..ને યુવીએ સેહવાગને કહ્યું, 'હું પણ ટીમમાં નથી!'
હર્ષા ભોગલેએ ટ્વિટમાં કહ્યું, 'જ્યારે યુવરાજ સિંહે આખી ટીમને સ્ટેજ પર આવવા માટે કહ્યું ત્યારે વિરેન્દ્ર સેહવાગ સ્ટેજથી દૂર રહ્યો હતો. સહેવાગને આ રીતે જોઇને યુવરાજે કહ્યું કે, વીરું આવીજા, તું ટીમમાં નથી, હું પણ ટીમમાં નથી!'
આ તકે તેંડુલકરે કહ્યું, ' જ્યારે હું લંડનમાં તેને મળવા ગયો તો મેં મારી પત્ની અંજલીને કહ્યું કે હું નથી ઇચ્છતો કે તેને મળતી વખતે મારી આંખમાં આસું ના આવી જાય. હું તેને મળ્યો મે તેને જોરથી ગળે લગાવ્યો. અમે ભોજનની મજા લીધી. યુવરાજ જે રીતે જમી રહ્યો હતો, મને વિશ્વાસ હતો કે તે ટ્રેક પર આવી ગયો છે.'
આ એ ભાવનાત્મક સાંજ હતી, જ્યારે સચિન તેંડુલકર, સુકાની મહેન્દ્ર સિંહ ધોની અને યુવા ક્રિકેટર વિરાટ કોહલીએ યુવરાજ સિંહના કેન્સર સામેના યુદ્ધ અંગે પોતાના અનુભવ અને પોતાની ભાવનાઓ વ્યક્ત કરી.
યુવરાજે પણ તેંડુલકર સાથે પહેલી મુલાકાતને પોતાના મજાકિયા સ્વભાવમાં રજુ કરી. તેણે કહ્યું, ' મારી તેમની સાથે પહેલી વાર વાત ત્યારે થઇ જ્યારે હું ડ્રેસિંગ રૂમમાં ડર સાથે તેમની સામે જોઇ રહ્યો હતો, ત્યારે અચાનક જ તેમણે કહ્યું કે, મહેરબાની કરીને બિસ્કીટ આ તરફ આવવા દે.' તેના જવાબમાં તેંડુલકરે કહ્યું, ' મને આજ સુધી એ બિસ્કીટ મળ્યા નથી.'
'ધ રીયલ હિરો' યુવીને મળતી વેળા સચિનને સતાવતો'તો એક ભય