માં લક્ષ્મી, પૈસા અને ઝાડુ વચ્ચે શું છે કનેક્શન?
ઝાડુ ક્યારેય ઘરના મુખ્ય દરવાજે ન હોવું જોઈએ, આને કારણે ઘરમાં નકારાત્મક ઉર્જા પ્રવેશે છે.
ઘર એક મંદિર છે. આ મંદિરને સાફ-સૂથરું રાખવું એ આપણી ફરજ છે. ઘરને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે સૌથી ઉપયોગી વસ્તુ છે ઝાડુ. સ્વચ્છતાની શરૂઆત ઝાડુથી થાય છે અને માતા લક્ષ્મી નું આગમન પણ ત્યાં જ થાય, જ્યાં સ્વચ્છતા હોય. પરિણામે ઝાડુ એક એવું યંત્ર છે, જેનો સીધી રીતે ઉપયોગ કરવાથી ઘરની દરિદ્રતાને દૂર કરી સુખ અને સમૃદ્ધિ લાવી શકાય છે.

ઝાડુને ક્યારેય મુખ્ય દરવાજે ન મુકવું
- ઝાડુને મુખ્ય દરવાજે મૂકવાને કારણે ઘરમાં નકારાત્મક ઉર્જા પ્રવેશે છે. ઝાડુને હંમેશા લોકોની નજરમાંથી બચાવી, સંતાડીને રાખવું જોઈએ.
- રસોડામાં ક્યારેય ઝાડુ મૂકવું નહિં, આમ કરવાથી ઘરમાં દરિદ્રતા આવે છે. ઝાડુને દિવસે સંતાડીને રાખવું અને રાત્રે મુખ્ય દરવાજાની સામે રાખવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા પ્રવેશતી નથી.
એક સાથે 3 ઝાડુ ખરીદવા
- ઝાડુ જ્યારે પણ ખરીદવા જાઓ ત્યારે હંમેશા યાદ રાખવું કે, 3 ઝાડુ એક સાથે લેવા. ગુરૂવારના દિવસે ઘરમાં પોતુ કરવું નહિં. એવું મનાય છે કે તેનાથી લક્ષ્મી માતા નારાજ થઈ જાય છે.
- પોતુ કરતી વખતે પાણીમાં મીઠું જરૂર નાખવું, તેનાથી ઘરની નકારાત્મક ઉર્જા ખતમ થાય છે.
બેડરૂમમાં ઝાડુ ન મૂકવું
- ભૂલથી પણ તમારા બેડરૂમમાં ઝાડુ ન મુકવું, તેનાથી પતિ-પત્ની વચ્ચે ઝગડા થાય છે. ઝાડુને ક્યારેય ઊભુ ન રાખવું, કારણ કે એવું માનવામાં આવે છે કે ઊભુ ઝાડુ જોવાથી અપશુકન થાય છે.
કોઈ વ્યક્તિ કે પ્રાણીને ક્યારેય ઝાડુથી ન મારવુ
- કોઈ વ્યક્તિ કે જનાવરને ઝાડુથી મારવું અપશુકનની શ્રેણીમાં આવે છે. ઝાડુ પર ભૂલથી પણ ક્યારેય પગ ન મૂકવો. આમ કરવાથી લક્ષ્મી માતા નારાજ થાય છે.
- જો ઘરની મુખ્ય વ્યક્તિ કામથી બહાર નીકળતી હોય, ત્યાર બાદ તરત ઝાડુ લગાવવું નહિં, આમ કરવાથી તમારા બનતા કામ પણ બગડે છે.
સૂર્ય આથમ્યા બાદ ઝાડુ ન લગાવવું
- સૂર્ય આથમ્યા બાદ ઘરમાં ઝાડુ લગાવવું અશુભ મનાય છે. જો ઝાડુ તૂટી ગયું હોય તો તેને ફેંકી દેવું, તૂટેલા ઝાડુથી વાળવું દરિદ્રતા તરફ લઈ જાય છે.
More From
-
સુરત ઈકોનોમિક રિજિયન SERને રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 1185 કરોડ ફળવાયા -
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ -
IND vs NZ Final: ન્યુઝીલેન્ડે જીત્યો ટોસ, ભારત પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11











Click it and Unblock the Notifications
