ભારતનું એવુ શહેર જ્યાં બારેમાસ સળગતી રહે છે ચિતા
ભારતમાં આશ્ચર્યમાં મુકી દે તેવા સ્થળોની અછત નતી. ભારતમાં આવેલા તમામ પ્રવાસન સ્થળ પોતાની અંદર એક ખાસ પ્રકારની કહાણી છૂપાવીને બેસેલા છે, જે સાંભળવા અથવા વાંચવા મળે તો આપણી અંદર એક રોમાંચ જાગી જાય છે. આ દરેક કહાણી એટલી રસપ્રદ હોય છે કે, તમે એ સ્થળ પર એકવાર જવાની ઇચ્છા જરૂરથી કરશો.
આજે અમે એક શમશાન અંગે જણાવવામાં જઇ રહ્યાં છે, જે ભારતમાં એટલું લોકપ્રીય છે, કે તેનું વર્ણન શબ્દોમાં કરી શકાય તેમ નથી. આ તમામ વાતો વાંચીને અને તેને સમજ્યા બાદ તમારું મનમાં કુતુહલના કારણે પ્રશ્નો ઉઠી રહ્યાં હશે કે આખરે અમે કયા શમશાન અંગે વાતો કરી રહ્યાં છીએ? ક્યાં છે? કેવું છે આ શમશાન? એવી કઇ બાબત છે કે જે તેને ખાસ બનાવે છે? તો ચાલો તમને જણાવી દઇએ કે અમે અહીં વાત કરી રહ્યાં છીએ વારાણસીના મણિકર્ણિકા ઘાટની. તો ચાલો તસવીરો થકી જાણીએ વારાણસીના મણિકર્ણિકા અંગે.

ગંગા નદીના તટ પર સ્થિત છે આ ઘાટ
મણિકર્ણિકા ઘાટ વારાણસીમાં ગંગા નદીના તટ પર સ્થિત એક પ્રસિદ્ધ ઘાટ છે, આ ઘાટ સાથે જોડાયેલી કેટલીક કથાઓ છે.

આ ઘાટ સાથે જોડાયેલી કથા
એક કથા અનુસાર ભગવાન વિષ્ણુએ શિવની તપસ્યા કરતા પોતાના સુદર્શન ચક્રથી આ કુંડ ખોદ્યુ હતુ. જેમાં તપસ્યા સમેય આવેલા તેમના સ્વેદ ભરાઇ ગયા, જ્યારે શિવ ત્યાં પ્રસન્ન થયા ત્યારે વિષ્ણુના કાની મણિકર્ણિકા આ કુંડમાં પડી ગઇ હતી.

ઘાટ સાથે જોડાયેલી બીજી રોચક કથા
બીજી કથા અનુસાર ભગવાન શિવને પોતાના ભક્તોથી છૂટકારો મળી રહ્યો નહોતો. દેવી પાર્વતી તેનાથી પરેશાન હતા અને શિવજીને રોકવા માટે તેમણે પોતાના કાનની મણિકર્ણિકા ત્યાં છૂપાવી દીધી હતી અને શિવજીને એ શોધવા માટે જણાવ્યું હતું. શિવજી તેને શોધી શક્યા નહીં અને આજ સુધી જેટલી પણ અન્ત્યેષ્ટિ એ ઘાટ પર થાય છે, તો તેને તેઓ પૂછે છે કે શું તેમણે જોઇ છે?

પ્રાચીન ગ્રંથો અનુસાર મણિકર્ણિકા ઘાટ
પ્રાચીન ગ્રંથો અનુસાર મણિકર્ણિકા ઘાટનો સ્વામી એ જ ચંડાલ હતો, જેણે સત્વાડી રાજા હરિશચંદ્રને ખરીદ્યા હતા. એ રાજાને પોતાના દાસ બનાવી આ ઘાટ પર અન્ત્યેષ્ટિ કરવા આવતા લોકો પાસેથી કર વસુલવાનું કામ આપવામાં આવ્યું હતુ.

ઘાટની વિશેષતા
મણિકર્ણિકા ઘાટની વિશેષતા એ છે કે, અહીં સતત હિન્દુ અન્ત્યેષ્ટિ કરવામાંઆવે છે, આ ઘાટ પર ચિતાની અગ્નિ સતત સળગતી રહે છે, ક્યારેય ઓલવાતી નથી.

પ્રવાસી કરે છે, મોત પ્રવાસન
મણિકર્ણિકા ઘાટ, વારાણસીનું એ ઘાટ છે, જ્યાં પ્રવાસી મોત પ્રવાસન કરે છે. અનેક પ્રવાસી અહીં હિન્દુ ધર્મના દાહ સંસ્કાર જોવા માટે અને રીતિ રિવાજોને સમજવા માટે આવે છે.
-
T20 World Cup : વર્લ્ડ કપ જીત્યા બાદ ઈશાન કિશને ગર્લફ્રેન્ડ સાથે ઉજવણી કરી, જુઓ ફોટો -
T20 world cup : સુર્યકુમાર યાદવ નિવૃતિ લેશે? જાણો ખુદ શું કહ્યું? -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
IND vs NZ: કોહલી સાથે ખાસ ક્લબમાં સંજુ સેમસન સામેલ, ટીમ ઈન્ડિયાએ બનાવ્યો ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડ -
ઈરાન-અમેરિકા યુદ્ધમાં ભારત કયા પક્ષમાં? સંસદમાં શું કહ્યું સરકારે? -
પરસેવો પાડવા તૈયાર થઈ જાવ, હવામાન વિભાગની હિટવેવની આગાહી -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી





Click it and Unblock the Notifications
