દિવાળીની રાત્રે આ પ્રાણીઓ દેખાય તો થાય છે મા લક્ષ્મીની કૃપા!
દિવાળી એટલે દિપ અને રોશનીની એ પ્રકાશ જે આખા વર્ષને નવી ઉર્જાથી ભરી દે છે આ દિવસે મા લક્ષ્મીને પ્રસન્ન કરવાના અનેક ઉપાયો છે. આ દિવસે કેટલાક પ્રાણીઓ જોવા મળે તો પણ થાય છે અનેક લાભ આ અંગે વધુ વાંચો અહીં
દિવાળીનો તહેવાર આવતાની સાથે બધે જ ધુમ મચી જાય છે. દિવાળીએ હિંદુઓનો મુખ્ય તહેવાર છે, પણ આપણા દેશમાં તમામ ધર્મના લોકો તેને ઉજવે છે. આ દિવસે ભગવાન ગણેશ અને માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. બાળકો ફટાકડા ફોડી તહેવારને માણે છે. એવું કહેવાય છે કે દિવાળી વખતે કેટલાક એવા સંકેતો મળે છે જેનાથી જાણી શકાય છે કે માતા લક્ષ્મીનો આશિર્વાદ ભક્ત પર છે. જો આ દિવાળી રાત્રે આવા કોઈ સંકેતો મળે તો તેનો કોઈ અર્થ કાઢવો જોઈએ, કારણ કે એવું મનાય છે કે આ દિવસ તમને જણાવશે કે લક્ષ્મીનો આશિર્વાદ તમારા પર છે કે નહિં? આ દિવસે તમને આ ત્રણ જનાવરો દેખાય તો સમજી લેવું કે તમારી પાસે માતા લક્ષ્મી આવવાની છે. પણ શું તમે જાણો છો કે આ ત્રણ જનાવર કયા છે? જો નહિં તો આજે અમે તમને જણાવિશું આ ત્રણ જનાવરો વિશે. દિવાળીના દિવસે તમને તે દેખાય તો સમજી લેજો કે તમને લાભ થવાનો છે.

ગરોળી
તમે કહેશો કે ગરોળીતો સામાન્ય દિવસોમાં પણ તમારા ઘરમાં દેખાય છે તો દિવાળ પર ખાસ શું છે? સામાન્ય દિવસોમાં જોવા મળતી ગરોળી દિવાળીના સમયે ભાગ્યે જ તમને દિવાલ પર જોવા મળશે. માન્યતા છે કે, દિવાળીના દિવસે તમને દિવાલ પર ફરતી ગરોળી જોવા મળે તો માની લેજો કે તમને ધનલાભ થવાનો છે અને લક્ષ્મીનું તમારા ઘરમાં આવવું પાક્કુ છે.

છછુંદર
લોકોના ઘરોમાં છછુંદર હોવું એ સામાન્ય વાત છે. છછુંદર દેખાવમાં ઉંદર જેવા જ હોય છે. એવું કહેવાય છે કે, તેનું ઘરમાં દેખાવું ખૂબ જ શુભ સંકેત છે. એવા અનેક ઘરો છે જ્યાં છછુંદરોએ હેરાન કરી મુક્યા હોય. પણ જો દિવાળીના દિવસે કે રાત્રે છછુંદર દેખાય તો માની લેવું કે તમને આર્થિક લાભ થશે અને બધુ જ સારુ થશે.

બિલાડી
અન્ય દિવસોમાં બિલાડી તમારા ઘરમાંથી દૂધ પીને જતી રહે તો તમે તેને ઘરમાં ઘુસવા દેતા નથી. પણ દિવાળીમાં જો બિલાડી તમારા ઘરમાં પ્રવેશ કરે અને તમારા ઘરમાં મુકેલુ દૂધ પી જાય તો માતા લક્ષ્મીના આવવાનો આ સંકેત છે. દિવાળીના દિવસે બિલાડીનું દેખાવુ શુભ છે.

ઘુવડ
નવરાત્રીના દિવસોમાં ધુવડનું દેખાવું શુભ સંકેત છે. તે જ રીતે દિવાળીની રાત્રે પણ દેખાવું શુભ છે. ધુવડ હંમેશા રાત્રે જ નીકળે છે અને દિવાળીના દિવસે તમને ક્યાંય પણ અંધારુ જોવા નહિં મળે. જેથી ઘુવડ પણ દેખાતા નથી. તેમ છતાં તમને ઘુવડ દેખાઈ જાય તો સમજી લેવું કે તમારા ઘરમાં લક્ષ્મીની કૃપા થવાની છે.
-
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
Weather Update: આસામ-બંગાળ સહિત 13 રાજ્યોમાં આંધી-તોફાનની આગાહી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત



Click it and Unblock the Notifications
