For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સેહવાગ ઇજાના કારણે ટી-20 ચેમ્પિયન્સ લીગમાંથી થઇ શકે છે બહાર

|
Google Oneindia Gujarati News

virendra sehwag
કોલંબો, 3 ઓક્ટોબર: ભારત ટી-ટ્વેન્ટી વિશ્વકપના મુકાબલામાંથી બહાર થઇ ગયા બાદ વિરેન્દ્ર સેહવાગ માટે એક નિરાશાજનક સમાચાર સામે આવી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે સેહવાગ આવનાર ટી-ટ્વેન્ટી ચેમ્પિયન્સ લીગમાં ઇજાના કારણે ભાગ લઇ શકશે નહીં.

ભારતીય ક્રિકેટ ટીમના મીડિયા મેનેજર ડો. આર. એન. બાબાએ જણાવ્યું હતું કે આઇસીસી વર્લ્ડ ટ્વેન્ટી 20માં સાઉથ આફ્રિકા સામેની મેચમાં સેહવાગને ડાભા પગમાં ઇજા પહોંચી હતી. જેના કારણે સહેવાગે 14 દિવસનો આરામ કરવાની જરૂર છે.

ચોથી ઓવરમાં જ્યારે ઈરફાન પઠાણે જેકસ કાલિસની વિકેટના સેલિબ્રેશન વખતે સેહવાગ ઇજાગ્રસ્ત થઇ ગયો હતો. ત્યારબાદ તેના બદલે ફિલ્ડીંગમાં મનોજ તિવારીને મેદાનમાં ઉતારવામાં આવ્યો હતો. પછી છેક સુધી સેહવાગ મેદાનમાં પાછો ફર્યો ન હતો.

સેહવાગનું ટીમમાં ના હોવું એ દેલ્હી ડેરડેવિલ્સ માટે નુકસાનરૂપ સાબિત થઇ શકે છે, કારણ કે સેહવાગ ટીમનો ચાવીરૂપ પ્લેયર છે. ડેરડેવિલ્સ તેના અભિયાનની શરૂઆત કેકેઆર સામે 13 ઓક્ટોબરથી કરશે.

સહેવાગે ટી-ટ્વેન્ટી વર્લ્ડકપમાં ખૂબ જ નબળો દેખાવ કર્યો છે. સહેવાગે મુકાબલા દરમિયાન રમવા મળેલી ત્રણ ઇનિંગ્સમાં માત્ર 54 રનનો સ્કોર કર્યો હતો.

English summary
Virender Sehwag is in doubt for the upcoming Champions League Twenty20 after he has been advised two weeks of rest because of ligament injury he sustained during India's last Super Eights game in the ICC World Twenty20 against South Africa here.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X