હિન્દુ, બૌદ્ધ અને જૈનનો ત્રિવેણી સંગમ એટલે ઇલોરા
મહારાષ્ટ્ર રાજ્યના ઔંરગાબાદ જિલ્લાથી 30 કિ.મી દૂર એક પુરાતાત્વિક સ્થળ છે, જેને ઇલોરાની ગુફાઓ કહેવામાં આવે છે. આ વર્લ્ડ હેરિટેજ પ્લેસની યાદીમાં છે. માનવામાં આવે છે કે, આ ગુફાઓ રાશત્રાકુતા રાજવંશમાં બનાવવામાં આવી હતી. આ ગુફામાં ત્રણ ભાગ છે, જેમાં 34 ગુફાઓ બનેલી છે. ત્રણેય ભાગ હિન્દુ, બૌદ્ધ અને જૈન ધર્મ માટે છે. બૌદ્ધ ભાગમાં 12, હિન્દુ ભાગમાં 17 અને જૈન ભાગમાં પાંચ ગુફાઓ છે. આ તમામ ગુફાઓ જૂના સમયમાં બનેલી અદભૂત કલાકૃતિ છે.
ગુફાઓનો પહેલા ભાગ બૌદ્ધ છે. 450થી 700 ઇસા બાદ બનેલા આ ભાગમાં 12 ગુફાઓ છે. આ 12 ગુફાઓને બે કોતરણીવાળા ભાગોમાં વિભાજીત કરી છે, એટલે કે 1થી 5 અને 6થી 12. લોકપ્રીય હિન્દુ ગુફાઓને બ્રાહ્મણ ગુફાઓ પણ કહેવામાં આવે છે અને આ ગુફાઓ 13થી 29 સુધી છે. તમામ 17 ગુફાઓ પશ્ચિમી ક્ષેત્ર તરફ છે.
આ તમામ ગુફાઓને વિભિન્ન અવધિ દરમિયાન બનાવાવમાં આવી છે. ઇલોરામાં ગુફાઓનો અંતિમ ભાગ જૈન ધર્મની છે. જેમાં 5 ગુફાઓ છે. તમામ ગુફાઓની વધુ એક મહત્વપૂર્ણ વિશેષતા છે કે પ્રત્યેક ગુફાઓમાં પાણીના સ્ત્રોત છે. આ કારણે ભિક્ષુ અને સન્યાસી લોકો આ ગુફાઓમાં રહેતા હતા, કારણ કે અહીંનું પાણી તેમની કામે આવતું હતું. આ વ્યવસ્થાને જોઇને જાણવા મળે છે કે, એ કાળમાં પાણીને એકઠું કરવાની પદ્ધતિ ઘણી સારી હતી. તો ચાલો તસવીરો થકી નીહાળીએ ઇલોરાની ગુફાઓને.

ઇલોરાની ગુફાઓ
ઇલોરામાં આવેલી ગુફાઓનો દૂરનો નજારો

શિવ પાર્વતી
ઇલોરામાં આવેલી બ્રાહ્મણ ગુફાઓમાં શિવ પાર્વતી

હિન્દુ ગુફાઓ
ઇલોરામાં આવેલી હિન્દુ ગુફાઓનું એક દ્રશ્ય

છત પર કોતરણી
ઇલોરામાં આવેલી હિન્દુ ગુફાઓમાં છત પર કોતરણી

દીવાલ પર બનેલી મૂર્તિઓ
ઇલોરાની બૌદ્ધ ગુફાઓમાં દીવાલ પર બનેલી મૂર્તિઓ

બૌદ્ધ ગુફાઓ
ઇલોરાની બૌદ્ધ ગુફાઓનો પ્રવેશ દ્વાર

દીવાલો પર મૂર્તિઓ
બૌદ્ધ ગુફાઓમાં દીવાલો પર બનેલી મૂર્તિઓ

બૌદ્ધ ગુફાઓમાં મૂર્તિઓ
બૌદ્ધ ગુફાઓમાં આવેલી મૂર્તિઓ

બૌદ્ઘ ગુફાનું બહારનું દ્રશ્ય
ઇલોરાની બૌદ્ધ ગુફાનું બહારનું દ્રશ્ય

ગુફામાં બુદ્ધ
બૌદ્ઘ ગુફાઓમાં બુદ્ધ
-
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી -
અમદાવાદ એરપોર્ટ પર મહિલા મુસાફર પાસેથી 83 લાખનું સોનું ઝડપાયું -
5 રાજ્યોની ચૂંટણી ભાજપ માટે સત્તાનો જંગ કે ભવિષ્યનો રોડમેપ? -
ઈરાન વોરમાં અમેરિકા એકલું પડ્યું, સાથી દેશોએ સૈન્ય મદદ કરવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો -
MI vs KKR: મુંબઈએ કોલકાતાને 6 વિકેટે હરાવ્યું, રોહિત શર્માની તોફાની બેટિંગ





Click it and Unblock the Notifications
