એક સમયે 400 જહાજો ધરાવતુ હતું ગુજરાતનું આ શહેર
માંડવી કચ્છનું પ્રમુખ બંદર છે તથા મુંબઇ અને સુરત પહેલા આ ગુજરાતનું પણ પ્રમુખ બંદર હતું. પૂર્વ આફ્રિકા, ફારસની કાડી, માલબાર તટ અને દક્ષિણ પૂર્વીય એશિયાના જહાજો અહીં અરબ સાગર પાસે આ બંદરે આવતા હતા. કચ્છના રાજા ખેંગાર્જીએ વર્ષ 1574માં માંડવીની સ્થાપના બંદર શહેરના રૂપમાં કરી હતી. માંડવી થોડા સમયની અંદર સમૃદ્ધ થયું કારણ કે તે ગુજરાતનું મહત્વપૂર્ણ બંદર બની ગયું હતુ. ટૂંક સમયમાં જ માંડવીના ઐતિહાસિક સ્થળ જેમકે સુંદરવર મંદિર, જામા મસ્જિદ, લક્ષ્મી નારાયણ મંદિર, કાજીવાલી મસ્જિદ અને રામેશ્વર મંદિરનું નિર્માણ થયું.
એક મહત્વપૂર્ણ બંદરના રૂપમાં માંડવી પાસે 400 જહાજો હતા જે ઇંગ્લેન્ડ સુધી જતા અને પરત ફરતા હતા. માંડવી એક કિલ્લા દ્વારા સંરક્ષિત હતું જેની દિવાલ 8 મીટર ઉંચી હતી, તેના અનેક દરવાજા હતા અને 25 બુર્જ હતા. વર્તમાનમાં આ દિવાલ લગભગ નષ્ટ થઇ ગઇ છે, પરંતુ દક્ષિણ પશ્ચિમમાં સ્થિત સૌથી મોટો બુર્જ હજુ લાઇટ હાઉસનું કામ કરી રહ્યો છે. એક બંદરના રૂપમાં માંડવીનું મહત્વ ઘટી ગયું છે, કારણ કે મોટા આધુનિક જહાજોને અહીં રાખવામાં આવતા નથી, પરંતુ રુક્માવતી નદીના કિનારે હાથોથી જહાજો બનાવવાનું કામ આજે પણ યથાવત છે.
લગભગ 400 વર્ષથી માંડવી જહાજ બનાવવાના ઉદ્યોગનું કેન્દ્ર રહ્યું છે. રુક્માવતી નદીના કિનારે સ્થિત જહાજ બનાવવાના શિપયાર્ડ છે જ્યાં તમે હાથથી બનેલા લાકડાના જહાજ જોઇ શકો છો. અહીં એક અન્ય સ્થળ છે, જેને ટાવર ઓફ વાગેર્સ કહેવામાં આવે છે, જ્યાં જહાજના માલિક માનદંડો અનુસાર જહાજને બારીકાઇથી તપાસ કરે છે જ્યારે તેમનો બેડો પરત આવવાનો હોય છે. માંડવી શાંત અને સ્વચ્છ સમુદ્ર તટો માટે પણ પ્રસિદ્ધ છે જ્યા પ્રવાસી પક્ષી જેવા ફ્લેમિંગો પોતાની યાત્રાને વચમાં રોકે છે.
માંડવીનું અન્ય એક આકર્ષણ વિજય વિલાસ મહલ છે, જેનું નિર્માણ રાવ વિજયરાજજીએ વર્ષ 1929માં કરાવ્યું હતું. આ બ્રિટિશ ઉચ્ચાયોગનું ગરમીના સમયનું ઘર હતું તથા અહીં સ્થિતિ કબરસ્તાન આ વાતનું પ્રમાણ છે કે બ્રિટિશ લોકો આ ક્ષેત્રમાં પણ સક્રિય હતા. જહાજ બનાવવા માટે પ્રાચીન કૌશલની સાથોસાથ, સાંસ્કૃતિક ઇતિહાસ અને માંડવીનો સમુદ્ર તટ નિશ્ચિત રીતે ભૂલાવી ના શકાય તેવો અનુભવ છે. તો ચાલો તસવીરો થકી નીહાળીએ માંડવીને.

મુંદ્રા
માંડવી ખાતે આવેલું મુંદ્રા

નવજીવન પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર
માંડવીમાં આવેલું નવજીવન પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્રનુ અનુરક્ષિત ગાર્ડન

ચિકિત્સા કેન્દ્રનો એરિયલ વ્યૂ
માંડવીમાં આવેલા નવજીવન પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્રનો એરિયલ વ્યૂ

સુંદર સંરચના
માંડવીમાં આવેલા કોડેની સુંદર સંરચના

યાર્ડ
માંડવીમાં જહાજ નિર્માણ યાર્ડ

વાસ્તુશિલ્પ ચિત્રણ
માંડવીમાં આવેલા વિજય વિલાસ પેલેસનું વાસ્તુશિલ્પ ચિત્રણ

નિર્મળ દ્રશ્ય
માંડવીના વિજય વિલાસ પેલેસનું નિર્મણ દ્રશ્ય

હિન્દુ મૂવી શૂટિંગ પ્લેસ
માંડવીમાં આવેલા વિજય વિલાસ પેલેસમાં હિન્દી મૂવી શૂટિંગ પ્લેસ
-
Petrol Diesel Price: 11 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gujarat News: ઉનાળામાં બાળકને લૂ લાગી શકે, શાળાઓ સવારની કરવા ઉઠી માંગ -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
T20 World Cup : વર્લ્ડ કપ જીત્યા બાદ ઈશાન કિશને ગર્લફ્રેન્ડ સાથે ઉજવણી કરી, જુઓ ફોટો -
T20 world cup : સુર્યકુમાર યાદવ નિવૃતિ લેશે? જાણો ખુદ શું કહ્યું? -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
IND vs NZ: કોહલી સાથે ખાસ ક્લબમાં સંજુ સેમસન સામેલ, ટીમ ઈન્ડિયાએ બનાવ્યો ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડ -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ઈરાન-અમેરિકા યુદ્ધમાં ભારત કયા પક્ષમાં? સંસદમાં શું કહ્યું સરકારે? -
પરસેવો પાડવા તૈયાર થઈ જાવ, હવામાન વિભાગની હિટવેવની આગાહી -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી







Click it and Unblock the Notifications
