દુનિયામાં બીજી વાર થઇ એડ્સની સફળ સારવાર, જાણો કેવી રીતે થયો ચમત્કાર
એડ્સ એક જીવલેણ રોગ છે, પરંતુ તાજેતરમાં જ લંડનના ડોક્ટરોએ દાવો કર્યો છે કે તેઓએ એચઆઇવી વાયરસથી પીડિત દર્દીનું સફળ સ્ટેમ ટ્રાન્સપ્લાન્ટ કરીને તેને દુનિયાનો બીજો એચઆયવી મુક્ત દર્દી બનાવ્યો છે.
એડ્સ એક જીવલેણ રોગ છે, પરંતુ તાજેતરમાં જ લંડનના ડોક્ટરોએ દાવો કર્યો છે કે તેઓએ એચઆઇવી વાયરસથી પીડિત દર્દીનું સફળ સ્ટેમ ટ્રાન્સપ્લાન્ટ (અસ્થિ મજ્જા ટ્રાન્સપ્લાન્ટ) કરીને તેને દુનિયાનો બીજો એચઆયવી મુક્ત દર્દી બનાવ્યો છે.

12 વર્ષ પહેલાં, આ ચમત્કાર 2007 માં બર્લિનના ડોકટરો દ્વારા કરાયો હતો, એચઆયવીથી પીડાતા ટિમોથી રે બાઉન નામના વ્યક્તિનો સફળ ઉપચાર આ થેરેપી દ્વારા થયો હતો. જેના પછી 'બર્લિન પેસન્ટ' તરીકે પણ ઓળખાયો. આ થેરાપી પછી, બાઉન હવે એડ્સથી છુટકારો મેળવ્યા પછી સફળ જીવન જીવે છે.
ડોકટરો મુજબ એચઆયવીથી પીડિત દર્દીના દરેક કિસ્સામાં, તે જરૂરી નથી કે આ ટ્રાન્સપ્લાન્ટ કામ કરે. જોકે આ થેરીપી ઘણા એચઆયવી પીડિત લોકોની સારવાર દરમિયાન નિષ્ફળ ગઈ છે.
કેવી રીતે થયો આ ચમત્કાર
લંડનના ડોકટરોએ એવો દાવો કર્યો છે કે એચઆઇવી પ્રતિરોધક ક્ષમતા રાખનાર વ્યક્તિનું 'બોન મેરો' (અસ્થિ મજ્જા) ચેપગ્રસ્ત વ્યક્તિને ટ્રાન્સપ્લાન્ટ કર્યા પછી એડ્સથી પીડિત વ્યક્તિના રોગપ્રતિકારક તંત્રમાં સુધારો થવા લાગ્યો છે, જેથી તેનું આરોગ્ય પહેલા કરતાં વધુ સારું દેખાયું. તપાસ કર્યા પછી, ડૉક્ટરોએ તેને એડ્સ મુક્ત જાહેર કર્યો. જો કે, આ દર્દીની ઓળખ હજુ સુધી જાહેર થઈ નથી. હાલમાં, તેને 'લંડન મરીજ' નામ આપવામાં આવ્યું છે.
18 મહિના દેખરેખમાં રાખવામાં આવ્યો
2003 માં લંડન દર્દીની એચઆયવી પૉઝીટીવ હોવાની પુષ્ટિ પછી, 2016 માં સ્ટેમ ટ્રાન્સપ્લાન્ટેશન પછી, લંડન દર્દીને એચઆયવીની એન્ટીબાયોટીક દવાઓનું સેવન ત્રણ અઠવાડિયા સુધી ન કરવા દીધું. સામાન્ય રીતે, વાયરસની અસર ઘટાડવા માટે એચઆયવી દર્દીઓને દરરોજ એન્ટીબાયોટીક્સ ખાવાની જરૂર હોય છે. જો એચઆયવીના દર્દી દવાઓ બંધ કરે છે, તો વાયરસ બેથી ત્રણ અઠવાડિયામાં પાછો ફરવાનું જોખમ રહે છે.
લંડન દર્દીને ટ્રાન્સપ્લાન્ટેશન પછી 18 મહિના દવાઓ વગર નિરિક્ષણ હેઠળ રાખવામાં આવ્યો હતો અને ડોકટરોને કોઈ પણ વાયરસનું જોખમ દેખાયું ન હતું. આ બાબત સામે આવવાથી એક વાત સ્પષ્ટ છે કે આવનારા સમયમાં વૈજ્ઞાનિક એડ્સ જેવી જીવલેણ બીમારીનો ઉકેલ શોધી કાઢશે.
-
સુરત ઈકોનોમિક રિજિયન SERને રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 1185 કરોડ ફળવાયા -
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ -
IND vs NZ Final: ન્યુઝીલેન્ડે જીત્યો ટોસ, ભારત પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11










Click it and Unblock the Notifications
