World Cup Final : ઓસ્ટ્રેલિયા સામે ભારતીય પ્લેઈંગ ઈલેવનમાં થઈ શકે છે આ ફેરફાર, આ ખેલાડીને મળી શકે ચાન્સ
અમદાવાદમાં રમાનારી વર્લ્ડ કપની ફાઈનલને લઈને ફેન્સ ઉત્સાહ છે. આ ઉત્સાહ વચ્ચે બન્ને ટીમોની પ્લેઈંગ ઈલેવનને લઈને ચર્ચા થઈ રહી છે.
વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયા ખુબ જ સંતુલિત જોવા મળી છે. આ જ કારણ છે તે ટીમ એક પણ મેચ હાર્યા વગર અહીં પહોંચી છે. આ સ્થિતીમાં ફાઈનલ માટે ટીમ કેવી હશે અને તેની ભૂમિકા શું હશે તે મહત્વનો મુદ્દો છે.

ઓપનિંગ જોડી
રોહિત શર્મા તેના શાનદાર ફોર્મમાં છે. તે ક્રિઝ પર આવે છે અને ટીમ માટે ઝડપથી રન બનાવે છે. આવું દરેક મેચમાં જોવા મળ્યું છે. શુભમન ગિલ સાથે મળીને તે નવા બોલ પર મહત્તમ રન બનાવે છે. ગિલ અને રોહિત ઓપનર તરીકે નિશ્ચિત છે.
મિડલ ઓર્ડર અને ઓલ રાઉન્ડર
ઓપનર બાદ ત્રીજા નંબર પર રમવાની જવાબદારી વિરાટ કોહલીની છે. તે દરેક મેચમાં ઈનિંગને અંત સુધી ખસેડવા પ્રયાસ કરે છે અને એક છેડે રન બનાવે છે. આ પછી શ્રેયસ અય્યરે આ વર્લ્ડ કપમાં પોતાનું કામ સારું કર્યું છે. તે ક્રીઝ પર આવે છે અને તોફાની બેટિંગ કરે છે.
કેએલ રાહુલ જરૂરિયાત મુજબ રમે છે. સૂર્યકુમાર યાદવ છઠ્ઠા નંબર પર આવે છે. તે છેલ્લી ઘડીએ ઝડપી બેટિંગ કરી શકે છે. જાડેજા ઓલરાઉન્ડર તરીકે રમે છે. આ વર્લ્ડ કપમાં તેણે બોલથી વધુ પ્રદર્શન કર્યું છે. જ્યારે જરૂર પડી ત્યારે બેટથી પણ સારૂ કામ કર્યુ છે.
બોલિંગ એટેક
ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં ત્રણ ફાસ્ટ બોલર રહેશે તે લગભગ નક્કી છે. મોહમ્મદ શમીએ તોફાની બોલિંગ કરીને ત્રણ વખત 5 વિકેટ લીધી છે અને એક વખત 7 વિકેટ લીધી છે. જસપ્રીત બુમરાહ એક એવો બોલર છે જે કોઈપણ પરિસ્થિતિમાં રન રોકીને વિકેટ લેવાની ક્ષમતા ધરાવે છે.
આ સિવાય મોહમ્મદ સિરાજ છે. કુલદીપ યાદવે સ્પિન વિભાગમાં મહત્વની ભૂમિકા ભજવી છે. અધવચ્ચે વિકેટ લેવી તેનું કામ છે. આ રીતે ટીમ ઈન્ડિયા ફાઈનલ માટે આ 11 નામ જ ફાઈનલ હશે. લગભગ ટીમમાં કોઈ બદલાવ નહીં જોવા મળે.
-
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર








Click it and Unblock the Notifications
