દિવાળીની રાત્રે આ પ્રાણીઓ દેખાય તો થાય છે મા લક્ષ્મીની કૃપા!
દિવાળી એટલે દિપ અને રોશનીની એ પ્રકાશ જે આખા વર્ષને નવી ઉર્જાથી ભરી દે છે આ દિવસે મા લક્ષ્મીને પ્રસન્ન કરવાના અનેક ઉપાયો છે. આ દિવસે કેટલાક પ્રાણીઓ જોવા મળે તો પણ થાય છે અનેક લાભ આ અંગે વધુ વાંચો અહીં
દિવાળીનો તહેવાર આવતાની સાથે બધે જ ધુમ મચી જાય છે. દિવાળીએ હિંદુઓનો મુખ્ય તહેવાર છે, પણ આપણા દેશમાં તમામ ધર્મના લોકો તેને ઉજવે છે. આ દિવસે ભગવાન ગણેશ અને માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. બાળકો ફટાકડા ફોડી તહેવારને માણે છે. એવું કહેવાય છે કે દિવાળી વખતે કેટલાક એવા સંકેતો મળે છે જેનાથી જાણી શકાય છે કે માતા લક્ષ્મીનો આશિર્વાદ ભક્ત પર છે. જો આ દિવાળી રાત્રે આવા કોઈ સંકેતો મળે તો તેનો કોઈ અર્થ કાઢવો જોઈએ, કારણ કે એવું મનાય છે કે આ દિવસ તમને જણાવશે કે લક્ષ્મીનો આશિર્વાદ તમારા પર છે કે નહિં? આ દિવસે તમને આ ત્રણ જનાવરો દેખાય તો સમજી લેવું કે તમારી પાસે માતા લક્ષ્મી આવવાની છે. પણ શું તમે જાણો છો કે આ ત્રણ જનાવર કયા છે? જો નહિં તો આજે અમે તમને જણાવિશું આ ત્રણ જનાવરો વિશે. દિવાળીના દિવસે તમને તે દેખાય તો સમજી લેજો કે તમને લાભ થવાનો છે.

ગરોળી
તમે કહેશો કે ગરોળીતો સામાન્ય દિવસોમાં પણ તમારા ઘરમાં દેખાય છે તો દિવાળ પર ખાસ શું છે? સામાન્ય દિવસોમાં જોવા મળતી ગરોળી દિવાળીના સમયે ભાગ્યે જ તમને દિવાલ પર જોવા મળશે. માન્યતા છે કે, દિવાળીના દિવસે તમને દિવાલ પર ફરતી ગરોળી જોવા મળે તો માની લેજો કે તમને ધનલાભ થવાનો છે અને લક્ષ્મીનું તમારા ઘરમાં આવવું પાક્કુ છે.

છછુંદર
લોકોના ઘરોમાં છછુંદર હોવું એ સામાન્ય વાત છે. છછુંદર દેખાવમાં ઉંદર જેવા જ હોય છે. એવું કહેવાય છે કે, તેનું ઘરમાં દેખાવું ખૂબ જ શુભ સંકેત છે. એવા અનેક ઘરો છે જ્યાં છછુંદરોએ હેરાન કરી મુક્યા હોય. પણ જો દિવાળીના દિવસે કે રાત્રે છછુંદર દેખાય તો માની લેવું કે તમને આર્થિક લાભ થશે અને બધુ જ સારુ થશે.

બિલાડી
અન્ય દિવસોમાં બિલાડી તમારા ઘરમાંથી દૂધ પીને જતી રહે તો તમે તેને ઘરમાં ઘુસવા દેતા નથી. પણ દિવાળીમાં જો બિલાડી તમારા ઘરમાં પ્રવેશ કરે અને તમારા ઘરમાં મુકેલુ દૂધ પી જાય તો માતા લક્ષ્મીના આવવાનો આ સંકેત છે. દિવાળીના દિવસે બિલાડીનું દેખાવુ શુભ છે.

ઘુવડ
નવરાત્રીના દિવસોમાં ધુવડનું દેખાવું શુભ સંકેત છે. તે જ રીતે દિવાળીની રાત્રે પણ દેખાવું શુભ છે. ધુવડ હંમેશા રાત્રે જ નીકળે છે અને દિવાળીના દિવસે તમને ક્યાંય પણ અંધારુ જોવા નહિં મળે. જેથી ઘુવડ પણ દેખાતા નથી. તેમ છતાં તમને ઘુવડ દેખાઈ જાય તો સમજી લેવું કે તમારા ઘરમાં લક્ષ્મીની કૃપા થવાની છે.
-
સુરત ઈકોનોમિક રિજિયન SERને રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 1185 કરોડ ફળવાયા -
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ -
IND vs NZ Final: ન્યુઝીલેન્ડે જીત્યો ટોસ, ભારત પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11









Click it and Unblock the Notifications
