સુખમય દાંપત્યજીવન માટે અપનાવો આ ફેંગશુઈ ટિપ્સ
[ટિપ્સ] આપણે ત્યાં સામાન્ય રીતે પતિ-પત્નીના જોક્સ વધારે ફેમશ છે. કારણ કે પતિ-પત્નીના સંબંધોમાં તકરાર વધારે જોવા મળે છે અને આ વાત સર્વ સામાન્ય પણ છે.
લગ્ન બાદ એવું કોઇ કપલ નથી કે તેના જીવનમાં એક પણ તકરાર ના થઇ હોય કે તેમની વચ્ચે સામાન્ય નોંકજોક ના થઇ હોય. કહેવાય છે કે જે ઘરમાં બે વાસણ હોય તે ખખડવાના જ.
પરંતુ આજે અમે આપના માટે આ લેખમાં એવી ફેંગશુઇ ટિપ્સ લઇને આવ્યા છીએ જેને અમલમાં મૂકતા આપના અને આપના પાર્ટનર વચ્ચે ઝઘડા નહીં પરંતુ પ્રેમમાં વધારો થશે.
અપનાવો આ ફેંગશુઇ ટિપ્સ જેનાથી આપનું લગ્નજીવન બનશે સુખમય...
1
ઘરમાંથી નકામી અને કામમાં ના આવનારી ચીજ-વસ્તુઓને બહાર કરી દો. આવી ચીજવસ્તુઓ ઘરમાં નકારાત્મક ઊર્ઝા પેદા કરે છે.
2
જ્યાં આપનો ડાઇનિંગ રૂમ હોય ત્યાં ટીવી ના રાખવું જોઇએ, અથવા જ્યાં ટીવી હોય ત્યાં ડાઇનિંગ રૂમ ના રાખવું જોઇએ.
3
આપના ઘરના મુખ્ય દ્વાર પર હંમેશા એક મધ્યમ પ્રકાશ રાખો.
4
ઘરનો દરવાજો ખુલતા જ સૌથી પહેલા આપની સામે લાફિંગ બુદ્ધાની મૂર્તિ હોવી જોઇએ. જે આપના ઘરમાં ખુશહાલી ભરી દેશે.
5
આપના ઘરના કોઇપણ ખૂણામાં આપ રેડ-રોજ અથવા વાઇલ લિલી ફ્લાવરનો ગુલદસ્તો રાખવાની કોશિશ કરો.
6
એક વાતનું તો ચોક્કસ ધ્યાન રાખવું જોઇએ કે ઘરમાં કોઇપણ ચીજવસ્તુઓ અસ્તવ્યસ્ત હાલતમાં ના રહેવી જોઇએ.
7
ઘણા કપલ્સની આદત હોય છે કે તેઓ પોતાનો સામાન ફેલાવીને રાખવામાં માને છે પરંતુ એવું કરવાથી ઘરમાં ખુશીઓ નથી આવતી.
8
લિવિંગ રૂમમાં અથવા ડ્રોઇંગ રૂમમાં ઘોડાની તસવીરો ચોક્કસ લગાવો.
9
હંમેશા એક વાતનું ધ્યાન રાખો કે કાચના ગ્લાસમાં જ પાણી પીવો.
10
ક્યારેય પણ કાચ અને પ્લાસ્ટિકના વાસણોને સાથે રાખો નહીં.