પાકિસ્તાનમાં આવેલા પંચમુખી હનુમાન મંદિરનું જાણો માહત્મ્ય
મિત્રો આજે અમે આપના માટે એક નવા લેખની શ્રેણી લઇને આવ્યા છીએ. અમે અમારા આ લેખ શ્રેણીમાં આપને પાકિસ્તાનમાં આવેલા પૌરાણિક મંદિરો અને તેના માહત્મય વિશે પરિચય કરાવીશું. પાકિસ્તાન અને ભારત ભલે ભૌગોલિક રીતે અલગ પડી ગયા હોય પરંતુ ત્યાંની ધરતીમાં હજી પણ હિન્દુ સંસ્કૃતિનો અમીટ વારસો સંગરાયેલો છે. હજારો-લાખો વર્ષથી અહીં હિન્દુ દેવી-દેવતાઓના મંદિરો હેમખેમ અવસ્થામાં ઊભા છે, અને તેની માવજત પાકિસ્તાનમાં વસતા હિન્દુઓ કરી રહ્યા છે. આ ઉપરાંત અહીંના મંદિરોનું એટલું સત્ય છે કે ભારતથી પણ લોકો ત્યાં દર્શન કરવા જાય છે.
આ શ્રેણીને પગલે આજે અમે આપને આજે લઇ જઇ રહ્યા છીએ પાકિસ્તાનના કરાચીમાં આવેલા પંચમુખી હનુમાન મંદિરમાં. તો આવો જાણીએ પાકિસ્તાનમાં આવેલા આ મંદિરનું શું છે માહત્મ્ય.

પાકિસ્તાનના સિંધ પ્રાંતના કરાંચીમાં સ્થિત આવેલા આ મંદિરનું પુન:નિર્માણ 1882માં કરવામાં આવ્યું હતું, ત્યારે તો ભારત અને પાકિસ્તાન એક હતા. મંદિરમાં પંચમુખી હનુમાનની મનમોહક પ્રતિમા સ્થાપિત કરવામાં આવેલી છે, જેના દર્શન કરતા જ ભક્તોના દરેક દુ:ખો દૂર થઇ જાય છે.

કહેવામાં આવે છે કે હનુમાનજીની આ મૂર્તિ દોઢ હજાર વર્ષ પહેલા પ્રકટ થઇ હતી. જ્યાંથી મૂર્તિ પ્રકટ થઇ હતી ત્યાંથી માત્ર 11 મુઠ્ઠી માટી હટાવવામાં આવી અને મૂર્તિ સામે આવી ગઇ હતી. જોકે આ રહસ્યમયી મૂર્તિનો સંબંધ ત્રેતા યુગથી છે.
મંદિરના પૂજારીનું કહેવું છે કે અત્રે માત્ર 11-12 પરિક્રમા લગાવવાથી મનોકામના પૂરી થઇ જાય છે. હનુમાનજી ઉપરાંત અત્રે ઘણા હિન્દુ દેવી દેવતાઓની મૂર્તિઓ સ્થાપિત કરી છે. અત્રે નોંધનીય છે કે આ મંદિરના દર્શન ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા લાલ કૃષ્ણ અડવાણી, જસવંત સિંહ પણ કરી ચૂક્યા છે.
-
ઈરાને ટ્રમ્પની શાન ઠેકાણે લાવી દીધી, 24 કલાકમાં 2 હેલિકોપ્ટર અને 2 ફાઈટર જેટ ધૂળમાં મેળવી દીધા - Video -
મધ્ય પૂર્વના સંઘર્ષમાં મૃત્યુઆંક વધ્યો: ઈરાનમાં 3,531, લેબેનોનમાં 1,368 અને અમેરિકાના 13 સૈનિકોના મોત -
IPL 2026 પોઈન્ટ્સ ટેબલ: શરૂઆતમાં જ ફસાઈ ધોનીની ટીમ! PBKS પહોંચી ટોપ પર, પોઈન્ટ્સ ટેબલમાં કોણ ક્યાં? -
SME IPO ના જંગમાં ગુજરાતનો ડંકો: નાણાકીય વર્ષ 2026 માં મહારાષ્ટ્રને હરાવી પ્રથમ ક્રમ મેળવ્યો -
Gyan Sadhana Scholarship Exam: ગુજરાતમાં આજે 6.3 લાખ વિદ્યાર્થીઓ જ્ઞાન સાધના પરીક્ષા આપશે -
SRH vs LSG IPL 2026: હૈદરાબાદ પિચ રિપોર્ટ અને હવામાનની આગાહી | આજની મેચ -
ઈસ્ટર સન્ડે 2026: મહત્વ, શુભેચ્છાઓ અને ખાસ સંદેશા | Easter Sunday 2026 -
Mumbai Gold Siver Rate Today: બજાર ખુલતાં જ સોનું થયું ધડામ, ચાંદીનો ભાવ પણ ઘટ્યો -
ટ્રમ્પની ઈરાનને ચેતવણી: ટ્રમ્પે ઈરાનને આપી 'તબાહી'ની છેલ્લી ચેતવણી! કેમ વધારી 24 કલાકની ડેડલાઇન? -
Weather Update: વાવાઝોડા અને વરસાદ સાથે કરા પડશે; UP-MP સહિત 9 રાજ્યોમાં તોફાનની આશંકા, એલર્ટ જાહેર





Click it and Unblock the Notifications
