Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Tulsi Puja: તુલસી વધે છે સુખ-સમૃદ્ધિ, તો પછી કેમ ઘરની બહાર થાય છે તેની પૂજા?

તુલસીનો છોડ ઘરના આંગણામાં કે ઘરની બહાર કે ઘરની બાલ્કનીમાં લગાવવામાં આવે છે. તેને ઘરની અંદર રાખવામાં આવતો નથી. જાણો કારણ.

Tulsi Puja: તુલસીને માતાનુ સન્માન મેળેલુ છે. શિયાળો હોય કે ઉનાળો, લોકો તુલસીના પાનની ચા પીવે છે, તુલસીનો ઉપયોગ અનેક સૌંદર્ય પ્રસાધનોમાં થાય છે. ધર્મમાં જણાવ્યા મુજબ તુલસી ભગવાન વિષ્ણુને પ્રિય છે અને જ્યાં સુધી તેમની પૂજામાં તુલસીના પાન ન ચઢાવવામાં આવે ત્યાં સુધી તેની પૂજા અધૂરી માનવામાં આવે છે. જો કે તુલસીનો ઉપયોગ દરેક પૂજામાં કરવામાં આવે છે પરંતુ તુલસીનો છોડ ઘરના આંગણામાં કે ઘરની બહાર કે ઘરની બાલ્કનીમાં લગાવવામાં આવે છે. તેને ઘરની અંદર રાખવામાં આવતો નથી.

ઘરની અંદર જગ્યા કેમ નથી મળતી?

ઘરની અંદર જગ્યા કેમ નથી મળતી?

જે છોડ આટલો પવિત્ર છે તેને ઘરની અંદર જગ્યા કેમ નથી મળતી? વાસ્તવમાં, માન્યતા મુજબ તુલસીના કારણે શૈતાની શક્તિ અને નકારાત્મક વસ્તુઓ ઘરમાં પ્રવેશ કરી શકતી નથી. તેથી જ તુલસીને પ્રવેશદ્વાર કે આંગણા કે બહાર રાખવામાં આવે છે. જેથી ઘરમાં આવતી કોઈ પણ બલાઓ કોઈપણ દિશામાંથી પ્રવેશ ન કરી શકે.

ઘરનુ વાતાવરણ શુદ્ધ રહે

ઘરનુ વાતાવરણ શુદ્ધ રહે

એટલુ જ નહિ તુલસીના પાનમાંથી ખૂબ જ સુંદર સુગંધ આવે છે, જેના કારણે ઘરનુ વાતાવરણ શુદ્ધ રહે છે, જો આ છોડને ઘરના કોઈપણ ખૂણામાં રાખવામાં આવે તો તેની સુગંધ આખા ઘરમાં પહોંચી શકતી નથી. ઘરની બહાર તુલસીનો છોડ લગાવવાનુ આ પણ એક મોટુ કારણ છે. તુલસી માતા ભગવાન વિષ્ણુના અવતાર શાલિગ્રામની પત્ની છે. એટલા માટે જે ઘરમાં માતા તુલસીનો વાસ હોય છે ત્યાં પતિ-પત્ની ખૂબ જ ખુશ રહે છે. જો તેમની વચ્ચે પ્રેમ અને વિશ્વાસ હોય તો ઘરમાંથી લક્ષ્મીજીની કૃપા ક્યારેય ઓછી થતી નથી કારણ કે મા લક્ષ્મી ભગવાન વિષ્ણુની પત્ની છે.

આ દિશામાં લગાવો તુલસીનો છોડ

આ દિશામાં લગાવો તુલસીનો છોડ

તુલસીનો છોડ પૂર્વ દિશામાં લગાવવો જોઈએ પરંતુ જો તમે તેને ત્યાં લગાવી ના શકતા હોય તો તમે તેને ઉત્તર અથવા ઉત્તર-પૂર્વ દિશામાં પણ રાખી શકો છો. છોડને જ્યાં સીધો સૂર્યપ્રકાશ મળે ત્યાં લગાવો, છોડની આસપાસનો વિસ્તાર સ્વચ્છ હોવો જોઈએ. તુલસીના છોડને જળ ચઢાવવુ ખૂબ જ જરૂરી છે અને સવાર-સાંજ તુલસીના છોડ પાસે ઘીનો દીવો પ્રગટાવવાથી ઘરમાં ક્યારેય ખરાબ પડછાયો આવતો નથી. ઘરમાં સમૃદ્ધિ બની રહે છે અને લોકોનુ સ્વાસ્થ્ય પણ સારુ રહે છે.

આ મંત્રોથી કરો પૂજા

ॐ सुभद्राय नमः
ॐ सुप्रभाय नमः
मातस्तुलसि गोविन्द हृदयानन्द कारिणी
नारायणस्य पूजार्थं चिनोमि त्वां नमोस्तुते ।।

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X