કેકેઆર સામેની મેચમાં નહીં રમી શકે સેહવાગ!

આ વચ્ચે ટીમના કોચ એરિક સાઇમન્સે ડેરડેવિલ્સ વિસ્ફોટક ઓપનર વગર પણ રમવા તૈયાર છે એમ કહીને એ સમાચારની અનઅધિકૃત પૃષ્ટિ કરી નાંખી છે કે સેહવાગ બુધવારે ઇડન ગાર્ડનમાં પહેલી મેચમાંથી બહાર થઇ શકે છે.
સાઇમન્સે કહ્યું કે, સેહવાગની પીઠમાં દુખાવો છે. અમને માલુમ નથી કે તે ક્યારે ટીમનો હિસ્સો બની શકશે. અમે તે અહીં પહોંચે તેના પછી જ કોઇ સ્થિતિ સ્પષ્ટ કરી શકીએ છીએ. નોંધનીય છે કે ડેરડેવિલ્સના ઇંગ્લિશ ખેલાડી કેવિન પીટરસન ઇજાના કારણે પહેલેથી જ આઇપીએલમાંથી બહાર છે, જ્યારે ન્યૂઝીલેન્ડના બેટ્સમેન જસ્સી રાઇડર પર થોડા દિવસ પહેલા થયેલા હુમલાના કારણે તે પણ આઇપીએલનો હિસ્સો નહીં બની શકે.
આ ઉપરાંત ગત સીઝનમાં પર્પલ કેપ ધારક મોર્ન મોર્કલ પણ ગેમમાં ટીમનો હિસ્સો નહીં હોય. સાયમન્સે કહ્યું કે દક્ષિણ આફ્રિકામાં ચાલી રહેલી સ્થાનીક ટી20 ટૂર્નામેન્ટમાં મોર્નની ટીમ સેમીફાઇનલ સુધી પહોંચી ગઇ છે અને જો ગત કાલે તે ફાઇનલમાં પહોંચી જશેતો તે સાત એપ્રીલ સુધી ભારત નહીં આવી શકે જેના કારણે તે આઇપીએલની કેટલીક મેચોમાં ટીમનો હિસ્સો નહીં હોય.












Click it and Unblock the Notifications
