ગુજરાતનું નિહાળવાલાયક અદભૂત દર્શનિય સ્થળ, વાંકાનેર
વાંકાનેરનું નામ તેના લોકેશન પરથી પડ્યું છે. તે મચ્છુ નદીના તીરે વર્તુળાકાર વળાંક પર આવેલું છે, એટલે જ તેનું નામ વાંકાનેર પડ્યું છે. 'વાંકા' એટલે કે 'વળાંક' અને 'નેર' એટલે નદી. અહીં ઝાલા રાજપૂત શાસકોનું વર્ચસ્વ હોવાથી વાંકાનેર સૌરાષ્ટ્રના ઝાલવાડ કહેવાતા વિસ્તારનો એક ભાગ હતું. મહારાજા અમરસિંહજી ત્યાંના શાસક હતા, જેમના કાળખંડમાં વાંકાનેર એક વ્યવસ્થિત અને વિકાસશીલ રાજ્ય બન્યું અને ત્યાં કળા અને શિલ્પના મહાન સંરક્ષક હતા.
રણજીત વિલાસ મહેલના મહારાજા અમરસિંહજીએ બનાવ્યું હતું જે આજની તારીખમાં શાહી પરિવારને અધિકૃત છે. આ મહેલમાં અનેક પ્રકારના શિલ્પનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ગોથિક મેહરાબ અને સ્તંભ, સંગેમરમરની બાલકની, મોગલ ડોમવાળુ ક્લોક ટાવર, ફ્રાંસીસી અને ઇટાલિયન સ્ટાઇલની બારીના કાંચ એ જણાવવા માટે પૂરતા છે કે કેવી રીતે વિશ્વના અનેક સ્થળોની શાનદાર સ્ટાઇલને એકસાથે એક સ્થળ પર લાવી શકાય છે.
આ મહેલમાં દુર્લભ વાહનોનું કલેક્શન પણ છે. રોયલ ઓએસિસ મહારાજાનો ગરમીઓના દિવસનો મહેલ હતો. તે મચ્છુ નદી પાસે સ્થિત છે અને તેની અંદર એક પુલ પણ છે, જેને આર્ટ ડેકો સ્ટાઇલમાં સજાવવામાં આવ્યો છે. રોયલ રેસિડેન્સી અને રોયલ ઓએસિસ બન્નેને પરંપરાગત હોટલમાં બદલી નાંખવામાં આવ્યા છે અને તે ગુજરાત સરકારને આધીન છે. વાંકાનેરની આ હસ્તશિલ્પ રાજપરિવારની ધૂમ અને ભવ્યતાને દર્શાવે છે. તો ચાલો તસવીરો થકી જોઇએ વાંકાનેરને.

રોયલ ઓએસિસ
વાંકાનેરમાં આવેલું રોયલ ઓએસિસ

રોયલ ઓએસિસ
વાંકાનેરમાં આવેલું રોયલ ઓએસિસ

રોયલ ઓએસિસ
વાંકાનેરમાં આવેલું રોયલ ઓએસિસ

રોયલ ઓએસિસ
વાંકાનેરમાં આવેલું રોયલ ઓએસિસ

વાંકાનેર - વાવ
વાંકાનેરમાં આવેલી વાવ

વાંકાનેર - વાવ
વાંકાનેરમાં આવેલી વાવ

વાંકાનેર - વાવ
વાંકાનેરમાં આવેલી વાવ

રોયલ ઓએસિસ
વાંકાનેરમાં આવેલું રૉયલ ઓએસિસ ઍન્ડ રેસિડન્સી

રોયલ ઓએસિસ
વાંકાનેરમાં આવેલું રૉયલ ઓએસિસ ઍન્ડ રેસિડન્સી












Click it and Unblock the Notifications
