શ્રીનિવાસને રાજીનામુ આપવાની કરી મનાઇ, કહ્યું મેં કંઇ ખોટું કર્યું નથી
કલકત્તા, 26 મે: સ્પૉટ ફિક્સિંગ વિવાદમાં રાજીનામું આપવાના વધતા જતા દબાણ વચ્ચે બીસીસીઆઇ અધ્યક્ષ એન શ્રીનિવાસને રવિવારે કહ્યું હતું કે તે પોતાના પદેથી રાજીનામું નહી આપે. કોઇએ તેમની પાસે રાજીનામું માંગ્યું નથી. બીસીસીઆઇના પ્રમુખે કહ્યું હતું કે સ્પૉટ ફિક્સિંગ કેસની નિષ્પક્ષ તપાસ કરવામાં આવી રહી છે અને ગુનેગારોને છોડવામાં નહી આવે. શ્રીનિવાસને કહ્યું હતું કે તેમના ઉપર કોઇપણ પ્રકારનો આરોપ લાગ્યો નથી અને દબાણમાં રાજીનામું આપવાનો સવાલ જ નથી.
કલકત્તામાં એક પત્રકાર પરિષદને સંબોધિત કરતાં શ્રીનિવાસને કહ્યું હતું કે ગત દિવસો તેમના ખરાબ વિત્યાં છે. તેમને કહ્યું હતું કે એક પિતા અને સસરાના રૂપમાં મારા માટે કઠણ સમય છે. તેમને કહ્યું હતું કે બીસીસીઆઇ સ્પૉટ ફિક્સિંગ કેસમાં નિષ્પક્ષ તપાસ કરી રહી છે અને દોષીઓને છોડવામાં નહી આવે. મયપ્પનને સસ્પેંડ કરી દિધાં છે અને તેમની નિમણૂંકમાં મારી કોઇ ભૂમિકા નથી. મયપ્પનના મુદ્દે કાયદો તેનું કામ કરશે. મયપ્પનનો કેસ અનુશાસન સમિતિ પાસે છે.

શ્રીનિવાસને કહ્યું હતું કે આ કેસમાં બીસીસીઆઇ કોઇપણ દબાણ વિના કામ કરી રહી છે. શ્રીનિવાસને કહ્યું હતું કે કોઇએ મારી પાસે રાજીનામું માંગ્યું નથી અને હું પહેલાંની જેમ જ કામ કરીશ. હું મારી જવાબદારીમાંથી પીછેહઠ કરીશ નહી. બધા આરોપીઓની નિષ્પક્ષ તપાસ થશે. આ પહેલાં શ્રીનિવાસને ભાજપના વરિષ્ઠ નેતા અરૂણ જેટલી સાથે મુલાકાત કરી હતી.
-
અમેરિકાની જીદ ભારત સહિત આ દેશોને ભોગવવી પડશે? અર્થતંત્ર ખાડામાં જવાની ચેતવણી -
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ







Click it and Unblock the Notifications
