T20 World Cup : ટી20 વર્લ્ડ કપમાં કોહલી-રોહિત શર્મા રમશે કે નહીં? જાણો શું કહ્યું દિગ્ગજ ખેલાડીએ?
વન ડે વર્લ્ડ કપ બાદ ભારતીય ટીમમાં મોટા ફેરફારના સંકેત જોવા મળી રહ્યા છે. પહેલા જ દાવા કરાઈ રહ્યા છે કે આવનારા ટી20 વર્લ્ડ કપમાં રોહિત શર્મા અને કોહલી નહીં રમે ત્યારે હવે દિગ્ગજ ખેલાડીએ મોટી વાત કરી છે.
હવે ટીમ ઈન્ડિયાની નજર T20 વર્લ્ડ કપ પર છે. અહીં ભારત ટ્રોફીના દુષ્કાળને પૂરો કરવા પ્રયાસ કરશે. આ વર્લ્ડ કપ પહેલા ચર્ચા છે કે શું રોહિત શર્મા અને વિરાટ કોહલી 2024માં યોજાનાર ટી20 વર્લ્ડ કપમાં રમશે કે નહીં.

ભારતીય ટીમ મેનેજમેન્ટે છેલ્લી કેટલીક T20 સિરીઝમાં મોટા સંકેત આપ્યા છે. ટીમ મેનેજમેન્ટે છેલ્લી ઘણી T20 શ્રેણીમાં સ્ટાર ખેલાડીઓને ટીમમાંથી બહાર રાખ્યા છે. આ લિસ્ટમાં રોહિત શર્મા અને વિરાટ કોહલી પણ સામેલ છે.
T20 ફોર્મેટની કેપ્ટનશીપ હાર્દિક પંડ્યાને સોંપવામાં આવી છે પરંતુ હાલમાં ઓસ્ટ્રેલિયા સામે ચાલી રહેલી T20 સિરીઝ પહેલા હાર્દિક ઈજાગ્રસ્ત થયો હતો તેથી કેપ્ટનશિપની જવાબદારી સૂર્યકુમાર યાદવને માથે છે.
આ સ્થિતિમાં સવાલ ઉઠી રહ્યો છે કે શું ભારતીય ક્રિકેટ મેનેજમેન્ટ રોહિત અને વિરાટ કોહલીને ટી-20 ફોર્મેટમાંથી બહાર કરવાની તૈયારી કરી રહ્યું છે? તેનું એક કારણ ઉંમર છે અને આ બંને ખેલાડીઓ 35 વર્ષથી ઉપરના છે.
હાલમાં જ પૂરા થયેલા ODI વર્લ્ડ કપમાં તે વિશ્વના સર્વશ્રેષ્ઠ ખેલાડીઓ હતા. સૌથી વધુ રન બનાવનાર 2 બેટ્સમેન વિરાટ કોહલી અને રોહિત શર્મા છે. રોહિતે ODI ફોર્મેટમાં 125થી ઉપરના સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરી છે તો વિરાટે છેલ્લા T20 વર્લ્ડ કપમાં ભારત માટે શાનદાર પ્રદર્શન કર્યું અને તે પછી તેણે IPLમાં પણ સતત ઘણી સદી ફટકારી છે. આ સ્થિતિમાં વિરાટ અને રોહિતને આવતા વર્ષના વર્લ્ડ કપમાંથી કેવી રીતે બહાર રાખી શકાય?
વેસ્ટ ઈન્ડિઝના ભૂતપૂર્વ ક્રિકેટર બ્રાયન લારાએ આ મુદ્દે વાત કરતા કહ્યું કે, મને લાગે છે કે ઈન્ડિયા જે પણ ટીમ પસંદ કરશે તે ખૂબ જ મજબૂત સાબિત થશે પરંતુ તમે અનુભવને બદલી શકતા નથી. વિરાટ અને રોહિત તેમની સાથે ઘણી પ્રતિભા લઈને આવે છે. તે કેરેબિયન પરિસ્થિતિઓ જાણે છે અને ત્યાં રમ્યા છે.
લારાએ વધુમાં કહ્યું કે, હું એમ નહીં કહું કે તેણે પોતાનું ભવિષ્ય નક્કી કરવું જોઈએ, પરંતુ મને લાગે છે કે તે આ રમતમાં એક મહાન ખેલાડી છે, તેથી મને તેના પર પૂરો વિશ્વાસ છે. ભારતીય ક્રિકેટ માટે તે શું અને કેટલું કરવા માંગે છે તે જાણવું ખૂબ જ સન્માનની વાત હશે.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના











Click it and Unblock the Notifications
