રોહિત શર્મા પછી કોણ હશે કેપ્ટન? મુખ્ય પસંદગીકારે આ ત્રણ નામ આપ્યા!
BCCIએ બે મેચની ટેસ્ટ શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત કરી છે. આ ટેસ્ટ સિરીઝ શ્રીલંકા સામે હશે, જેમાં ઘણા દિગ્ગજ ખેલાડીઓને બહારનો રસ્તો દેખાડવામાં આવ્યો છે.
નવી દિલ્હી, 20 ફેબ્રુઆરી : BCCIએ બે મેચની ટેસ્ટ શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત કરી છે. આ ટેસ્ટ સિરીઝ શ્રીલંકા સામે હશે, જેમાં ઘણા દિગ્ગજ ખેલાડીઓને બહારનો રસ્તો દેખાડવામાં આવ્યો છે. આ શ્રેણી દ્વારા પસંદગીકારોએ રોહિત શર્માને ભારતના આવનારા ટેસ્ટ કેપ્ટન તરીકે પણ નિયુક્ત કર્યા છે. રોહિત શર્મા હવે ફુલ ટાઈમ કેપ્ટન હશે પરંતુ એ તો બધા જાણે છે કે રોહિતની ઉંમર પણ થઈ ગઈ છે અને તે બહુ લાંબી રેસનો કેપ્ટનશિપનો ઘોડો નથી. 34 વર્ષીય રોહિત બે-ત્રણ વર્ષ સુધી ભારતના ત્રણેય ફોર્મેટનો કેપ્ટન રહી શકે છે, પરંતુ તે પછી ટીમ ઈન્ડિયાએ બીજો નવો વિકલ્પ શોધવો પડશે.

રોહિત પછી આગામી કેપ્ટન કોણ?
આ દરમિયાન ઝડપી બોલર જસપ્રીત બુમરાહને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. સિનિયર ખેલાડીઓ અજિંક્ય રહાણે, ચેતેશ્વર પૂજારા, ઈશાંત શર્મા અને રિદ્ધિમાન સાહાને બહાર કરવામાં આવ્યા છે. પસંદગીકારોએ કેટલાક એવા નામ પણ પસંદ કર્યા છે જે ભવિષ્યમાં ભારતીય ટીમના કેપ્ટન બની શકે છે. આ દરમિયાન ચીફ સિલેક્ટર ચેતન શર્માએ પણ જણાવ્યું છે કે કયા 3 ખેલાડીઓ છે જેમને ભારતીય ક્રિકેટ ટીમનો ભાવિ કેપ્ટન બનાવી શકાય છે. ચેતન શર્માએ જસપ્રિત બુમરાહ, ભારતના મર્યાદિત ઓવરોના વાઇસ-કેપ્ટન કેએલ રાહુલ અને વિકેટ-કીપર બેટ્સમેન રિષભ પંતનું નામ આપ્યું છે. ખાસ વાત એ છે કે આ ત્રણેય ખેલાડીઓ ત્રણેય ફોર્મેટમાં ટીમ ઈન્ડિયાના મુખ્ય ખેલાડી છે.

રોહિત બાદ આ 3 ખેલાડી ભવિષ્યના કેપ્ટન બની શકે છે
ગયા મહિને દક્ષિણ આફ્રિકામાં રમાયેલી ODIમાં KL રાહુલને કેપ્ટન બનાવવામાં આવ્યો હતો.હવે રિષભ પંત વેસ્ટ ઈન્ડિઝ સામે ચાલી રહેલી ટી-20 શ્રેણીમાં વાઇસ કેપ્ટન છે. ચેતન શર્માએ રોહિત શર્માના કદના વખાણ કરતા કહ્યું કે જ્યારે આટલો મોટો ખેલાડી તમારો કેપ્ટન બની જાય છે ત્યારે ભવિષ્યના કેપ્ટન પણ તેની નીચે ચમકે છે. ચેતન શર્માનું કહેવું છે કે તે ઈચ્છે છે કે રોહિત શર્માની કપ્તાનીમાં ખેલાડીઓ ખીલે અને તેઓ ભાવિ નેતૃત્વના ગુણો વિકસાવી શકે અને પસંદગીકાર તરીકે અમને આ વસ્તુઓ રોહિત પાસેથી આપોઆપ મળી જશે અને તે ઘણી મોટી વાત છે.

