જાણો આપણા દેશમાં શા માટે કરવામાં આવે છે નાગની પૂજા?
શ્રાવણ વદ પાંચમના થાય છે નાગદેવની પુજા. ભગવાન શંકર અને વિષ્ણુએ આપ્યુ છે નાગદેવને વિશેષ સ્થાન.
શ્રાવણ વદ પાંચમ એટલે કે નાગપંચમી. આ વર્ષે 12મી ઓગસ્ટે નાગપંચમી ઉજવાશે. શ્રાવણ માસમાં આ પર્વની ઘણી માન્યતાઓ છે. આ વ્રતમાં નાગની પુજા કરવમાં આવે છે. હિંદુ ધર્મમાં નાગને દેવતા ગણવામાં આવે છે આથી આ દિવસનું મહત્વ ઘણું છે. તો આવો જાણીએ આ તહેવાર વિશેની ખાસ વાતો..

શ્રાવણ વદ પાંચમ
હિંદુ પંચાગ અનુસાર શ્રાવણ માસની વદ પાંચમે નાગપંચમીનો તહેવાર ઉજવવામાં આવે છે. આ દિવસે નાગ દેવ એટલે કે સાપની પૂજા કરવામાં આવે છે. હિંદુ પરંપરા પ્રમાણે આ દિવસે નાગ દેવને દૂઘ પીવડાવામાં આવે છે. ભારતના અનેક ભાગોમાં આ દિવસે કુસ્તીનું આયોજન કરવામાં આવે છે. ઉપરાંત આ દિવસે જનાવરોને નદી-સ્નાન કરાવામાં આવે છે.

શિવના ગળાનું આભુષણ
ભગવાન શંકરના આભુષણો વિશે જો વાત કરવામાં આવે તો તેમાં ત્રિશુંલ, ડમરુ, રુદ્રાક્ષ અને નાગ છે. આ તમામ આભુષણમાંથી નાગદેવ ભગવાનને વધુ પ્રિય છે. તેથી ભગવાન શંકરે તેને ગળાનું આભુષણ બનાવ્યું છે, જેને કારણે તેની પૂજાનું મહત્વ છે. વેદ અને પૂરાણોમાં નાગનો ઉદગમ મહર્ષિ કશ્યપ અને તેમની પત્ની કદ્રૂ દ્વારા થયાનું મનાય છે.

શેષનાગની શૈય્યા
ભગવાન શંકર જ નહી, પરંતુ ભગવાન વિષ્ણુએ પણ નાગદેવને આસન તરીકેનુ સ્થાન આપ્યુ છે. વિષ્ણુએ શૈષનાગને પોતાની શૈયા તરીકે સ્થાન આપતા તેનુ મહત્વ વધારે છે. ભગવાન વિષ્ણુની શૈય્યા શેષનાગ પર રહેવાને કારણે પણ નાગની પૂજા કરવામાં આવે છે. ભગવાન વિષ્ણુને પૂજનારા તેમના આસન શેષનાગની પણ જરૂર પૂજા કરે છે.

કૃષિ સંપદાનો રક્ષક
નાગ આપણા ખેતરમાં રહેલા પાકને કીટનાશકોથી બચાવે છે. ખેતરમાં રહેતા ઉંદરો, કીડાઓ કે જેઓ ખેતીને નુકશાન કરે છે તેને ખાઈ સાપ ખેડુતના પાકને બચાવે છે, આમ જોતા એક રીતે સાપ ખેડુતનો મિત્ર ગણાવી શકાય. આ માટે પણ આપણે ત્યાં સાપની પૂજા કરવાની જૂની પરંપરા છે.

પૂજાની રીત
- ઓમ નમઃશિવાય અને મહામૃત્યુંજય મંત્રનો સવાર-સાંજ જાપ કરવો જોઈએ.
- સવારે વહેલા ઉઠી ન્હાઈ-ધોઈ ચોખ્ખા વસ્ત્રો ધારણ કરવા. પૂજા માટે સેવૈયા, ચોખાની ખીર બનાવવી.
- ઘરની દિવાલ પર ગેરુ લગાવી પૂજાનું સ્થાન બનાવો. તેના પર કાચા દૂધમાં કોલસો ઘસી ગેરુ વાળી દિવાલ પર નાગદેવની આકૃતિ બનાવો.
- કેટલીક જગ્યાઓ પર સોના, ચાંદી અને લાકડાની કલમથી હળદર અને ચંદનની સહિ વડે મુખ્ય દરવાજે બંને બાજુ પાંચ 2 ફેણ વાળા નાગદેવતાનું ચિત્ર બનાવામાં આવે છે.
- ત્યારબાદ દિવાલ પર બનેલા નાગદેવતાને દહીં, દૂર્વા, ચોખા, સેવૈયા અને ફૂલો અને ચંદનથી પૂજન કરવું.
-
સુરત ઈકોનોમિક રિજિયન SERને રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 1185 કરોડ ફળવાયા -
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ -
IND vs NZ Final: ન્યુઝીલેન્ડે જીત્યો ટોસ, ભારત પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11











Click it and Unblock the Notifications
