શ્રાદ્ધપક્ષમાં ભૂલથી પણ આ કામ ન કરો
7 સપ્ટેમ્બર થી પિતૃ પક્ષની શરૂઆત થાય છે. આ સમય દરમિયાન પિતૃઓના શ્રાદ્ધ કરી તેમને મોક્ષ આપવામાં આવે છે. પરંતુ તેમાં કેટલીક વસ્તુની ભૂલ ન થાય તેની ધ્યાન રાખવામાં આવે એ જરીરૂ છે. તો કઈ વસ્તુ રાખવુ ધ્યાન
આ વર્ષે પિતૃપક્ષ એટલે કે શ્રાદ્ધ 7 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહ્યો છે અને હિંદુ ધર્મમાં પિતૃપક્ષને ખૂબ જ આદરથી પોતાના પૂર્વજોને ખુશ કરવા મનાવવામાં આવે છે. શ્રાદ્ધનું હિંદુ ધર્મમાં ઘણું મહત્વ છે. એવું મનાય છે કે પિતૃપક્ષ દરમિયાન પોતાના પિતૃઓનું શ્રાદ્ધ કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ જળવાઈ રહે છે. આ દિવસો દરમિયાન એવા કામો કરવાથી બચો, જેનાથી તમારા પિતૃઓ નારાજ થાય અને તેનું પરિણામ તમારે ભોગવવું પડે.

પ્રાણીઓ અને પક્ષીઓને મારશો નહિં
14 દિવસ સુધી ચાલતા શ્રાદ્ધપક્ષ દરમિયાન ઘરની આસપાસ આવનારા જનાવરો અને પક્ષીઓને મારવાથી બચો. કારણ કે આપણે જાણતા નથી કે આપણા પિતૃઓ કયા રૂપે આપણને આશિર્વાદ આપવા આવશે. પરિણામે આ સમયે ઘરની આસપાસ આવનાર જાનવર કે પક્ષીને ભગાડવું કે મારવું નહિં.

શુભ કામ ન કરવા
શ્રાદ્ધ પક્ષ દરમિયાન કોઈ શુભ કામ કરવું નહિં. જેમકે કોઈ નવી વસ્તુની ખરીદી કે માંગલિક કામો કરવા નહિં. પિતૃપક્ષમાં આખો સમય પોતાના પિતૃઓને યાદ કરવા જોઈએ અને તેમનુ શ્રાદ્ધ કરવું જોઈએ. ઘણા લોકોને આ વિશે ખબર હોતી નથી અને તેઓ પોતાના ઘરમાં નવી વસ્તુઓ લઈ આવે છે, જે યોગ્ય નથી.

ધાબા પર રાખો પાણી ભરેલું વાસણ
આમ તો તમારે દરરોજ ધાબા પર જમવાનું અને પાણી મુકવું જોઈએ. પણ જો તમે તેમ ન કરી શકો તો શ્રાદ્ધ દમિયાન જરૂર કરો. જેથી તમારા પૂર્વજો અને પક્ષીઓની ભૂખ અને તરસ છીપાય. કારણ કે એવું કહેવાય છે કે આ દરમિયાન પૂર્વજો પક્ષીઓના રૂપે તમારી પાસે આવે છે.

કાળા તલનો ઉપયોગ
શ્રાદ્ધપક્ષમાં હિંદુ સમાજના લોકો બ્રાહ્મણોને ભોજન કરાવે છે, જે શુભ મનાય છે. પિતૃપક્ષ દરમિયાન માત્ર કાળા તલનો ઉપયોગ કરવો જોઈએ, કારણ કે આ દરમિયાન કાળા તલથી પિતૃ તર્પણ કરવાથી પિતૃઓને શાંતિ મળે છે.

આ ચીજો ખાવી નહિં
પિતૃપક્ષ દરમિયાન આ ચીજો ખાવી નહિં જેવી કે, સરસવનું સાક, જીરુ, કાળુ મીઠુ, દૂધી, ખીરા વગેરે. આ દરમિયાન આ ચીજો ખાવી અશુભ છે અને આ દરમિયાન માંસ પણ ખાવુ નહિં. તેનાથી તમારા ઘરમાં અશાંતિ આવે છે.
-
સુરત ઈકોનોમિક રિજિયન SERને રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 1185 કરોડ ફળવાયા -
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ -
IND vs NZ Final: ન્યુઝીલેન્ડે જીત્યો ટોસ, ભારત પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11










Click it and Unblock the Notifications
