Tulsi Puja: તુલસી વધે છે સુખ-સમૃદ્ધિ, તો પછી કેમ ઘરની બહાર થાય છે તેની પૂજા?
તુલસીનો છોડ ઘરના આંગણામાં કે ઘરની બહાર કે ઘરની બાલ્કનીમાં લગાવવામાં આવે છે. તેને ઘરની અંદર રાખવામાં આવતો નથી. જાણો કારણ.
Tulsi Puja: તુલસીને માતાનુ સન્માન મેળેલુ છે. શિયાળો હોય કે ઉનાળો, લોકો તુલસીના પાનની ચા પીવે છે, તુલસીનો ઉપયોગ અનેક સૌંદર્ય પ્રસાધનોમાં થાય છે. ધર્મમાં જણાવ્યા મુજબ તુલસી ભગવાન વિષ્ણુને પ્રિય છે અને જ્યાં સુધી તેમની પૂજામાં તુલસીના પાન ન ચઢાવવામાં આવે ત્યાં સુધી તેની પૂજા અધૂરી માનવામાં આવે છે. જો કે તુલસીનો ઉપયોગ દરેક પૂજામાં કરવામાં આવે છે પરંતુ તુલસીનો છોડ ઘરના આંગણામાં કે ઘરની બહાર કે ઘરની બાલ્કનીમાં લગાવવામાં આવે છે. તેને ઘરની અંદર રાખવામાં આવતો નથી.

ઘરની અંદર જગ્યા કેમ નથી મળતી?
જે છોડ આટલો પવિત્ર છે તેને ઘરની અંદર જગ્યા કેમ નથી મળતી? વાસ્તવમાં, માન્યતા મુજબ તુલસીના કારણે શૈતાની શક્તિ અને નકારાત્મક વસ્તુઓ ઘરમાં પ્રવેશ કરી શકતી નથી. તેથી જ તુલસીને પ્રવેશદ્વાર કે આંગણા કે બહાર રાખવામાં આવે છે. જેથી ઘરમાં આવતી કોઈ પણ બલાઓ કોઈપણ દિશામાંથી પ્રવેશ ન કરી શકે.

ઘરનુ વાતાવરણ શુદ્ધ રહે
એટલુ જ નહિ તુલસીના પાનમાંથી ખૂબ જ સુંદર સુગંધ આવે છે, જેના કારણે ઘરનુ વાતાવરણ શુદ્ધ રહે છે, જો આ છોડને ઘરના કોઈપણ ખૂણામાં રાખવામાં આવે તો તેની સુગંધ આખા ઘરમાં પહોંચી શકતી નથી. ઘરની બહાર તુલસીનો છોડ લગાવવાનુ આ પણ એક મોટુ કારણ છે. તુલસી માતા ભગવાન વિષ્ણુના અવતાર શાલિગ્રામની પત્ની છે. એટલા માટે જે ઘરમાં માતા તુલસીનો વાસ હોય છે ત્યાં પતિ-પત્ની ખૂબ જ ખુશ રહે છે. જો તેમની વચ્ચે પ્રેમ અને વિશ્વાસ હોય તો ઘરમાંથી લક્ષ્મીજીની કૃપા ક્યારેય ઓછી થતી નથી કારણ કે મા લક્ષ્મી ભગવાન વિષ્ણુની પત્ની છે.

આ દિશામાં લગાવો તુલસીનો છોડ
તુલસીનો છોડ પૂર્વ દિશામાં લગાવવો જોઈએ પરંતુ જો તમે તેને ત્યાં લગાવી ના શકતા હોય તો તમે તેને ઉત્તર અથવા ઉત્તર-પૂર્વ દિશામાં પણ રાખી શકો છો. છોડને જ્યાં સીધો સૂર્યપ્રકાશ મળે ત્યાં લગાવો, છોડની આસપાસનો વિસ્તાર સ્વચ્છ હોવો જોઈએ. તુલસીના છોડને જળ ચઢાવવુ ખૂબ જ જરૂરી છે અને સવાર-સાંજ તુલસીના છોડ પાસે ઘીનો દીવો પ્રગટાવવાથી ઘરમાં ક્યારેય ખરાબ પડછાયો આવતો નથી. ઘરમાં સમૃદ્ધિ બની રહે છે અને લોકોનુ સ્વાસ્થ્ય પણ સારુ રહે છે.
આ મંત્રોથી કરો પૂજા
ॐ सुभद्राय नमः
ॐ सुप्रभाय नमः
मातस्तुलसि गोविन्द हृदयानन्द कारिणी
नारायणस्य पूजार्थं चिनोमि त्वां नमोस्तुते ।।
-
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી






Click it and Unblock the Notifications
