રેસલર સુશીલ કુમારને નૉર્ધન રેલવેએ કર્યા નોકરીમાંથી સસ્પેન્ડ, હત્યા કેસમાં થઈ છે ધરપકડ
પહેલવાન સાગર ધનકડની હત્યાના કેસમાં ધરપકડ કરવામાં આવેલ ઓલિમ્પિક પદક વિજેતા સુશીલ કુમારને રેલવેએ નોકરીમાંથી સસ્પેન્ડ કરી દીધા છે.
નવી દિલ્લીઃ પહેલવાન સાગર ધનકડની હત્યાના કેસમાં ધરપકડ કરવામાં આવેલ ઓલિમ્પિક પદક વિજેતા સુશીલ કુમારને રેલવેએ નોકરીમાંથી સસ્પેન્ડ કરી દીધા છે. મંગળવારે ઉત્તર રેલવેના સીપીઆરઓ દીપક કુમારે આની અધિકૃત ઘોષણા કરી છે. દીપક કુમારે જણાવ્યુ કે સુશીલ કુમાર સામે ગુનાહિત કેસની તપાસ ચાલી રહી છે આના કારણે તેમને નોકરીમાંથી સસ્પેન્ડ કરવામાં આવે છે. તમને જણાવી દઈએ કે સુશીલ કુમારને ઉત્તર રેલવેમાં કૉમર્શિયલ મેનેજરના પદ પર નોકરી મળી હતી અને હાલમાં તે છત્રસાલ સ્ટેડિયમમાં ઓએસડીના પદે તૈનાત હતા.

રેલવેને સરકાર પાસેથી રવિવારે મળ્યો હતો રિપોર્ટ
તમને જણાવી દઈએ કે ઉત્તર રેલવે બોર્ડને દિલ્લી સરકાર પાસેથી રવિવારે કેસનો પૂરો રિપોર્ટ મળ્યો હતો. ત્યારથી માનવામાં આવી રહ્યુ હતુ કે તેમને ગમે ત્યારે બોર્ડ તરફથી સસ્પેન્ડ કરવામાં આવી શકે છે. બોર્ડ તરફથી એ પણ કહી દેવામાં આવ્યુ હતુ કે જો સુશીલ કુમાર સામે એફઆઈઆર નોંધવામાં આવશે તો તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવશે.
|
હત્યાના કેસમાં ભાગી ગયા હતા સુશીલ કુમાર
તમને જણાવી દઈએ કે સુશીલ કુમારની હાલમાં જ દિલ્લી પોલિસની ક્રાઈમ બ્રાંચે મુંડકા વિસ્તારમાંથી ધરપકડ કરી હતી. સુશીલ કુમાર ઘણા દિવસોથી ફરાર હતા. સુશીલ પર અન્ય પહેલવાન સાગર ધનખડની હત્યાનો આરોપ લાગ્યો છે. ત્યારબાદથી સુશીલ કુમાર ભાગી ગયા હતા. સુશીલે પોલિસ કસ્ટડીમાં પોતાનો ગુનો કબૂલ લીધો છે.

છત્રસાલ સ્ટેડિયમમાં થઈ હતી સાગર ધનખડે સાથે મારપીટ
તમને જણાવી દઈએ કે દિલ્લીના છત્રસાલ સ્ટેડિયમમાં 4 મેની રાતે પહેલવાન સાગર ધનખડ સાથે સુશીલ કુમાર અને તેમના સાથીઓએ મારપીટ કરી હતી. સાગર ધનખડનુ સુશીલ કુમારે અપહરણ કરાવ્યુ હતુ ત્યારબાદ તેને છત્રસાલ સ્ટેડિયમમાં ગંભીર રીતે મારવામાં આવ્યો. આ ઘટનામાં સાગર ધનખડનુ મોત થઈ ગયુ. હવે જ્યારે સુશીલ કુમાર સળિયા પાછળ પહોંચી ગયા છે ત્યારે તેને પોતાની ભૂલનો અહેસાસ થઈ રહ્યો છે. સળિયા પાછળ પહોંચતા જ સુશીલ કુમાર ધ્રૂસકેને ધ્રૂસકે રડવા લાગ્યા.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
