: ટીમ ઇન્ડિયાના કેપ્ટન કૂલ કપ્તાન મહેન્દ્ર સિંહ ધોનીએ સફેટ ટીશર્ટને અલવિદા કહી દીધી. આમ અચાનક ટેસ્ટ મેચમાંથી સંન્યાસ જાહેર કરવના ધોનીના નિર્ણયે સૌને અચંબામાં મૂકી દીધા. તેમના ચાહકો અને બીસીસીઆઇના અધિકારીઓમાં પણ એક જ પ્રશ્ન રમી રહ્યો છે કે તેમણે અચાનક આ નિર્ણય કેમ લીધો?
એક અંગ્રેજી અખબારના અહેવાલ અનુસાર 'ધોનીએ આ નિર્ણય અચાનક નથી લીધો. તેમને ઘણી વખત સંકેત આપી દેવામાં આવ્યા હતા. આ અખબારના અહેવાલ અનુસાર રિપોર્ટ અનુસાર ભારતીય ટીમના બદલાતા સમીકરણોના કારણે ધોનીએ આ નિર્ણય લીધો છે. જોકે ધોનીના સંન્યાસની પાછળનું કારણ ટીમની અંદર સમીકરણોમાં આવેલા ફેરફાર રહ્યા.'

ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન એડિલેડ ટેસ્ટમાં જ્યારે કોહલીના શાનદાર પ્રદર્શનથી ટીમ જીતની નજીક પહોંચી તો કોહલી-શાસ્ત્રી પાર્ટનરશિપની વાત ઉઠવા લાગી. એવામાં ધોની આ પાર્ટનરશિપનો ભાગ બનવા માંગતા ન્હોતા. અને તેમણે તેનાથી અલગ રહેવાનું યોગ્ય સમજ્યું. પોતાની આ જ સમજનું ઉદાહરણ આપતા ધોનીએ ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહી દીધી. કહેવામાં એ પણ આવી રહ્યું છે કે વર્લ્ડકપ બાદ ધોની વનડેને પણ અલવિદા કહી શકે છે.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
