Diwali 2022 : દિવાળીએ સુર્ય ગ્રહણ અને દેવ દિવાળી પર ચંદ્ર ગ્રહણ, આ રાશિ પર થશે અસર
હિંદુ કેલેન્ડર અનુસાર આ વર્ષે કારતક માસ ખાસ રહેવાનો છે. કારતક માસમાં હિંદુ ધર્મનો સૌથી મોટો તહેવાર દિવાળી ઉજવવામાં આવે છે અને તે પછી કારતક માસની પૂર્ણિમાના દિવસે દેવ દિવાળી ઉજવવામાં આવે છે.
હિંદુ કેલેન્ડર અનુસાર આ વર્ષે કારતક માસ ખાસ રહેવાનો છે. કારતક માસમાં હિંદુ ધર્મનો સૌથી મોટો તહેવાર દિવાળી ઉજવવામાં આવે છે અને તે પછી કારતક માસની પૂર્ણિમાના દિવસે દેવ દિવાળી ઉજવવામાં આવે છે. આ વખતે બન્ને પર્વ પર ગ્રહણનો પડછાયો રહેશે. આ દિવાળી પર સુર્ય ગ્રહણ લાગશે અને દેવ દિવાળીના રોજ ચંદ્ર ગ્રહણ લાગશે. ફક્ત 15 દિવસમાં 2 ગ્રહણ દરેક રાશિ પર પડશે.
સુર્ય ગ્રહણ અને ચંદ્ર ગ્રહણની તારીખ
આસો મહિનાની અમાસના રોજ દિવાળી મનાવવામાં આવે છે. આ દિવસે માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. દિપકના અજવાળા અનેસજાવટ દ્વારા ઘરનો દરેક ખુણો દિપી ઉઠે છે. આ વર્ષે આસો માસની અમાસ તિથિ 24 ઓકટોબરની સાંજે શરૂ થશે ને આ દિવસે દિવાળીઉજવવામાં આવશે.
સુતક કાલ 24 ઓકટોબરની મધ્ય રાત્રિથી શરૂ થઇ
આ સાથે એના પછીના દિવસે 25 ઓકટોબરની સાંજે 04 કલાક અને 23 મિનિટથી સુર્ય ગ્રહણ શરૂ થશે, જે સાંજે 6 કલાકઅને 25 મિનિટ સુધી રહેશે. જેનો સુતક કાલ 24 ઓકટોબરની મધ્ય રાત્રિથી શરૂ થઇ જશે. જોકે, ભારતમાં સુર્ય ગ્રહણ દેખાશે તેથી તે માન્યગણાશે નહીં.
વિદ્વાનોએ એક દિવસ પહેલા જ દેવ દિવાળી ઉજવવાનો નિર્ણય
આ સાથે કારતક પૂર્ણિમાના રોજ આવતી દેવ દિવાળી 8 નવેમ્બરના રોજ ઉજવવામાં આવશે. જોકે, 8 નવેમ્બરના રોજ ચંદ્ર ગ્રહણ થવાનેકારણે આ વખતે દેવ દિવાળીના એક દિવસ પહેલા 7 નવેમ્બરના રોજ ઉજવી લેવામાં આવશે.
તેનો સુતક કાળ પણ માન્ય રહેશે
આ ચંદ્ર ગ્રહણ ભારતમાં જોવા મળશે અને તેનો સુતક કાળ પણ માન્ય રહેશે, જેથી વિદ્વાનોએ એક દિવસ પહેલા જ દેવ દિવાળી ઉજવવાનો નિર્ણય કર્યો છે.
સૂર્યગ્રહણની રાશિ પર થશે આવી અસર
સૂર્યગ્રહણ 4 રાશિઓ માટે સારું સાબિત થશે નહીં. વૃષભ, મિથુન, કન્યા અને તુલા રાશિના લોકોએ દિવાળીના પર્વ પર આવતા સૂર્યગ્રહણદરમિયાન થોડા વધુ સાવધાન રહેવાની જરૂર છે.
વૃષભ -
આ સૂર્યગ્રહણ વૃષભ રાશિના લોકો માટે તણાવ આપનારૂ બની શકે છે.
મિથુન -
મિથુન રાશિના જાતકો માટે નોકરી-ધંધામાં વિવિધ સમસ્યાઓ લાવી શકે છે.
કન્યા -
સુર્ય ગ્રહણના કારણે કન્યા રાશિના જાતકોને આર્થિક તંગીનો સામનો કરવો પડી શકે છે.
તુલા -
તુલા રાશિના જાતકોના સ્વાસ્થ્ય પર આ સૂર્યગ્રહણને કારણે માઠી અસર થઇ શકે છે.
સાધના અને મંત્રોના જાપ ખૂબ જ ફાયદાકારક
દિવાળીની પૂજા તો થશે, પરંતુ આ વર્ષે દિવાળીની રાત્રે મહાનિષઠના સમયમાં સાધના કરવા માટે ઓછો સમય રહેશે. આ વર્ષે, દિવાળી પર મહાનિષિત કાલનો સમય 3 કલાક બાદ 24 ઓક્ટોબરની રાત્રે 10:55 વાગ્યાથી 01:53 વાગ્યા સુધી એક જ રહેશે. આ દરમિયાન દેવી લક્ષ્મીની આધ્યાત્મિક સાધના અને મંત્રોના જાપ ખૂબ જ ફાયદાકારક છે