બ્રહ્માંડમાં પ્રગટ થનારી સૌથી પહેલી શક્તિ એટલે શિવ
ભગવાન શિવ પંચતત્વોની અધ્યક્ષતા કરે છે. જે પૃથ્વી, આકાશ, જળ, વાયુ અને અગ્નિ છે. એવું મનાય છે કે પ્રકૃતિના આ તમામ રૂપો શિવલિંગમાં સમાયેલા છે.
ભગવાન ભોળા હિંદુ ધર્મના સૌથી મહત્વપૂર્ણ દેવી-દેવતાઓમાંના એક છે. ભગવાન શિવ ના અનુયાયીઓ તેમને સર્વોચ્ચ શક્તિ માને છે. 'ઓમકાર' કે પછી અસ્તિત્વ પહેલા પ્રગટ થયેલી ધ્વનિને ભગવાન શિવની ઉત્પત્તિ માનવામાં આવે છે. જો કે, હિંદુ પૌરાણિક કથાઓમાં ભગવાનના સૌથી પહેલા રૂપના વર્ણન વિશે વિરોધાભાસ છે, કારણ કે એવું મનાય છે કે શિવ જ ભગવાનનું સૌથી પહેલું સ્વરૂપ છે.

ભગવાન શિવ પંચતત્વોની અધ્યક્ષતા કરે છે. જે પૃથ્વી, આકાશ, જળ, વાયુ અને અગ્નિ છે. એવું મનાય છે કે, પ્રકૃતિના આ તમામ રૂપો શિવલિંગ માં સમાયેલા છે. બ્રહ્માંડમાં પ્રકટ થનારા પહેલા અને સૌથી શક્તિશાળી હોવાને કારણે તે નિરાકાર, લિંગહીન અને અસીમ છે. શિવપુરાણમાં ભગવાન શંકરના કુલ 64 રૂપોનું વર્ણન કરવામાં આવ્યું છે. શિવના આ રૂપો વિશે મોટાભાગના લોકોને જાણ નથી. શિવરાત્રી ના પવિત્ર તહેવારે અમે તમને ભગવાન શિવના 6 રસપ્રદ રૂપો વિશે વિસ્તૃત માહિતી આપીશું.

લિંગોદ્ભવ
લિંગોદ્ભવ ભગવાન શિવનું એક રૂપ છે, જે માગસર મહિનામાં કૃષ્ણચતુર્દશીના દિવસે જોઈ શકાય છે. લિંગોદ્ભવ ભગવાન વિષ્ણુ અને ભગવાન બ્રહ્માને એ જણાવવા દેખાય છે કે, ભગવાન શિવ જ પરમ આધ્યાત્મિક સ્વરૂપ છે. પૌરાણિક કથાઓમાં લિંગોદ્ભવનું વર્ણન પ્રકાશની એક અંતહીન કિરણના રૂપે કરેલો છે. મંદિરોમાં લિંગોદ્ભવની તસ્વીરને સીધી ચતુર્ભુજ મૂર્તિના રૂપે જોઈ શકાય છે. આ મૂર્તિમાં એક હરણ છે અને ઉપરી ભુજામાં કુલ્હાડી છે. બીજી બે ભુજાઓમાં તેઓ ભક્તોને આશિર્વાદ આપતી મુદ્રામાં છે. આ તસ્વીર મોટેભાગે શિવ મંદિરોની પશ્ચિમ દિવાલ પર જોવા મળે છે.
નટરાજ
નટરાજ એટલે નૃત્યનો રાજા. જે ભગવાન શંકરને નૃત્ય કરતી મુદ્રામાં દર્શાવે છે. એવું મનાય છે તે ભગવાન શંકર વિનાશના ભગવાન છે અને તેમનું આ રૂપ જીવન અને મૃત્યુ ચક્રની લય દર્શાવે છે. જ્યારે ભગવાન વિનાશનું નૃત્ય કરે છે ત્યારે તે 'તાંડવનૃત્ય' કહેવાય છે. જેમાં મૃત્યુ અને પુનર્જન્મનો સાર જોવા મળે છે. એવું મનાય છે કે જ્યારે ભગવાન શંકર નૃત્ય કરે છે, ત્યારે વિજળીનો ચમકારો થાય છે, વિશાળ લહેરો ઉઠે છે, ઝેરીલા નાગો વિષ ફેંકે છે અને બધુ જ આગમાં ભસ્મ થઈ જાય છે. જ્યારે ભગવાન સૃજનનું નૃત્ય કરે છે તો તેને 'આનંદનૃત્ય' કહે છે. તે બ્રહ્માંડને શાંત અને સમૃદ્ધ બનાવે છે.
દક્ષિણામૂર્તિ
દક્ષિણામૂર્તિ અથવા દક્ષિણના ભગવાન, જ્ઞાન અને સત્યના ભગવાન છે. દક્ષિણમૂર્તિની તસ્વીર ભગવાન શિવના મંદિરોમાં દક્ષિણ દિવાલે જોવા મળે છે. આ છવિમાં ભગવાન વડના ઝાડ નીચે આસન પર વિરાજેલા હોય છે. તેમનો ડાબો પગ વળેલો હોય છે અને જમણો પગ લટકેલો હોય છે, જે એક અપસમાર નામના રાક્ષસ પર મૂકેલો જોવા મળે છે. તેમના હાથમાં એક ત્રિશૂળ, એક સાંપ અને તાડનું એક પાન છે.
અર્ધનારીશ્વર
ભગવાન શિવ અને દેવી શક્તિ જીવનના સૃજનને દર્શાવવા માટે અર્ધનારીશ્વર રૂપમાં પ્રકટ થયેલા છે. આ સ્વરૂપ મોટે ભાગે ઉભી પ્રતિભાના રૂપમાં દર્શાવાયેલ છે. જેમાં અડધો નર અને અડધી નારી છે. જે દુનિયાને એ જણાવે છે કે નર અને નારી એકબીજાના પૂરક બળ છે તથા કોઈ લિંગ એકબીજાથી મોટું નથી.
ગંગાધર
ગંગાધરનો શાબ્દિક અર્થ છે ગંગાને ધારણ કરવા વાળા. એવું કહેવાય છે કે, જ્યારે રાજા ભગીરથ દેવી ગંગાની આકાશથી આવવાની રાહ જોતા હતા ત્યારે તેણે અહંકારથી કીધું હતુ કે હું જ્યારે ધરતી પર આવીશ તેનો વેગ એટલો બધો હશે કે આખી પૃથ્વીનો તેનાથી નાશ થઈ જશે. ભગીરથના નિવેદન કરવાને કારણે ભગવાન શિવે તેને પોતાની જટાઓમાં ધારણ કરી અને પૃથ્વી પર તેને ગંગા નદીના રૂપે છોડી દીધી. આ રીતે દેવી ગંગાનો અહંકાર ખતમ થઈ ગયો.
ભિક્ષાતન
ભિક્ષાતનનો શાબ્દિક અર્થ થાય ભિક્ષા માંગવી. અહીં ભગવાન શંકરનું ભિક્ષાતન રૂપ અહંકાર અને અજ્ઞાનતાને દૂર કરવા માટે છે. આ રૂપમાં ભગવાન શંકરને નગ્ન અને ઉત્તેજક રૂપમાં દર્શાવવામાં આવેલ છે. તેઓ એક ચતુર્ભૂજ સાધુના રૂપમાં છે, જેના ત્રણ હાથમાં ત્રિશુળ, ડમરૂ અને ખોપડી છે. જમણા હાથથી તેઓ હરણને ખવડાવતા દેખાય છે.
-
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી







Click it and Unblock the Notifications