આગામી કેપ્ટન કોણ બનશે તે કહેવુ મુશ્કેલ છે
તેઓ વધુમાં કહે છે કે, અમે દક્ષિણ આફ્રિકામાં કેએલ રાહુલને કેપ્ટન બનાવ્યો હતો. બુમરાહ દક્ષિણ આફ્રિકામાં વાઇસ-કેપ્ટન હતો અને હવે શ્રીલંકા સિરીઝમાં વાઇસ-કેપ્ટન છે. વેસ્ટ ઈન્ડિઝ ટી20માં, અમારી પાસે ઋષભ પંત ઉપ-કેપ્ટન છે. તે સંભવિત નેતા છે જે રોહિત શર્માના નેતૃત્વમાં વધુ ચમક લાવી શકે છે. હા, એ કહેવું પણ મુશ્કેલ છે કે આગામી સુકાની કોણ હશે પરંતુ અમને ખાતરી છે કે એક નામ ચોક્કસપણે ઉભરી આવશે. ભારત અને શ્રીલંકા વચ્ચેની ટેસ્ટ શ્રેણીની વાત કરીએ તો શ્રેણીની પ્રથમ મેચ મોહાલીના પીસીએ સ્ટેડિયમમાં રમાશે, જ્યારે બીજી અને અંતિમ મેચ 12 માર્ચે બેંગ્લોરના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે. બીજી ટેસ્ટ મેચ ફ્લડલાઇટમાં રમાતી ગુલાબી બોલની મેચ હશે. ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકા સામે કારમી હાર બાદ ટેસ્ટ ફોર્મેટમાં પરત ફરવા આતુર હશે અને શ્રીલંકાને અહીં 2-0થી હરાવશે તેવી આશા છે.
-
ઇરાન યુદ્ધના ભણકારા ભારતમાં, પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં 2.09 રૂપિયાનો વધારો -
LPG Crisis: શું તમને પણ નથી મળી રહ્યો સિલિન્ડર? સરકારે એલપીજી સંકટને લઈને આપ્યું મોટું અપડેટ -
Gold Rate Today: યુદ્ધ વચ્ચે સોનામાં મોટો ઘટાડો, 7000 રુપિયા સસ્તું, કેમ ઘટી રહ્યા છે ભાવ? જાણો લેટેસ્ટ કિંમત -
શાહરૂખ-સલમાનને પછાડી બોક્સ ઓફિસ પર 'ધુરંધર' બન્યો રણવીર સિંહ, ટોપ 5માં સામેલ છે આ ફિલ્મો -
Gujarat Weather: રાજ્યમાં કરા સાથે કમોસમી વરસાદની આગાહી, 80થી વધુ તાલુકામાં નોંધાયો વરસાદ -
છેલ્લા 24 કલાકમાં 121 તાલુકામાં કમોસમી વરસાદ, જાણો સૌથી વધુ ક્યાં? -
અમદાવાદના ભદ્ર ફેરીયા બજાર મુદ્દે સુપ્રીમ કોર્ટનો મહત્વનો આદેશ, જાણો શું કહ્યું કોર્ટે? -
ગુજરાતમાં હજુ માવઠાની રાહત નહીં, 22 માર્ચ પછી વધુ એક સિસ્ટમનો ખતરો -
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના આસિસ્ટન્ટ કમિશનર 1 લાખની લાંચ લેતા ઝડપાયા -
અમદાવાદના મયુર ડાયકેમ સાથે જોડાયેલા સ્થળો પર ઈન્કમટેક્સના દરોડા -
Weather News: યુપી-બિહાર સહિત 8 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Rupee vs Dollar: ઈરાન-ઈઝરાયલ યુદ્ધની ભારત પર સીધી અસર! ડોલર સામે રૂપિયો ગગડ્યો, શું છે આજનો રેટ?












Click it and Unblock the Notifications
