ચંદ્ર ગ્રહણ અને ગર્ભવતી મહિલા પર થતી તેની અસર વચ્ચે સચ્ચાઇ શું?
આજે છે ચંદ્ર ગ્રહણ. ત્યારે ચંદ્રગ્રહણ, સ્વાસ્થાય અને ગર્ભાવસ્થા સાથે જાડાયેલા કેટલાક રસપ્રદ તથ્યો અને અફવાઓ વિષે જાણો અહીં.
શનિવાર એટલે કે આજે છે વર્ષ 2017નું પહેલું ચંદ્ર ગ્રહણય આ ચંદ્રગ્રહણ 10/11 ફેબ્રઆરીએ જોવા મળશે. જ્યારે પણ ગ્રહણની વાત થતી હોય ત્યારે ઘરના વડીલોના બનાવેલા નિયમોનું સખ્તાઈથી પાલન શરૂ થઈ જાય છે. જે ઘરમાં કોઈ સ્ત્રી માં બનવાની હોય તેવા ઘરોમાં તો આવા નિયમો ખાસ અનુસરાય છે. હંમેશા આવા મુદ્દાઓ પર ચર્ચા શરૂ થઈ જતી હોય છે કે ચંદ્રગ્રહણની આવી વાતો તેને માનવી કે નહીં માનવી.
વૈજ્ઞાનિકો મુજબ આ એક ખગોળીય ઘટના છે, જે ત્યારે થાય છે જ્યારે સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર એક સરળ રેખામાં હોય. વૈજ્ઞાનિક તથ્યો તેને કંઈક જુદી રીતે જુએ છે અને લોકવાયકા તેને કંઈક જુદી રીતે રજૂ કરે છે. ત્યારે આજે ચંદ્રગ્રહણને લઇને કેટલીક અંધશ્રદ્ધા અને કેટલાક વૈજ્ઞાનિક તથ્યા વિષે જાણાવીશું.

પૂજા-અર્ચના કરવી
આ ખગોળીય ઘટનાને ધર્મ સાથે જોડી દેવામાં આવી છે. પરિણામે ગ્રહણ વખતે લોકો જમવાનું ટાળે છે, અને અન્ય કોઈ શુભ કામ કરવાનું પણ ટાળે છે. આ સમયે એવું કહેવાય છે કે, બને તેટલો પૂજા પાઠ કરવો. ઘરને સાફ સુથરું રાખવુ અને ઈશ્વરનું ધ્યાન કરવું.

ચપ્પુ, કાતરનો ઉપયોગ ટાળવો
ગર્ભવતી સ્ત્રીઓને એવું કહેવામાં આવે છે કે, ગ્રહણ દરમિયાન કોઈ વસ્તુ કાપવી નહિં અને સોય-દોરાનો ઉપયોગ કે કાતરનો ઉપયોગ કરવો નહિં. એવું મનાય છે કે, ગ્રહણ દરમિયાન આ વસ્તુઓનો ઉપયોગ કરવાથી પેટમાં ઉછરનારા બાળક પર ખરાબ અસર પડે છે. આ સમયે ચપ્પુ કે કાતરનો ઉપયોગ કરો તો આવનાર બાળકના હોઠ કે કાન કપાયેલા હોય છે.

ગ્રહણ વખતે બહાર ન નીકળવું
ગર્ભવતી સ્ત્રીઓ અને કુંવારી છોકરીઓએ ગ્રહણ દરમિયાન ઘરની બહાર જવાનું ટાળવું. કારણ કે એવું મનાય છે કે, ગ્રહણ દરમિયાન જે નકારાત્મક ઉર્જા ફેંકાય છે તે બંને માટે હિતકારી મનાતી નથી.

ઊંચા સ્વરમાં મંત્ર જાપ
ગ્રહણ દરમિયાન કહેવાય છે કે બધાએ ઉંચા અવાજે મંત્રોચ્ચારણ કરવું જોઈએ. જેની પાછળના ધાર્મિક કારણો પણ હોય છે. વૈજ્ઞાનિક તથ્યોનું કહેવું છે કે, ગ્રહણ વખતે પૃથ્વી પર નકારાત્મક ઉર્જા પડે છે. મંત્રોના ઉચ્ચારણથી ઉઠનારી તરંગો ઘરની અંદર સકારાત્મક ઉર્જાનો પ્રવાહ ફરતો કરે છે. ઉંચો સ્વર હોવાને કારણે માણસનું મગજ માત્ર મંત્રોને જ સમજે અને સાંભળે છે, જેનાથી આસપાસની નકારાત્મક ઉર્જા તેને અસર કરતી નથી.

ખુલ્લી આંખે જોઈ શકાય
ચંદ્ર ગ્રહણને તમે કોઈ સ્પેશ્યલ ચશ્મા વિના ખુલ્લી આંખે જોઈ શકો છો, કારણ કે તેનાથી આંખોને નુકસાન થવાનું નથી. જોકે લોકો આમ કરવાથી પણ રોકતા હોય છે. પુરાણોમાં કહેવાયું છે કે, ચંદ્રને નગ્ન આંખોએ નિહાળવું નહિં કારણકે તેને શ્રાપ મળેલ છે, જે પણ તેને સીધી રીતે જુએ છે તે પણ કલંકનો શિકાર બની જાય છે. વૈજ્ઞાનિકો પણ આ વાતને સાચી માને છે.

Must Read :
-
IPL 2026: ઓરેન્જ કેપ માટે આ 5 વિસ્ફોટક બેટ્સમેનો વચ્ચે જામશે જંગ -
Silver price today: ચાંદી 4,219 રૂપિયા મોંઘી થઈ, રોકાણકારો માટે મોટા સમાચાર -
યુનિફોર્મ સિવિલ કોડને લઈને ગુજરાત સરકાર એક્શનમાં, સમિતિએ ભલામણો સોંપી -
પાકિસ્તાનની નાકાપ હરકત, અફઘાનિસ્તાનમાં હોસ્પિટલ પર બોમ્બમારો, 400 લોકોના મોત -
LPG Cylinder: કોમર્શિયલ ગેસ સિલિન્ડર પર સરકારનો ચોંકાવનારો નિર્ણય, આજથી બદલાયા નિયમ! -
યુદ્ધની સ્થિતિ વચ્ચે IIM-Aનો મોટો નિર્ણય: દુબઈના MBA વિદ્યાર્થીઓ અમદાવાદ કેમ્પસમાં ભણશે -
Weather Today: યુપી-એમપી સહિત 6 રાજ્યોમાં વરસાદની આશંકા, રાજસ્થાનમાં હીટવેવનું એલર્ટ જાહેર -
IPL 2026 : સનરાઈઝર્સની કમાન ઈશાન કિશના હાથમાં, સ્ટેન્ડઈન કેપ્ટન નિયુક્ત -
ગુજરાતમાં જલ્દી બદલાઈ જશે લગ્ન અને લીવ ઈનના નિયમો, અહેવાલ સોંપાયો -
જામનગર પંથકમાં કમોસમી વરસાદ, કાલથી આ જિલ્લાઓમાં આગાહી -
રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવશે, જાણો પુરો કાર્યક્રમ -
Gujarat Weather: રાજ્યમાં આજથી ત્રણ દિવસ કમોસમી વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં માવઠાની શક્યતા








Click it and Unblock the Notifications
