How life ended on Mars : આ એક ભૂલના કારણે મંગળ પર ખતમ થઇ ગયું જીવન, વૈજ્ઞાનિકોએ કર્યો દાવો
How life ended on Mars : મંગળ ગ્રહ પર એલિયન્સ કેવી રીતે ખતમ થયા, તે અંગે વૈજ્ઞાનિક દ્વારા દાવો કરવામાં આવ્યો છે. એક સ્ટડીમાં વૈજ્ઞાનિકોએ જણાવ્યું છે કે, એલિયન્સના કારણે જળવાયું પરિવર્તન થયું હતું.
How life ended on Mars : મંગળ ગ્રહ પર એલિયન્સ કેવી રીતે ખતમ થયા, તે અંગે વૈજ્ઞાનિક દ્વારા દાવો કરવામાં આવ્યો છે. એક સ્ટડીમાં વૈજ્ઞાનિકોએ જણાવ્યું છે કે, એલિયન્સના કારણે જળવાયું પરિવર્તન થયું હતું. જેના કારણે સમગ્ર મંગળ ગ્રહ પર જીવન સમાપ્ત થઇ ગયું હતું.
જળવાયુ પરિવર્તનના કારણે મંગળ ગ્રહ પર તાપમાનમાં ભારે ઘટાડો થયો હતો, જે કારણે મંગળનું જીવન નષ્ટ થઇ ગયું. નેચરલ એસ્ટ્રોનોમીમાં છપાયેલા એક રિપોર્ટ અનુસાર પૃથ્વીની જેવું જ વાતાવરણ મંગળ પર હતું. મંગળ પર પણ જીવન હતું, પરંતું એલિયનના વાતાવરણમાં પરિવર્તન આવ્યું અને મંગળ પરનું જીવન સમાપ્ત થયું હતું.

એલિયન્સે કરી હતી આ મોટી ભૂલ
ડેઈલી સ્ટારમાં છપાયેલા એક અહેવાલ મુજબ વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે, મંગળ પર એલિયન્સે અજાણતા વાતાવરણમાં ફેરફાર કરીને પોતાનો નાશ કર્યો હતો. અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, પૃથ્વી પર જીવનનું અસ્તિત્વ અને મંગળ પર તેમના અંતનું કારણ બે ગ્રહોની ગેસ રચના અને સૂર્યથી તેમના અંતરમાં તફાવત છે.

તાપમાનમાં ઘટાડો થવાને કારણે જનજીવન ખતમ થઈ ગયું
પ્રાચીન સુક્ષ્મજીવાણુઓએ હાઇડ્રોજનનો વપરાશ કર્યો અને મિથેન ઉત્પન્ન કર્યું હતું. તેઓએ ધીમે ધીમે તેમના ગ્રહની હીટ ટ્રેપિંગ સિસ્ટમનો નાશ કર્યો હતો, જેણે સમય જતાં મંગળને એટલો ઠંડો પાડ્યો કે, તે નિર્જન બની ગયો હતો.

તાપમાન - 57 ડિગ્રી સેલ્સિયસ થઈ ગયું
અભ્યાસ મુજબ, જ્યારે સજીવો વિકાસ પામતા હતા, ત્યારે મંગળનું સરેરાશ તાપમાન 10 થી 20 °C રહેતું હતું, પરંતુ સૂક્ષ્મજીવાણુઓની સંખ્યામાં વધારો થતાં, તાપમાન લગભગ - 57 °C થઈ ગયું હતું, જે તેમને ગ્રહની સપાટી પર જીવવાની ક્ષમતા આપે છે. ગરમ પોપડામાં ઊંડે ભાગી જવાની ફરજ પડી હતી.

ખૂબ જ ઝડપથી લુપ્ત થયું
એક એસ્ટ્રોફિઝિસિસ્ટ અને જેમણે અભ્યાસનું નેતૃત્વ કર્યું હતું એ બોરિસે જણાવ્યું હતું કે, જીવનના તત્વો બ્રહ્માંડમાં દરેક જગ્યાએ છે. તેથી તે શક્ય છે કે જીવન બ્રહ્માંડમાં નિયમિતપણે દેખાય, પરંતુ ગ્રહની સપાટી પર રહેવા યોગ્ય પરિસ્થિતિઓને જાળવવી ન શકવાના કારણે જીવનનું ખૂબ જ ઝડપથી લુપ્ત થયું હતું.
-
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ -
અમદાવાદમાં આકાર લેશે ભવ્ય 'સ્પોર્ટ્સ એન્ક્લેવ', ઓલિમ્પિક સ્તરની સુવિધાઓ માટે સરકારે ખોલી તિજોરી -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ












Click it and Unblock the Notifications
