દિવાળીના દિવસે લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે કરો આ વસ્તુઓનુ પુજન
દિવાળીનો સમય જેમ-જેમ નજીક આવી રહ્યો છે તેમ તેમ લોકોના મનમાં કુતુહલ વધતુ જઈ રહ્યુ છે કે, એવુ તો શુ કરીએ કે લક્ષ્મી આપણા ઘરમા સ્થાયી રીતે વિરાજમાન રહે...
દિવાળીનો સમય જેમ-જેમ નજીક આવી રહ્યો છે તેમ તેમ લોકોના મનમાં કુતુહલ વધતુ જઈ રહ્યુ છે કે, એવુ તો શુ કરીએ કે લક્ષ્મી આપણા ઘરમા સ્થાયી રીતે વિરાજમાન રહે.
સોપારીમાં નાળાછડી લપેટી માતા લક્ષ્મીની પુજા કરો. ત્યારબાદ ચોખા, ફુલો, રોલી, હળદરની પુજા કરો ત્યારબાદ તેને ધનના સ્થાને મુકી દો. લક્ષ્મી પુજામાં શ્રી યંત્ર, કુબેર યંત્ર, એકાક્ષી નારિયળ વગેરે મુકી વિધિ-વિધાનથી પુજા કરવાથી માતા લક્ષ્મીની કૃપા તમારા પર બનેલી રહે છે. શ્વેતાર્ક ગણેશની પ્રતિમા ઘરે લાવી માતા લક્ષ્મી સાથે વિધિવત તેનુ પુજન કરવાથી અનેક લાભ થાય છે. માતા લક્ષ્મીને દક્ષિણાવર્તી શંખ અતિપ્રિય છે, પરિણામે દિવાળીના દિવસે દક્ષિણાવર્તી શંખની પુજા કરી તેને તિજોરીમાં રાખવાથી માતા લક્ષ્મીની કૃપા હંમેશા તમારા પર રહે છે.
વધુ જાણકારી મેળવો નીચેની તસ્વીરોમાં....

હળદરની ગાંઠ
દિવાળીના દિવસે પુજા સમયે એક આખી હળદરની ગાંઠ મુકી પુજન કરવાથી હંમેશા ઘરમાં ધન વર્ષા થતી રહે છે. ધનતેરસના દિવસે ઘરના મુખ્ય દ્વારની બંને બાજુ રોલી, ચંદન, કેસર, હળદર અને ગંગાજળ મિક્સ કરી 9 ઈંચનો સ્વસ્તિક બનાવવાથી આખા વર્ષ દરમિયાન તમારા ઘરમાં સુખદ વાતાવરણ જળવાઈ રહે છે.

સ્વસ્તિકનુ નિશાન
લક્ષ્મી પુજામાં એક નારિયળને લાલ કપડામાં લપેટી તેના પર સ્વસ્તિક બનાવો અને કળશ પર રાખી તેનુ પુજન કરો. આમ કરવાથી લક્ષ્મીની કૃપા સદૈવ તમારા પર રહેશે. ઉપરાંત દિવાળીના દિવસે તમારા ઘરના દ્વાર, વાહનો, પુજા થાળી ઉપરાંત પુજા સમયે મુકાયેલા નાણા અને ચોપડા પર પણ સ્વસ્તિકનુ નિશાન બનાવવુ જોઈએ.

પીળી કોડી
દિવાળીની રાત્રે સાત પીળી કોડી, રોલી, કંકુ, ચોખા અને ફુલ થી પુજા કરવાથી પણ માતા લક્ષ્મીને પ્રસન્ન કરી શકાય છે. કોડીની પુજા કર્યા બાદ તેને એક લાલ કપડામાં બાંધી ધંધાના ગલ્લામાં રાખવાથી તમારા વેપારમાં હંમેશા પ્રગતિ થતી રહે છે.

કમળનુ ફુલ
માતા લક્ષ્મી કમળના પુષ્પ પર વિરાજેલા છે. પરિણામે જ્યારે પણ લક્ષ્મીની પુજા કરવામાં આવે ત્યારે-ત્યારે કમળનુ પુષ્પ અતિ આવશ્યક છે.
દિવાળીના દિવસે ઘરની સ્ત્રીઓને ગિફ્ટ આપી ખુશ રાખવાથી માતા લક્ષ્મી પ્રસન્ન રહે છે.
-
સુરત ઈકોનોમિક રિજિયન SERને રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 1185 કરોડ ફળવાયા -
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ -
IND vs NZ Final: ન્યુઝીલેન્ડે જીત્યો ટોસ, ભારત પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11









Click it and Unblock the Notifications
