કોહલી અને શાસ્ત્રીની કેમીસ્ટ્રીથી માહી બન્યા ટેસ્ટમાં હિસ્ટ્રી
નવી દિલ્હી, 31 ડિસેમ્બર: ટીમ ઇન્ડિયાના કેપ્ટન કૂલ કપ્તાન મહેન્દ્ર સિંહ ધોનીએ સફેટ ટીશર્ટને અલવિદા કહી દીધી. આમ અચાનક ટેસ્ટ મેચમાંથી સંન્યાસ જાહેર કરવના ધોનીના નિર્ણયે સૌને અચંબામાં મૂકી દીધા. તેમના ચાહકો અને બીસીસીઆઇના અધિકારીઓમાં પણ એક જ પ્રશ્ન રમી રહ્યો છે કે તેમણે અચાનક આ નિર્ણય કેમ લીધો?
એક અંગ્રેજી અખબારના અહેવાલ અનુસાર 'ધોનીએ આ નિર્ણય અચાનક નથી લીધો. તેમને ઘણી વખત સંકેત આપી દેવામાં આવ્યા હતા. આ અખબારના અહેવાલ અનુસાર રિપોર્ટ અનુસાર ભારતીય ટીમના બદલાતા સમીકરણોના કારણે ધોનીએ આ નિર્ણય લીધો છે. જોકે ધોનીના સંન્યાસની પાછળનું કારણ ટીમની અંદર સમીકરણોમાં આવેલા ફેરફાર રહ્યા.'

ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન એડિલેડ ટેસ્ટમાં જ્યારે કોહલીના શાનદાર પ્રદર્શનથી ટીમ જીતની નજીક પહોંચી તો કોહલી-શાસ્ત્રી પાર્ટનરશિપની વાત ઉઠવા લાગી. એવામાં ધોની આ પાર્ટનરશિપનો ભાગ બનવા માંગતા ન્હોતા. અને તેમણે તેનાથી અલગ રહેવાનું યોગ્ય સમજ્યું. પોતાની આ જ સમજનું ઉદાહરણ આપતા ધોનીએ ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહી દીધી. કહેવામાં એ પણ આવી રહ્યું છે કે વર્લ્ડકપ બાદ ધોની વનડેને પણ અલવિદા કહી શકે છે.












Click it and Unblock the Notifications
