મહાશિવરાત્રી 2018: આ વર્ષે શિવરાત્રીમાં ભૂલથી પણ ન કરશો આ કામ!
આ વર્ષે શિવરાત્રીએ પૂજા કરતી વખતે ન કરશો આ ભૂલો, જેને કારણે સૌભાગ્યની જગ્યાએ તમારે મુશ્કેલીનો સામનો કરવો પડે.
આ વર્ષે 13 ફેબ્રુઆરી અને 14 ફેબ્રુઆરીએ મહાશિવરાત્રીનો તહેવાર આવી રહ્યો છે. મહાશિવરાત્રી હિંદુ ધર્મનો પ્રમુખ તહેવાર છે. હિંદુ કેલેન્ડર અનુસાર આ વર્ષે ફાલ્ગુન માસમાં 13મી અને 14મી એ આ તહેવાર ઉજવાશે. મહાશિવરાત્રીનું શુભ મુહૂર્ત 13 ફેબ્રુઆરીની અડધી રાતથી શરૂ થઈ 14 ફેબ્રુઆરી સુધી રહેશે. આ વર્ષે મંગળવારની રાત્રે 10 વાગ્યાને 35 મિનિટે ચતુર્દશી તિથિનો પ્રારંભ થઈ જશે. 14 ફેબ્રુઆરીની રાતે 12 વાગ્યાને 46 મિનિટ સુધી ચતુર્દશી રહેશે. જેથી મહાશિવરાત્રીનું શુભ મુહૂર્ત 13 ફેબ્રુઆરીની અડધી રાતથી શરૂ થઈ 14 ફેબ્રુઆરી સુધી રહેશે. જેમાં રાતના ચારે પહોર શિવની આરાધના કરી શકાશે. જો કે અગત્યની વાત એ છે કે આ આરાધના કરતી વખતે ભૂલથી આ કામ ન કરવા જેને કારણે સૌભાગ્યને બદલે તમને મુશ્કેલીનો સામનો કરવો પડે. મહાદેવને પસંદ છે સફેદ ફૂલ એવું મનાય છે કે ભગવાન શંકરને સફેદ ફૂલ ખૂબ પસંદ છે. જેથી પૂજામાં લોકો તેમને ધતૂરાનું ફૂલ ચઢાવે છે. જો કે કેતકીના ફૂલ ભૂલથી પણ ન ચઢાવા જોઈએ.

શિવને તુલસી ન ચઢાવો
તુલસી એક એવો છોડ છે જેનો ઉપયોગ દરેક પૂજામાં અને તમામ દેવોને ચઢાવામાં આવે છે. જો કે ભગવાન શિવની પૂજામાં તુલસીનો પ્રયોગ વર્જિત છે. ખાસ કરીને શિવલિંગ પર તુલસી ન ચઢાવી જોઈએ. તુલસી ભગવાન વિષ્ણુની પ્રિય છે.
આખા ચોખા જ ચઢાવો
શિવલિંગનો અભિષેક કરવા માટે જળમાં ચોખાના થોડા દાણા નાખવા શુભ મનાય છે. જો કે ધ્યાન રાખવું કે તુટેલા ચોખા ભૂલથી પણ ન ચઢાવો. જળાભિષેકમાં તૂટલા ચોખા ચઢાવાથી અશુભ ફળ મળે છે.
ખંડિત બિલીપત્ર ન ચઢાવો
ભગવાન શિવને કોઈ વસ્તુ અત્યંત પ્રિય હોય તો તે છે બિલીપત્ર. ભગવાન શિવને બિલીપત્ર ચઢાવતી વખતે હંમેશા ધ્યાન રાખો કે તે ત્રણ પાંદડા કે તેથી વધુ પાંદડાના જ હોય. ખંડિત બિલીપત્ર કે કીડાએ ખાધેલા પાન ભૂલથી પણ ન ચઢાવવા.
-
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
અમદાવાદમાં આકાર લેશે ભવ્ય 'સ્પોર્ટ્સ એન્ક્લેવ', ઓલિમ્પિક સ્તરની સુવિધાઓ માટે સરકારે ખોલી તિજોરી -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ












Click it and Unblock the Notifications
