પાકિસ્તાનમાં અમિટ હિન્દુ વારસો: હિંગળાજ માતાજીનું મંદિર
મિત્રો આજે અમે આપના માટે એક નવા લેખની શ્રેણી લઇને આવ્યા છીએ. અમે અમારા આ લેખ શ્રેણીમાં આપને પાકિસ્તાનમાં આવેલા પૌરાણિક મંદિરો અને તેના માહત્મ્ય વિશે પરિચય કરાવી રહ્યા છીએ. પાકિસ્તાન અને ભારત ભલે ભૌગોલિક રીતે અલગ પડી ગયા હોય પરંતુ ત્યાંની ધરતીમાં હજી પણ હિન્દુ સંસ્કૃતિનો અમીટ વારસો સંગરાયેલો છે. હજારો-લાખો વર્ષથી અહીં હિન્દુ દેવી-દેવતાઓના મંદિરો હેમખેમ અવસ્થામાં ઊભા છે, અને તેની માવજત પાકિસ્તાનમાં વસતા હિન્દુઓ કરી રહ્યા છે. આ ઉપરાંત અહીંના મંદિરોનું એટલું સત્ય છે કે ભારતથી પણ લોકો ત્યાં દર્શન કરવા જાય છે.
આ શ્રેણીના અંતર્ગત અમે આપને આ પહેલા પાકિસ્તાનમાં આવેલા પંચમુખી હનુમાન મંદિર અને કટાસરાજ મંદિર અંગે પરિચય કરાવી ચૂક્યા છીએ. આ શ્રેણીમાં આગળ વધતા અમે આજે આપને લઇ જઇ રહ્યા છીએ પાકિસ્તાનમાં આવેલા પ્રસિદ્ધ હિંગળાજ ભવાની માતાના મંદિરે. તો આવો જાણીએ પાકિસ્તાનમાં આવેલા આ મંદિરનું શું છે માહત્મ્ય.
આપે હિંગળાજ માતાજીનું નામ તો સાંભળ્યું જ હશે. હિંગળાજ માતા ક્ષત્રિયોના કુળદેવી કહેવાય છે. પ્રસિદ્ધ હિંગળાજ ભવાની માતાનું બલુચિસ્તાનમાં આવેલુ મંદિર 52 શક્તિપીઠોમાંથી એક છે. આ મંદિર કરાચીથી 250 કિલોમીટર દૂર ક્વેટા-કરાચી રોડ પર રાષ્ટ્રીય રાજમાર્ગથી લગભગ કલાક જેટલા અંતરે આ મંદિર આવેલું છે. મંદિરના વાર્ષીક મેળામાં અહી હિન્દૂ અને મુસ્લિમ બંન્ને સામેલ થાય છે.
અહીના સ્થાનિય લોકો હિંગળાજ માતાના મંદિરને શ્રદ્ધાથી અને હુલામણા નામ 'નાનીનું હજ' અથવા 'નાનીનું મંદિર' કહે છે. નાનીનો અર્થ અત્રે ઈરાનની દેવી અનાહિતાથી થાય છે. એવું કહેવામાં આવે છે કે, માતાના દર્શન માટે ગુરૂનાનક દેવ પણ અત્રે આવ્યા હતા. જો આપના પણ કુળદેવી હિંગળાજ માતા હોય તો આપ પણ અત્રેની યાત્રા કરી શકો છો.
હિંગળાજ માતાના દર્શન કરો તસવીરોમાં...
હિંગળાજ ભવાની માતાનું મંદિર
અમે આપને આ પહેલા પાકિસ્તાનમાં આવેલા પંચમુખી હનુમાન મંદિર અને કટાસરાજ મંદિર અંગે પરિચય કરાવી ચૂક્યા છીએ. આ શ્રેણીમાં આગળ વધતા અમે આજે આપને લઇ જઇ રહ્યા છીએ પાકિસ્તાનમાં આવેલા પ્રસિદ્ધ હિંગળાજ ભવાની માતાના મંદિરે. તો આવો જાણીએ પાકિસ્તાનમાં આવેલા આ મંદિરનું શું છે માહત્મ્ય.
ક્ષત્રિયોના કુળદેવી
આપે હિંગળાજ માતાજીનું નામ તો સાંભળ્યું જ હશે. હિંગળાજ માતા ક્ષત્રિયોના કુળદેવી કહેવાય છે.
52 શક્તિપીઠો
આપે હિંગળાજ માતાજીનું નામ તો સાંભળ્યું જ હશે. હિંગળાજ માતા ક્ષત્રિયોના કુળદેવી કહેવાય છે. પ્રસિદ્ધ હિંગળાજ ભવાની માતાનું બલુચિસ્તાનમાં આવેલુ મંદિર 52 શક્તિપીઠોમાંથી એક છે.
250 કિલોમીટર દૂર
આ મંદિર કરાચીથી 250 કિલોમીટર દૂર ક્વેટા-કરાચી રોડ પર રાષ્ટ્રીય રાજમાર્ગથી લગભગ કલાક જેટલા અંતરે આ મંદિર આવેલું છે.
હિન્દૂ અને મુસ્લિમ બંને મળે છે
મંદિરના વર્ષીય મેળામાં અહી હિન્દૂ અને મુસ્લિમ બંન્ને સામેલ થાય છે.
નાનીનું મંદિર
અહીના સ્થાનિય લોકો હિંગળાજ માતાના મંદિરને શ્રદ્ધાથી અને હુલામણા નામ 'નાનીનું હજ' અથવા 'નાનીનું મંદિર' કહે છે. નાનીનો અર્થ અત્રે ઈરાનની દેવી અનાહિતાથી થાય છે. એવું કહેવામાં આવે છે કે, માતાના દર્શન માટે ગુરૂનાનક દેવ પણ અત્રે આવ્યા હતા.
ગુજરાતના ઇતિહાસને ઊજાગર કરે છે ભુજના આ આકર્ષણો...