ડાયનાસોર કાળની 42 કરોડ વર્ષ જૂની માછલી મળી, 4 પગ વાળી માછલી જોઈ વૈજ્ઞાનિકો પણ ચકિત
ડાયનાસોર કાળની 42 કરોડ વર્ષ જૂની માછલી મળી, 4 પગ વાળી માછલી જોઈ વૈજ્ઞાનિકો પણ ચકિત
દુનિયામાં ક્યારે, ક્યાં અને શું ચકિત કરતી ચીજ મળી જાય તે કોઈએ વિચાર્યું પણ ન હોય. પ્રકૃતિના ગર્ભમાં હેરાન- પરેશાન કરતી કેટલીય ચીજો છૂપાયેલી છે, જેના વિશે માણસ ક્યારેય કલ્પના પણ ના કરી શકે. સાઉથ આફ્રિકાના માછીમારોના હાથમાં આવી જ એક માછલી લાગી છે, જેની પ્રજાતિ 42 કરોડ વર્ષ જૂની છે અને તેને દુનિયામાંથી વિલુપ્ત માનવામાં આવી હતી. પરંતુ જ્યારે માછીમારોએ આ માછલી પકડી તો તેને જોઈ વૈજ્ઞાનિકો પણ ચકિત થઈ ગયા.

42 કરોડ વર્ષ જૂની છે પ્રજાતિ
હિંદ મહાસાગરમાં સૌથી મોટા મેડાગાસ્કર તટ પર માછલી પકડતી વખતે માછીમારોના હાથમાં આ વિલુપ્ત થઈ ચૂકેલી માછલી લાગી. આ માછલીના ચાર પગ છે, જેને જોઈ ખુદ માછીમારો દંગ રહી ગયા છે. વૈજ્ઞાનિકોએ કહ્યું કે આ માછલી 42 કરોડ વર્ષ જૂની પ્રજાતિથી છે અને આ માછલીને 'સીઉલૈકૈંથ'ના નામે ઓળખવામાં આવે છે. વૈજ્ઞાનિકોએ કહ્યું કે આ માછલી ડાયનાસોર સમકાલીન છે અને તે ફરીથી મળવી સંપૂર્ણપણે દુર્લભ છે.

વિજ્ઞાન જગત આશ્ચર્યમાં
સમુદ્રની અંદરથી હંમેશા અદ્ભુત ચીજો મળતી રહે છે અને આ માછલી પણ અચાનક જ મળી છે. મોંગબે ન્યૂઝ મુજબ મેડાગાસ્કર તટ પર કેટલાક માછીમારો સમુદ્રમાં માછલીઓ પકડવા ગયા હતા. શાર્ક માછલી માછીમારોના નિશાન પર હતી, જેને પકડીને તેઓ પાંખ અને તેલ હાંસલ કરવા માંગતા હતા. શાર્ક માછલીને પકડવા માટે એક ખાસ પ્રકારની જાળ 'ગિલનેટ્સ'નો ઉપયોગ કરવામાં આવે છે, જે સમુદ્રમાં 328 ફુટથી લઈ 492 ફુટ સુધી જઈ શકે છે. માછીમારો જ્યારે શાર્કને પકડવાની કોશિશ કરી રહ્યા હતા તે દરમ્યાન જાળમાં સીઉલૈકૈંથ માછલી પણ ફસાઈ ગઈ.

માછલીના અસ્તીત્વ પર ખતરો
માછીમારોના જાળમાં ફસાયેલી સીઉલૈકૈંથ માછલીના ચાર પગ અને આઠ પાંખ છે અને આ માછલીને વિલુપ્ત માનવામાં વતી હતી પરંતુ ફરી એકવાર આ માછલી સાઉથ આફ્રીકન સમુદ્રમાં મળી છે. ધરતીની ભૌગોલિક પરિસ્થિતિ કેટલીય વાર બદલાઈ ચૂકી છે છતાં પણ 42 કરોડ વર્ષ જૂની પ્રજાતિની માછલી હજી ધરતી પર કેવી રીતે જીવંત છે તે વાતને લઈ વૈજ્ઞાનિકો પણ ચકિત છે. દક્ષિણ આફ્રિકાના જર્નલ ઑફ સાયન્સમાં એક રિસર્ચ દરમિયાન કહેવામાં આવ્યું કે શાર્કના શિકારના કારણે સીઉલૈકૈંથ માછલીના અસ્તિત્વ પર ગંભીર ખતરો મંડરાઈ રહ્યો છે. જણાવી દઈએ કે 1980 બાદથી શાર્ક માછલીનો ઘણી તેજીથી શિકાર કરવામાં આવી રહ્યો છે. સંશોધકોનું કહેવું છે કે માછીમારોએ શાર્ક માછલી પકડવા માટે જિલનેટની ઘણી ખતરનાક ખોજ કરી છે અને આ એટલી વિશાળ હોય છે કે સમુદ્રમાં ઘણી ઊંડાઈ સુધી આ જાળ માછલીઓને ફસાવી શકે છે.

શોધકર્તાઓને ડર
સીઉલૈકૈંથ માછલી ફરી એકવાર મળ્યા બાદ શોધકર્તાઓના મનમાં આ માછલીને લઈ આશાની કિરણ તો જાગી છે પરંતુ રિસર્ચરનું માનવું છે કે આ અદ્ભુત માછલીનો મોટાપાયે શિકાર તેના અસ્તિત્વને ખતરામાં નાખી શકે છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે મેડાગાસ્કર સરકારે હજી સુધી સીઉલૈકૈંથ પ્રજાતિની માછલીઓના શિકાર પર કોઈપણ પ્રકારનો પ્રતિબંધ લગાવ્યો નથી, જેને કારણે માછલીની આ પ્રજાતિના અસ્તિત્વ પર સંકટ મંડરાઇ રહ્યો છે.
-
સુરત ઈકોનોમિક રિજિયન SERને રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 1185 કરોડ ફળવાયા -
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ -
IND vs NZ Final: ન્યુઝીલેન્ડે જીત્યો ટોસ, ભારત પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11










Click it and Unblock the Notifications
