વિદ્યાર્થીએ લગ્ન પર લખ્યો નિંબંધ, લોકો બોલ્યા તેને મેડલ આપો
સોશિયલ મીડિયા પર ક્યારે શું વાયરલ થઇ જાય એનું કોઇ કહી શકે નહીં. ઇન્ટરનેટ પર ઘણીવાર અજીબોગરીબ વીડિયો, મેસેજ અને લેટર વાયરલ થઇ જાય છે. વિદ્યાર્થીના શાળામાં લખેલી રજા ચીઠ્ઠી વાયરલ થઇ હતી.
સોશિયલ મીડિયા પર ક્યારે શું વાયરલ થઇ જાય એનું કોઇ કહી શકે નહીં. ઇન્ટરનેટ પર ઘણીવાર અજીબોગરીબ વીડિયો, મેસેજ અને લેટર વાયરલ થઇ જાય છે. વિદ્યાર્થીના શાળામાં લખેલી રજા ચીઠ્ઠી વાયરલ થઇ હતી. હવે પરીક્ષામાં લખેલા લગ્ન પરના નિંબંધ જોરદાર વાયરલ થઇ રહ્યો છે. જેને વાંચીને તમે હસી હસીને થાકી જશો.

હકીકતમાં શિક્ષકે શાળાના તમામ વિદ્યાર્થીઓને લગ્ન પર નિબંધ લખવાનું જણાવ્યું હતું, પરંતુ એક વિદ્યાર્થીએ તમામ વિદ્યાર્થીઓથી સાવ અલગ નિબંધ લખ્યો હતો, જેની સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા થઈ રહી છે. વિદ્યાર્થીએ તેના નિબંધમાં લખ્યું છે કે, લગ્ન ત્યારે થાય છે, જ્યારે પરિવારના સભ્યો છોકરીને કહે કે, તું મોટી થઈ ગઈ છે અને હવે અમે તને ખવડાવી શકતા નથી. તમારી જાતે એક છોકરો શોધી લો જે તમને ખવડાવી શકે.
છોકરાએ નિબંધમાં આગળ લખ્યું કે, પછી છોકરી છોકરાને મળે છે અને બંનેના લગ્ન થાય છે. બંને એકબીજાને જાણે-સમજે છે અને સાથે રહેવાનું શરૂ કરે છે. છોકરાએ લખેલો નિબંધ જોઈને શિક્ષકના હોશ ઉડી ગયા હતા. આ નિબંધ શિક્ષકને શૂન્ય નંબર આપીને જણાવ્યું કે, તમે આવો અને મને મળો. હવે આ લખેલા નિબંધ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. શિક્ષકને આ નિબંધ ભલે ન ગમ્યો, પરંતુ લોકોને તે ખૂબ જ પસંદ આવી રહ્યો છે.
What is marriage? 😂 pic.twitter.com/tM8XDNd12P
— Velu (@srpdaa) October 11, 2022
આ નિબંધ ટ્વીટર અકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. ઘણા લોકોએ આ પોસ્ટ પર સવાલ ઉઠાવ્યા છે, કારણ કે આ નિબંધ ત્રીજા ધોરણના વિદ્યાર્થી દ્વારા લખવામાં આવ્યો હતો. ઘણા યુઝર્સ કહે છે કે, ત્રીજા ધોરણનો વિદ્યાર્થી આ નિબંધ લખી શકતો નથી. આ પોસ્ટ પર કેટલાક યુઝર્સે ફની કોમેન્ટ્સ કરી છે. એક યુઝરે લખ્યું છે કે, આ બાળકને મેડલ આપવામાં આવે.
ટ્વીટર આ પોસ્ટને અત્યાર સુધીમાં બે હજારથી વધુ લોકો દ્વારા રીટ્વીટ કરવામાં આવી છે, જ્યારે 12 હજારથી વધુ લોકોએ તેને લાઈક કરી છે. હવે સેંકડો લોકોએ પણ આ પોસ્ટ પર કમેન્ટ કરી છે અને તેને ઉગ્રતાથી શેર કરી રહ્યા છે.
-
રાજીવ ચંદ્રશેખરનો દાવો: કેરળમાં ભાજપના નેતૃત્વ હેઠળના NDAનો ઉદય થશે -
તમારી યાદશક્તિ વધારવા માટે પાંચ અસરકારક ટિપ્સ -
Uttarakhand News: દેહરાદૂન પુસ્તક મેળામાં ગઢવાલી અને કુમાઉની સાહિત્ય છવાયું, ૨૬ નવા પુસ્તકોનું વિમોચન થયું -
તમિલનાડુના મુખ્યમંત્રી મેટ્રો ટ્રેનમાં મુસાફરો સાથે સંવાદ કર્યો -
Artemis II Splash Down: નાસાના અવકાશયાત્રીઓ સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા ફર્યા -
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
ભાજપના નેતા પીસી જ્યોર્જે FCRA સુધારા બિલ પસાર થવા અંગે કેથોલિક બિશપ્સની ટીકા કરી -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ?






Click it and Unblock the Notifications
