ક્યાંય તમારો જન્મ પણ રાક્ષસ ગણમાં તો નથી થયો ને?
જ્યોતિષ પ્રમાણે વ્યકિતના જન્મ સમયના નક્ષત્રને આધારે વ્યકિતનો ગણ નક્કી થાય છે. જ્યોતિષ શાસ્ત્રમાં જન્મ સમયે હાજર નક્ષત્રોની ભૂમિકા મહત્વની હોય છે. તો શું તમે રાક્ષણ ગણના છો? જાણો અહીં.
તમે જોયું હશે કે જ્યારે પણ ઘરમાં કોઈના લગ્નની વાત શરૂ થાય તો પહેલા છોકરા-છોકરીની જન્મ કુંડળી મેળવવામાં આવે છે. કુંડળીમાં ગુણ, નાડી દોષ અને ગણ દોષ પર વધારે જોર આપવામાં આવે છે. કારણકે તેના પર જ દાપત્યજીવનું ભવિષ્ય ટકેલું હોય છે. જ્યોતિષ શાસ્ત્રની અંતર્ગત પ્રત્યેક મનુષ્યને ત્રણ શ્રેણીમાં વેંચવામાં આવ્યા છે, જે તેમના ગણને આધારે નક્કી થાય છે.

આ ત્રણ શ્રેણીઓ છે, દેવ ગણ, મનુષ્ય ગણ અને રાક્ષસ ગણ. આ ગણ મનુષ્યનો સ્વભાવ અને ચરિત્ર નક્કી કરે છે. જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે જન્મ સમયે હાજર નક્ષત્રને આધારે વ્યકિતનો ગણ નક્કી થાય છે. જ્યોતિષ શાસ્ત્રમાં જન્મ સમયે હાજર નક્ષત્રની ભૂમિકા મહત્વની હોય છે. તમે કયા ગ્રહમાં જન્મયા છો, કઈ રાશિને આધિન છો, અને તમારા જન્મનું નક્ષત્ર કયુ છે, આ તમામ વાતો તમારા જીવનની રૂપરેખા નક્કી કરે છે.
દેવ ગણ
દેવ ગણથી સંબંધ રાખનારા જાતકો દાની, બુધ્ધિમાની, ઓછું ખાનારા અને કોમળ હદયના હોય છે. આવા વ્યકિતના વિચારો ઉત્તમ હોય છે, તે પોતાના પહેલા બીજાના હિતનો વિચાર કરે છે.
મનુષ્ય ગણ
જે લોકોનો સંબંધ મનુષ્ય ગણ સાથે હોય તેઓ પૈસાવાળા હોય છે, તેની સાથે તેઓ ધનુર વિદ્યાના સારા એવા જાણકાર હોય છે. તેમના ક્ષેત્રો મોટા મોટા હોય છે અને સમાજમાં તેમનું ઘણું મોટું નામ હોય છે. લોકો તેમની વાતને માન આપે છે.
રાક્ષસ ગણ
જ્યારે વાત રાક્ષસ ગણની આવે તો ઘણા લોકો નામ સાંભળીને જ ડરી જાય છે. તમારામાંથી ઘણા લોકો જ્યારે પોતાની કુંડળી તપાસશો તો બની શકે તે મુજબ તમે પણ રાક્ષસ ગણના હોવ. પણ તેમાં ડરવાની કોઈ જરૂર નથી.આપણી આસપાસ અનેક પ્રકારની નકારાત્મક શક્તિઓ અસ્તિત્વ ધરાવે છે. એમાંની કેટલીક નકારાત્મક શક્તિઓ હોય છે તો કેટલીક સકારાત્મક હોય છે. જ્યોતિષ વિદ્યા પ્રમાણે રાક્ષસ ગણનો જાતક નેગેટીવ ઊર્જાને જલ્દી ભાસી લે છે. આ ઉપરાંત રાક્ષસ ગણના જાતકોની છઠ્ઠી ઈન્દ્રિય એટલે કે સિક્સસેન્સ ખૂબ સારી કામ કરતી હોય છે. રાક્ષસી ગણના જાતકો સાહસી અને મજબૂત ઈચ્છા શક્તિ ધરાવનારા હોય છે, તેમની જીવવાની રીત સ્વચ્છંદ હોય છે.
નક્ષત્ર
અશ્લેષા, વિશાખા, કૃતિકા, મધા, જયેષ્ઠા, મૂલ, ધનિષ્ઠા, શતભિષા નક્ષત્રમાં જન્મેલી વ્યકિત રાક્ષસ ગણમાં આવે છે.
ગુણ મળવા જરૂરી છે
લગ્ન સમયે કુંડળી મેળવતી વખતે જ્યોતિષ ગણોને મેળવે છે. ગુણો યોગ્ય રીતે મળે તો જ દાપત્યજીવનમાં સુખ અને આનંદ જળવાઈ રહે છે. જાણો કયા ગુણનું મળવું યોગ્ય ગણાય
- વર-કન્યાનું સમાન ગણ હોય તો બંને વચ્ચે ઉત્તમ મેળ રહે છે.
- વર-કન્યા દેવ ગણના હોય તો લગ્નજીવન સંતોષપ્રદ રહે છે.
- વર-કન્યા દેવ ગણ અને રાક્ષસ ગણના હોય તો બંને વચ્ચે જરા પણ સુમેળ સધાતો નથી અને તેમની વચ્ચે હંમેશા ટકરાવ રહ્યા કરે છે.
-
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: સોનું આ અઠવાડિયે 4000 રૂપિયા સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
Strait of Hormuz સંકટ વચ્ચે PM મોદીનો મોટો દાવ: ‘E20’ થી તેલની આયાત ઘટશે, ખેડૂતોની આવક પણ વધશે! -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ






Click it and Unblock the Notifications
